SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ દાખલે લીધા છે અને હજારે એ નાગજી ખેતાણીને બધા પ્રસંગોમાં સંભારે છે. ધન્ય એ જીવન! તાની દિશામાં દોર્યો છે અને વિવેક શક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. તેમના સ્નિગ્ધ મધુર સ્વભાવને અને તેમની આદર્શ ઉદારતાને ભવ્ય વારસો તેમના સુપુત્ર શ્રી વિઠ્ઠલભાઈમાં પણ ઉતર્યો છે. ધંધામાં મેળવેલી સંપત્તિનો ઉપયોગ નાના મોટા ફંડ ફાળામાં પણ કરતા રહ્યાં છે. આખુ એ કુટુંબ ખૂબ જ ધાર્મિક મનોવૃત્તિવાળું છે. શ્રી પ્રવીણભાઈ કપાસી સજન્ય મૂર્તિ શ્રીયુત પ્રવીણભાઈ કપાસી આપણું ધ્રાંગધાના મૂળ વતની છે. પ્રાથમિક અભ્યાસ ધ્રાંગધ્રામાં કરી સેકન્ડરી સ્કૂલ એન. ટી. એમ. હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાં રહી અભ્યાસ કર્યો સવંત ૧૯૪૬ માં મેટ્રીક પાસ કરી વધુ અભ્યાસ માટે મુંબઈની વિલસન કેલેજમાં જોડાયા. ૧૯૫૦ માં બી. એસસી. થયા. એકાદ ધંધામાં નિષ્ણાંત થવાના હેતુથી માટુંગાની પ્રખ્યાત વી. જે. ટી. આઇ. કેલેજમાં જોડાયા અને એલ ટી. સી. ની પરીક્ષા પાસ કરી. તેમાં મુખ્ય વિષયમાં ટેક્ષસ્ટાઇલ રસાયણ જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૫૨ માં અભ્યાસ પુરો કરી તેજ વર્ષના નવેમ્બર માસમાં મેસર્સ ઇન્ડો કેમ પ્રા. લી. કંપનીમાં ટેકનીકલ સેલસ ડીપાર્ટમેન્ટમાં એકઝીયુટીવ ઓફીસર તરીકે જોડાયા આ દરમ્યાન તેમણે ખૂબ જ પ્રેકટીકલ અનુભવ મેળવ્યો. જુદા જુદા કાપડ ઉપર રંગ રસાયણું કેવી રીતે વાપરવું તેનું સચોટ જ્ઞાન મેળવ્યું. ઈ. સ. ૧૯૬૧ માં તેમણે પોતાનું સ્વતંત્ર સાહસ કરી “ઇન્ડોડાઈઝ કેરપરેશન” નું ઔદ્યોગિક એકમ શરૂ કર્યું. તેમના નાના ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ તથા શ્રી હસમુખ ભાઈને સાથે લીધા. શ્રી જીતેન્દ્રભાઈ વી. કપાસી બી એસ સી. એ પદાર ગ્રુપમાં સવસ કરી સારો અનુભવ મેળવેલા છે. તેવીજ રીતે શ્રી હસમુખભાઈ વી. કપાસીએ પણ બી. એસ સી. (ઓનર્સ) પાસ કરી સીધા આ સાહસમાં જોડાઈ સતત ટ્રેઇનીંગ લઈ પેડકશન સાઈડ સંભાળી લીધી છે. આ રીતે અભ્યાસ, અનુભવ અને મહેનતથી તેઓ સર્વશ્રીએ માલના ઉત્પાદનની કવોલીટીનું ધોરણ જાળવી રાખ્યું અને તેમની પ્રોડકટસ ટૂંક સમયમાં મીલમાં તથા સીલ્ક અને કોટન પ્રોસેસીંગ હાઉસમાં સારું સ્થાન મેળવી શકી છે. સારાષ્ટ્ર ભૂમિ એવા વિરનર સદા પિદા કરતી રહે. શ્રી નાનચંદ જુઠાભાઈદેશી. સદ્દગુરૂઓના પરિચયે અને ખાસ કરીને પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મહારાજની આત્મહિતકારી કલ્યાણકારી વાણીના પ્રભાવે તેઓના સંસર્ગમાં આવીને તેમણે તેમના જીવનને વિતરાગ પ્રભુના ધર્મથી વધુને વધુ સુવાસિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે તેમણે સુંદર ધાર્મિક અનુષ્ઠાને જેવા કે શ્રી સિધ્ધગિરિજી મહાતીર્થની નવ્વાણું યાત્રા, તેમજ મહાતીર્થમાં ચાતુર્માસનું આરાધન સુંદર દેવકુલિકા બનાવી તેમાં પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા ઉપધાન, તપ, માસક્ષમણું, વરસીતપ, નવપદજીની ઓળી વગેરે ઉલ્લાસ પૂર્વક આચર્યા છે સવંત ૨૦૨૫ ની સાલમાં એજ મહા પ્રભાવક આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં તેમના વતન ચલાળાથી તીર્થાધિરાજ શ્રી સિધ્ધગિરિજીને છરી પાળતે સંઘ કાઢી સેંકડો ભાવિકેને તીર્થયાત્રા કરાવવાને મહાન લાભ મેળવ્યા છે. આ પ્રસંગે ગુજરાતના એ પવિત્ર કાવિ તીર્થમાં શ્રી નવપદ આરાધક સમાજને નિમંત્રણ આપી શ્રી નવપદજી ઓળીનું સામુદાયિક આરાધન પણ એજ પૂજ્યપાદ આચાર્ય ભગવંતની નિશ્રામાં કરાવવાનું તેમણે મહાન લાભ લીધો છે. અને સને અનુપમ દર્શનનો અમુલ્ય લાભ અપાવ્યું છે. તેમના દરેક ધર્મકાર્યોની સમાજે અનુમોદના કરી છે. શ્રી પંચાણુભાઈ પટેલ પ્રારબ્ધને પડકારી પરિશ્રમના પરસેવાથી જીવન છોડને સીંચી સેવાના પુષ્પ બલવનારાઓની સુવાસથી સંસાર અને સમાજને મહેંકતે કરનારા માનવીઓમાંના એક શ્રી પંચાણ ભાઈ પટેલ જેઓ સમાજ અને જ્ઞાતિના પ્રત્યેક કામમાં અગ્રેસર હોય જ. સાહસ અને શૌર્યતાની યશગાથાથી કાઠિયાવાડીઓ જેમ જગતભરમાં મશહુર બન્યા છે તેમ જામનગરના શ્રી પંચાણ ભાઈ પટેલે વ્યાપાર ઉદ્યોગમાં આગળ વધી ધર્મ અને વ્યા પારને સમન્વય સાધી ઉજળી ભાત પાડી છે. તેમના એ ધર્મ સંસ્કાર હતા કે ધંધામાં અને જીવનમાં સત્ય નિષ્ઠા અને પ્રમાણિકતા જ આપણા ઉત્કર્ષ અને ઉન્નતિની સાચી મૂડી છે. જામનગરમાં એકસ્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝ અને વેજીટેબલ ઘી એવા બીજા એકમે ઉભા કરીને વેપારી સમાજમાં સારું એવું માનપાન પામ્યા. પટેલ જ્ઞાતિના દરેક કામમાં તેમને સક્રિય ફાળે હતો તેમણે તેમના કુટુંબ પરિવારને વાત્સલ્યથી એક કી નવપદજી અને તેની નિશ્રામાં કરાવવાનું પણ એજ શ્રીયુત પ્રવીણભાઈ કપાસી તેમના ઉદ્યોગના ટેકનીકલ જ્ઞાન, કુનેહ અને કૌશલ્યતાથી ઘણા જ ટુંક સમયમાં કપાસી ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝને ઉચ સ્થાને લાવી શકયા છે. પિતે મળતાવડા સ્વભાવના ઉદાર દિલવાળા ફકત વ્યવસાયમાં રાયે છે તેવું નથી પણ સામાજિક ક્ષેત્રે પણ એટલા જ સજાગ છે. નોર્થ બોમ્બે લાયન્સ કલબના છેલ્લા બાર વર્ષથી લાયન મેમ્બર છે. મહાવીર જૈન વિદ્યાલયમાં એક સ્કલરના પેદ્રન છે. તથા યશ વિજયજી જૈન ગુરૂકુળ પાલીતાણાના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy