SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર સંબંધી વિશ્વના ચિંતકોનાં વિવિધ મંતવ્યો પ્રાસ્તાવિક જ્યારથી મનુષ્ય આ વિશ્વની અદ્ભુત ઘટનાઓથી આશ્ચય અને અહેાભાવની લાગણી અનુભવવા લાગ્યા, ત્યારથી આ જગતનું રહસ્ય શું હશે અને આવાં વિશ્વના રચનાર કાણુ હશે તે જાણવાની જિજ્ઞાસા તેના વિચારવત મગજમાં પ્રગઢ-અપ્રગટ રીતે થવા લાગી, આ જિજ્ઞાસા જ બધાં ચિ'તને! અને સશેાધનાનુ` મૂળ ગણાયું છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે ? તેના સઈક કાણુ હશે? આવા આવા પ્રશ્નો સહૃદયી ચિંતકના મનમાં અને મસ્તકમાં ઘાળાવા લાગ્યા. સામાન્ય રીતે એમ કહી શકાય કે ઈ.સ. પૂર્વીની છઠ્ઠી શતાબ્દીમાં આ સ્વાભાવિક જિજ્ઞાસાના શકય બૌદ્ધિક ઉકેલે કાંઈક વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું. અને આ જ સમય દરમ્યાન વિશ્વના મહાન યુગપ્રવર્તકો કે યાતિ । અને પયગ’ખરાએ માનવ વિશ્વમાં જન્મ લઈને દિવ્યતાથી વિશ્વને વિભૂષિત કર્યું. ઈશ્વરનાં અસ્તિત્વના ખ્યાલ સખ'ધી ઘણા સિદ્ધાંત છે. આમાંના કેટલાક સિદ્ધાંતા નિરીશ્વરવાદી વલણુથી કેરાયેલા પશુ છે, તેવા ચિંતકાની ઈષ્ટએ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના પાયામાં ભય, આપણા જ અતરની ઈચ્છાનુ મૂર્તિકરણ, અતૃપ્ત કે વિકૃત જાતીય વૃત્તિ, ધ*ગુરુપ્રથા, રાજ્યની સત્તા ટકાવી રાખવાની ચાલ, સામાજિક અન્યાય, સ્વપ્ના કે સ`માહન ઇત્યાદિ પરિબળેા રહેલાં છે. તેઓ એમ પણ માને છે કે કેટલીક વાર મખ્ખુય જીવનના કાઈ અાગ્ય કે અવિશ્વસનીય પાસાને લીધે પણ વ્યક્તિ ઈશ્વરમાં માનવા લાગે છે, આવી ખધી તાર્કિક દલીલેા દ્વારા તેઓ ઈશ્વર વિષયક શ્રદ્ધાની હાંસી ઉડાવે છે; પર’તુ આને ચોગ્ય ઉત્તર એ જ આપી શકાય કે કોઈપણુ માન્યતાની યથાર્થતા તેની અતિહાસિક વિગતા પરથી નક્કી ન થઈ શકે. કારણ કે, તે પછી ખગેાળશાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર જેવાં શાસ્ત્રોનું મૂળ પણુ અવૈજ્ઞાનિક માન્યતામાં રહેલુ` હતુ` એમ જણાશે, તેથી અહીં આ નિબધમાં આપણે આવાં નિરીશ્વરવાદી મતબ્યાને Jain Education International -પ્રો. કે. બી. માંકડ ધ્યાનમાં લેશુ નહિ; એટલુ' જ નહિ, પણ ઇશ્વર વિશે વિધાયક દૃષ્ટિબિં’દુ ધરાવનાર મહાનુભાવાની ખતમાં ગાળામાં પ્રવર્તતાં મતગ્યેને લક્ષમાં લેતા નથી. પણ ઈ.સ. પૂર્વે પાંચમી છઠ્ઠી શતાબ્દીની પહેલાંના સમય આથી ઊલટુ એ પણ ખરુ' છે કે જેમ કેટલાક ધ પુરુષા માને છે તેમ, ઈશ્વર અંગેની માન્યતાનું મૂળ ધ્રુવી 'તઃસ્ફુરણા કે પ્રાચીન આદિમાનવની સ્ફુરણામાં પણ ન ગણાવી શકાય. કાઇ પણ અંતઃસ્ફુરણાને ‘દૈવી ’ ગણુાવતાં પહેલાં ઈશ્વરમાં અથવા કાઈ પણુ દેવની સકલ્પનામાં શ્રદ્ધા હૈાવી અનિવાય છે. “તાત્ત્વિક ઈશ્વરવાદીઓ કહે છે કે ઇશ્વર સંબધી માન્યતા મનુષ્યની એક એવી નર્સીંગ –સાહજિક ધમ શક્તિમાં રહેલી છે કે જે નૈતિક અને કલાવિષયક સૂઝ જેટલી જ મૂળભૂત, સ્વતંત્ર અને વિશ્વસનીય છે. કેન્ટની જ્ઞાનમીમાંસા પણ આપણને કઈ અવા જ તારણ તરફ લઈ જાય છે.” ( ધર્મ અને નીતિશાસ્ત્ર અગેના અંગ્રેજી મહાસંદભ ગ્ર^થ) જેમ પ્રાણવાયુ વગર માણુસ જીવી ન શકે, તેમ ધમ વગર મનુષ્ય જીવી શકતા નથી. અલબત્ત આ ધમ અગેના ખ્યાલમાં મલૈકય પ્રવ`તું ન પણ હોય; પરંતુ ઈશ્વર જેવી પરમ શક્તિમાં શ્રદ્ધા એ ધર્મોમાં મુખ્ય હોય છે. હવે, ઈશ્વર સંબંધી આ ખ્યાલનુ સ્વરૂપ વિશ્વના ભિન્ન ભિન્ન દેશેામાં કેવું રહ્યું તેના સ ંક્ષિપ્ત ખ્યાલ હવે આપણે પ્રાપ્ત કરીશું. પ્રાચીન ગ્રીક ચિંતાનાં મ'તવ્ય. ભારતના ધાર્મિક-આધ્યાત્મિક સાહિત્યનું મૂળ જેત્રી રીતે વેદમાં રહેલું છે, તેવી રીતે પાશ્ચાત્ય તત્ત્વચંતનનું મૂળ પ્રાચીન ગ્રીક તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં રહેલુ છે. ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દી વિશ્વના કેટલાક દેશો માટે જેમ સૂક્ષ્મ તાત્ત્વિક કે નૈતિક ચિ'તનની જાગૃતિના કાળ સાબિત થયેલ છે તેમ ગ્રીસ દેશમાં પણ આ સમય યુગ પ્રવર્તક મહાન તત્ત્વચિંતકોના પ્રાગટય કાળ હતા. અલબત્ત ભિન્ન ભિન્ન ગ્રીક ચિંતકામાં ઈશ્વર વિશેના શુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy