________________
વિશ્વની અસ્મિતા
મહા ચમત્કારિક શ્રી મણિભદ્રવીર
અનાદિ કાળથી સંસારચક ચાલે છે. ઘણા ઉત્પન્ન થાય છે, તેમાં જે આત્માઓ પિતાને ઓળખી પુરુષાર્થ કરી શ્રેય સાધે છે તે આત્માઓ જ પ્રશંસનીય અને ધન્યવાદ બને છે અને કાળક્રમે મોક્ષમાં જાય છે–મોક્ષમાં અનંતા આત્માઓ ગયા છે અને જશે તેમાંથી શ્રી માણીભદ્રવીર પણ એક છે
હાલમાં શ્રી માણિભદ્રવીર ચોસઠમાં વ્યંતર ઈન્દ્ર દેવ છે. તેઓ અવધિજ્ઞાન યુક્ત ઘણા કાળથી પિતાનું દેવાયુ ભોગવે છે અને શુભ કામમાં નિરંતર ઉદ્યમી અને ઋદ્ધિ સિદ્ધિ યુક્ત છે.
શ્રી મણિભદ્ર વીરને સંક્ષીપ્તમાં ઇતિહાસ. હાલના મધ્યપ્રદેશમાં ઉજજૈન નામના શહેરમાં શ્રી માણેકશા શેઠને જન્મ થયેલ. તેમના પિતાનું નામ ધર્મપ્રિયશા અને માતાનું નામ જિનપ્રિયા હતું - તેઓ ઓસવાલ જાતિના હતા. નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. મોટા થતાં પિતાનો વહીવટ સંભાળી લીધો અને દયા ભાવના લીધે લોકપ્રિય થયા હતા. તેઓ તપાગચ્છના ચુસ્ત અનુયાયી હતા. એકદા લુક્કા ગચ્છના આચાર્ય ઉજજેનીમાં પધાર્યા અને પ્રતિમા પૂજા નહીં કરવી એમ ઉપદેશ આપ્યું. તેઓએ તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવકધર્મ છોડીને કામતી બન્યા.
આ વાત તેમના માતુશ્રીના જાણવામાં આવી ત્યારે તે ખૂબ દુઃખી થયા અને તેમને અભિગ્રહ કર્યો કે “જ્યારે મારો પુત્ર પ્રથમની માફક દેવદર્શન કરવા જાય અને તપાગચ્છના નિયમ પ્રમાણે વર્તે ત્યારે જ મારે ઘી ખાવું” આ વાત માણેકશાના જાણવામાં આવી–તેમણે નક્કી કર્યું કે મારા મનનું સમાધાન કેઈ સદ્દગુરુ કરશે ત્યારે જ હું મારો મત છેડીશ. થોડા સમય પછી તપાગચ્છાધિપતિ હેમવિમલસૂરી આચાર્ય મહારાજ ત્યાં પધાર્યા. તેમના દર્શનથી અને ઉપદેશથી માણેકશાની શંકાનું નિવારણ થયું અને મહાસુદ ૫ના દિવસે સમકિત મૂલ બારે વ્રતો ઉચ્ચાર્યા અને હંમેશાં અષ્ટ પ્રકારી જિનપૂજા કરવા લાગ્યા. અને સુપાત્રની ખૂબખૂબ ઉત્સાહથી ભક્તિ કરવા લાગ્યા.
માણેકશાને એક વખત વ્યાપારાર્થે આગ્રા જવાનું થયું. પુજન આચાર્ય મહારાજ હેમવિમલસૂરિજી ચાર્તુમાસ માટે પધારેલા. આ સાંભળીને માણેકશાએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને બધે જ વ્યાપાર અને કામકાજ પિતાના મુનીમને સેંપી દીધું–વ્યાખ્યાનમાં શત્રુંજય મહાસ્ય સાંભળીને ત્યાં જવાનું નક્કી કર્યું અને ચોમાસું પૂર્ણ થતાં ગુરુદેવની આજ્ઞા લઈને શત્રુંજયનાં દર્શન માટે નીકળ્યા. મનમાં એક જ ઉત્કંઠા કે શત્રુંજય ગિરિના દર્શન કરી જીવન ધન્ય બનાવું-ચાલતાં ચાલતાં પાલનપુર નજીક મગરવાડા ગામની બાજુમાં એક જગલમાં આવ્યા. ત્યાં ડાકુઓની ટળી હતી. ડાકુઓએ તેમને લૂંટવા માટે ઊભા રાખવા બૂમો પાડી પણ માણેકશાનું ચિત્ત નવકારમંત્રમાં અને ધ્યેય શત્રુજય હતો.
(અનુસંધાન સામા પાન ઉપર )
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org