SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ–ર અધિકાર હું હુર હાલતમાં જાળવી રાખીશ. ” અહલ્યાખાઈના આ ઉત્તરમાં એક વીર નારીની ધૈય શક્તિનાં દર્શન થાય છે. તેમાં તેમનો સાહસિકતા પણ છે. આ પછી સાચી વીરાંગના તરીકે તેમનુ' નામ ચારે બાજી ઊઠયુ. નાકર-ચાકર અને આશ્રિતા પ્રત્યે તેમના વ્યવહાર ઉદાત્ત હતા. ઉત્તમ કામગીરીની તે કદર કરતાં. સારુ કામ કરનારને અક્ષિસાથી નવાજતાં અને જાહેરમાં આવાં કાર્યાની પ્રશંસા કરતાં, જેથી સારુ' કામ કરનારના ઉત્સાહ વધે, પ્રેરણા મળે. સારા કામનેા વિસ્તાર વધતા રહે. બીજી બાજુ ખરાબ અને હીન નૃત્યા કરનારની જાહેરમાં ઠેકડી કરતાં જેથી ભવિષ્યમાં આવાં કૃત્યો કાઈ ન કરે, અને માણસા સાચા અને સારા માર્ગ અપનાવે. પેાતાના કાય ક્ષેત્રમાં યાગ્ય માર્ગોદન મળે તે માટે જ્ઞાન, અનુભવ અને ડહાપણથી ભરેલા સદાચારી, સગૃહસ્થ તાત્માજોગ અને ભારમલદાદાને એમણે પેાતાની પાસે રાખ્યા. તેમના આદેશનુ પાલન દીવાન બરાબર કરે તેનુ ખાસ ધ્યાન રાખતાં. પ્રજાનુ' પુત્રવત્ પાલન કરતાં પ્રજાને કોઈ અગવડ ન પડે તે અંગે તેમણે ખાસ તકેદારી રાખી હતી. જમીન મહેસૂલના દરવાજબી રાખ્યા હતા. કાયદો અને વ્યવસ્થા દ્વારા પ્રજાને શાંતિ અને સલામતી અઠ્યાં હતાં. અપાર વૈભવમાં પણ તેએ જળકમળવત્ રહ્યાં હતાં. વિધવા થયા પછી શ્વેત વહ્યા જ પરિધાન કરતાં હતાં. અલંકારામાં ફક્ત સેને મઢેલી રુદ્રાક્ષની માળા જ પહેરતાં. તે સદા જમીન પર જ સૂતાં હતાં. તે પુરાણુ વાંચીને બીજાને અર્થ સમજાવતાં હતાં. યુદ્ધક્ષેત્રમાં તેમણે તુર્કાજીના નાયકત્વમાં મોંદસૌરમાં રાજપૂતા વિરુદ્ધ સફળતા મેળવી. માટા રાજ્યની રાણી ન હોવા છતાં જેટલી કીર્તિ તેમને મળી છે તેટલી બ્રિટિશ ભારતના ઇતિહાસમાં કોઈ પણ રાજવ ́શના રાજનીતિજ્ઞને મળી નથી. આ કીતિ તેમના માત્ર રાજકીય કાર્યને લઈને જ નહીં, પરંતુ ચારિત્રિક શુદ્ધતા, પવિત્રતા તથા દાનશીલતા પર આધારિત હતી. અહલ્યાબાઈની દાનશીલતા એમના રાજ્યની પરિધિ સુધી જ સીમિત ન રહેતાં સમસ્ત દેશના, ગગેાત્રીથી વિધ્યાચલ સુધીનાં તીસ્થાના સુધી વ્યાપ્ત હતી. આ દાનશીલતા માત્ર ધાર્મિક ભાવનાને અનુલક્ષીને જ નહી, પરંતુ નિધના, અસહાયા તેમ જ દીન-દુઃખી અને રાગીઓને Jain Education International ૩૮૭ સહાયતા કરવાની તેમના હૃદયની આંતરિક ભાવનામાંથી પ્રગટ થએલી હતી. આમ તેઓ પ્રાણી માત્રને સુખ આપવામાં તથા ખુશી કરવામાં માટુ' પુણ્ય સમજતાં હતાં. તે ધનભંડારમાંથી જ તેમણે ક્રિશ અધાવ્યાં, બ્રાહ્મણાને દાન આપ્યાં, રસ્તાઓ બધાવ્યા, ધર્મ શાળાએ અંધાવી. કૂવા-તળાવા તેમ જ ટાંકીએ અને કૂડા અધાવ્યા. આવાં સુંદર કાર્યો માત્ર પેાતાના ગામમાં નહી, પરંતુ જગન્નાથપુરીથી દ્વારકા અને કેદારનાથથી રામેશ્વર સુધી કર્યાં છે. કલકત્તાથી અનારસ સુધીના રસ્તા, ખનારસમાં અન્નપૂર્ણાનું મંદિર અને ગયામાં વિષ્ણુ મંદિર પણ એમણે જ ખ'ધાવ્યાં છે. અહલ્યાબાઈ ગરીબ-અનાથ લેાકાને જમાડવામાં સાષ અનુભવતાં. કેટલાક તહેવારામાં તે સૌથી હલકા વષ્ણુના લેાકેાને પણ ઉજાણીથી ખુશ કરતાં ઠંડીના દિવસેામાં ટાઢથી થરથરતાં લેાકાને કપડાં આપતાં અને ગરમીના દિવસેામાં તેના માણસા ઠેર ઠેર પાણીનાં પર ચલાવતા, આ બધાં કાર્યો પાછળ તેમના ઉદ્દેશ યશ-કીતિ મેળવવાના લેશ માત્ર નહોતા, પરંતુ શાસક તરીકે કેવળ પેાતાની ફરજ અજાવવાના હતા. કાઇ પણ વ્યક્તિ તેમની પ્રશ'સા કરે તે તેમને જરા પણ પસ'ઢ ન હતુ. ખરેખર તેઓએ પ્રશ'સનીય કાર્યો કર્યાં હતાં, છતાં કાઈ તેમની સાચી પ્રશ'સા કરે તા પણ તે સ્વીકારતાં નહી'. એકવાર એક બ્રાહ્મણે અહલ્યાબાઈનાં કાર્યાને બિરદાવતુ પુસ્તક લખ્યું— તેની જાણ જ્યારે અહલ્યાબાઈને થઈ અધી પ્રશંસાને લાયક નથી.” અને આમ કહી પેલું ત્યારે તેમણે કહ્યું- “હું એક પાપી સ્ત્રી છું, આટલી પુસ્તક નઠ્ઠીમાં નખાવી દ્વીધુ' અને પેલા બ્રાહ્મણ વિષે કોઇ માહિતી પણ મેળવી નહી. આમ તેઓ નિઃસ્વાર્થ ભાવે પરાપકાર કરવામાં માનતાં હતાં. તેમનું જીવન નિઃસંગ હતું. તેમની ગણુના આદશ શાસકામાં થાય છે. તે પાતાની ઉદારતા અને પ્રજાવત્સલતાને કારણે પ્રસિદ્ધ બન્યાં છે. અહલ્યાબાઈએ પેાતાના મુલકમાં એવા તે ખંદોબસ્ત કર્યા હતા કે અન્ય રાજાએ એવા યશ મેળવી શકથા નથી. તેમને ખીજા રાજ્ય સાથે એવા સારા સંબધ હતા કે કેાઈએ તેના રાજ્ય પર ચઢાઈ કરી નહી’ અપવાદ સ્વરૂપ એકવાર ફક્ત ઉદેપુરના આળસુ ભાયાત એ રામપુર લેવાના યત્ન કર્યા હતા, પણ તે નિષ્ફળ નીવડયા હતા. ઇન્દાર પહેલાં તા બહુ નાનુ હતું, પણુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy