SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૨ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ આ સંસ્કાર વારસે ઉત્તરોત્તર ચાલ્યો આવે છે. શ્રી રતિલાલ ગાંગજી શાહ પણ એવાજ પ્રતાપી પુરૂષ ગણતા લાડકોડમાં ઉછરેલામ સાહ્યબીના દિવસે પણ જેવા છતાં અન્યનું દુઃખ જોઈ પોતે દ્રવી ઉઠતા શ્રી રતિભાઈ ગાંગજીને વૈદકનું સારું એવું જ્ઞાન હતું દરેક ધર્મના જ્ઞાની હતા. જ્ઞાતિવાદના કટ્ટર દુશ્મન હતા. દરેક કામ પ્રત્યે તેમને સમભાવ હતો. ચાલ્યા આવતા વારસાને શ્રી વજુભાઈએ બરાબર પચાવી જા. અસહાય વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરવું એ એમને ખાસ શેખ રહ્યો છે. જીવનમાં કેટલાંક કડક નિયમો પણ પચાવ્યા છે. ધંધામાં માણસને ભાગીદાર બનાવ્યા. અમુક રકમથી વધુ રકમ મળે તે દાન ધર્મમાં ખર્ચવી. સાદાઈ છોડવી નહિ વગેરે સદ્ગુણોએ તેમજ પ્રશસ્તિ અપાવી કીર્તિથી હંમેશા ભાગનારા છે. શ્રી વૃજલાલભાઈને પિતાના વતનમાં હોસ્પીટલ ભવિષ્યમાં ઉભી કરવાની મનિષા છે. હિંદના લગભગ બધા જ ધાર્મિક તીર્થોનું કુટુંબ સાથે પારભ્રમણ કર્યું છે. મુંબઈ, કલકત્તા, અમદાવાદ, પાલીતાણા, તળાજા વગેરે સ્થળોએ તેમની સારી એવી સખાવતે છે. ગરીબોને અનાજ, વિદ્યાર્થીઓને પુસ્તક આપવામાં જીવનને ધન્ય ગણે છે. શ્રી વાડીલાલ મગનલાલ વોરા તેમજ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિમાં કાર્યકરી કાલબાદેવી વિસ્તારના જનતાના હૃદયમાં એક ધર્મ પ્રેમ સદગૃહસ્થ તરીકે માનભર્યું સ્થાન મેળવી શક્યા છે એટલું જ નહિ પરન્તુ અનેક ધાર્મિક કાર્યોમાં ઉદાર હાથે દાન કરી ધર્મ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે. પિતાના વતન સલાયા ખાતે જ્ઞાતિ વાડીમાં તેમજ પૂના ખાતે આનંદીબા જલારામ બાલાશ્રમમાં જાતે જ જઈ આવી ત્યાંનાં કાર્યમાં યોગ્ય દાન કરી સહાયરૂપ થયા છે. અને પિરબંદર ખાતે શ્રી રામધૂન મંડળને રૂ. ૨૫૦૦/પચીસેનું ઉજવળ દાન કરી મંડળના ટ્રસ્ટી તરીકેની સેવાઓ બજાવી રહ્યા છે. ઉપરાંત દ્વારકાના ઝટણીયા (રાય કુંડલિયા) કુળદેવી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવાઓ આપી રહયા છે. મુંબઈમાં કાનબાઈ કન્યા સ્કુલમાં સભાસદ તરીકે હદય પૂર્વક કામ કરી સંસ્થાને ઉદાર હાથે મદદરૂપ થઈ કન્યા કેળવણી પ્રત્યે પિતાની અનોખી ભાવના વ્યકત કરી રહયા છે. શ્રી વૃજલાલ રતિલાલ શાહ તળાજા પાસે પીથલપુરના વતની સામાન્ય ગરીબાઈને લઈ શ્રી વજુભાઈને નાની ઉંમરમાં જ મુંબઈ આવવું પડયું. અને એક કમિશન એજન્ટની પેઢીમાં રહયા. ૧૯૪૦ માં એ કામને વ્યાપારી અનુભવ નાની ઉંમરમાં જ મળી ચૂક્યો હતા. સાતેક વર્ષની નેકરી કરી પણ આર્થિક સ્થિતિ વધુને વધુ કથળતી ગઈ. કુટુમ્બની વ્યવહારિક જવાબદારીઓ અદા ન કરી શકયા; છતાં હિંમત હાર્યા વગર મુસીબતેને સામને કરતા રહ્યાં સુખ દુઃખના તડકા છાયાને વટાવી આકરી અગ્નિ કટને અંતે ૧૯૪૫ માં ધંધાની શરૂઆત કરી પણ મારી ન મળી. દેવું વધતું ગયું. સામાજિક જવાબદારીઓ પણ વહન કરવાની હતી. કઠનાઈઓને ગંજ ખડકાયો છતાં મુશ્કેલીમાં સમતા અને શાંતિ રાખવાના એમને મળેલા વારસાગત સંસ્કાએ કયારેય પણ હતેત્સાહ ન બન્યા અને પુરૂષાર્થની પગદંડી ચાલુ રાખી ક્રમે ક્રમે ૧૯૫૩-૫૪ પછી ભાગ્યને સિતારે બદલાયો. કપરા દિવસોમાં શ્રી વૃજલાલ રતિલાલ ત્રાપજવાળા અને દલીચંદ વિઠ્ઠલદાસ હાથસણીવાળાની એક માત્ર હુંફ અને પ્રેરણાથી જીવનમાં ટકી રહેવાનું બળ મળ્યું પિતાને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા, નિષ્ઠા અને પ્રમાણિકતાને જીવનભર વળગી રહેવાનું દૃઢ મનોબળ એ બધા સગુણો એ તેમની છેલ્લા દશકામાં ઉભી થયેલી આબાદીમાં મહત્વને ભાગ ભજવ્યો, જોકે તેમની પ્રગતિને બધા જ યશ તેઓ શ્રી વજુભાઈ ત્રાજવાળાને આપે છે. અને બીજું પ્રેરણાબળ તેમના ધર્મપત્ની શ્રીમતી કાન્તાબહેન પણ મુશ્કેલ આશ્વાસમરૂપ બન્યા છે. શુન્યમાંથી સર્જન કરનાર આ પુરૂષાર્થ વ્યક્તિએ દૂધના ધંધાને વિકસાવવામાં ઘણો પરિશ્રમ ખે છે. શ્રી વ્રજલાલભાઈના જીવનની કેઈપણ વિશિષ્ટતા હોય તે એ કે પિતાના ગજવાની છેલ્લી પાઈ પણ ગરીબેને આપવામાં સંતોષ અનુભવનારા છે. મુંબઈમાં તારાચંદ શામજીની પેઢીના સફળ સંચાલનમાં મોટાભાઈ શ્રી મનસુખભાઈ સાથે રહીને સફળ કામગીરી કરી રહ્યાં છે. મીલનસાર અને પરોપકારી સ્વભાવ છે. પિતાની ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે સમાજના ઉમદા ધ્યેયને ભૂલ્યા નથી. સારા સગૃહસ્થ તરીકેની આતિથ્ય સત્કારની ભાવનાવાળા શ્રી વાડીભાઈ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વ્યાપારમાં પણ તેઓએ ઘણી જ બાહોમ વ્યકિત તરીકેની નામના મેળવી છે. શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા શ્રી ઓઝા ૧૯૧૫ માં ભાવનગરમાં જ જમ્યા તેમના પિતા અમૃતલાલ મૂળ તે ઉમરાળાના પણ પછી તે મુંબઈ ગયા અને નાનકડા કામની શરૂઆતથી માંડીને જોતજોતામાં પચરંગી શહેરના જાણીતા ઉદ્યોગપતિ બની ગયા. શ્રી વિનયકુમારે મુંબઈમાં શિક્ષણ લીધું અને વ્યવહારૂ અનુભવની ડીગ્રી પણ મેળવી ધંધાથે તેઓએ યુરોપનો પ્રવાસ પણ કર્યો. ઈટાલી તથા જર્મનીથી યંત્રે પણ મંગાવ્યા. અને “શીપ ચેઇન ફેકટરી” (એશિયામાં આવી સૌ પ્રથમ) શરૂ કરી. ફેકટરીને આધુનિક યંત્ર સામગ્રીથી સજજ બનાવવા ૧૯૬૧માં તેમણે યુરોપને પ્રવાસ ફરીવાર કર્યો. માત્ર ધંધામાં જ નહી પણ ઉદાર હાથે દાન આપવામાં પણ શ્રી વિનયકુમાર પિતાને અનુસર્યા છે. માટુંગામાં શ્રી અમીચંદ વિવિધલક્ષી Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy