________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૭
કૃપાળુ, સર્વ શક્તિમાન, સર્વજ્ઞ પરમપવિત્ર સન્નત, સત્યશીલ, દયામુક્ત ન્યાયી અને પરમપ્રેમ રૂપ છે. ઈશ્વરને ઈસાઈધર્મ પરમપિતા કહે છે ઈશ્વરને ત્રણ સ્વરૂપે ખ્રિસ્તી ધર્મમાં છે. સાતમા આસમાનમાં રહેલ પરમ કાણિક પવિત્ર અને પરમ પિતાનું એક સ્વરૂપ, પુત્રરૂપે પૃથ્વી પર દિવ્યરૂપે પધારેલ ઈસુનું બીજુંરૂપ અને પ્રત્યેક મનુષ્યના હૃદયમાં નિવાસ કરનાર એવું ત્રીજરૂપ. પૃથ્વી પર પ્રભુના પરમ રાજ્યની સ્થાપના ખ્રિસ્તી ધર્મને આદર્શ છે. આ રાજ્ય પ્રેમ, દયા અને ભાતૃભાવનું છે. સાચી વ્યકિતએ કરેલ અપરાધને ધ્યાનમાં ન લેતાં તેને ક્ષમા અને પ્રેમના જળથી સ્નાન કરાવવું, પિતાના પાપોનું પ્રાયશ્ચિત અને ક્ષમા માગવી અને ભગવાનના શરણે પૂર્ણ શ્રધ્ધા અને ભક્તિથી જઈને પરમપિતાને પ્રાર્થના કરવી. આ બે ઈસાઈ ધર્મના પાયાના સિદ્ધાંતો છે. બાઈબલ આ ધર્મને આદરણીય સર્વમાન્ય ગ્રંથ છે. યહદી ધર્મ :
શ્રેષ્ઠ, સર્જક, સર્વોત્કૃષ્ટ મિત્ર, રક્ષક, કરૂણુવાન, ઉદાર અને સર્વદા એકરસ એક અને અદ્વિતીય છે. પરમાત્માની પ્રાપ્તિ માટે અવેસ્તા ગ્રંથ પવિત્ર અને પ્રમાણિત , આ. એ સગુણે અનિવાર્ય ગણે છે. પરમાત્માની શુભ અને અશુભ આવી બે શકિતઓ છે. પારસી ધર્મમાં પણ એકેશ્વરવાદના સિધ્ધાંત છે. છતાં પરમાત્માની વિવિધ શક્તિઓને તેમાં આદર આપવામાં આવે છે.
જરથુષ્ટ્રધર્મના અધ્યયન પછી આપણે પૂર્વ એશિયાના ત્રણ ચાર મુખ્ય ધર્મ સંપ્રદાયનું સંક્ષેપમાં અધ્યયન કરવું આવશ્યક છે. આપણે સૌ પ્રથમ પ્રાચીન ચીની સંત કન્ફયુશિયસે પ્રાચીન પરંપરાઓને સમન્વિત કરી તેને રૂપાંતર આપ્યું તેવા કન્ફયુશિયસ ધર્મના મુદ્દાઓ જોઈએ. કેન્ફયુશિયસને પરમાર્થ અને પરલેકના વિચાર કરવાની બહુ આવશ્યક્તા જણાઈ નથી. તેમણે જીવનના વ્યવહાર પક્ષની શુધ્ધિ અને આચાર–નિષ્ઠા ઉપર વધુ વજન આપ્યું છે. કેન્ફયુશિયસ જીવન સરળ અને પવિત્રતમ વ્યવહારને સદાચાર નામ આપે છે. આ સદાચાર કે બાહ્ય પરિબળાનું પરિણામ નથી પણ જીવન જીવતાં સ્વાભાવિક રીતે જ લાધેલાં મૂલ્ય છે. સદાચારમાંથી ઈશ્વરીય જીવન અને દિવ્યતા પ્રાપ્ત થાય છે. અલબત આ ધર્મમાં પણ પૂજા-ઉપાસનાના બાહ્ય ક્રિયા કલાપ છે. કારણકે આ ધર્મમાં પણ શાન્તી એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાળના સ્વામી એવા પરાત્પર પરમાત્માનું સ્વરૂપ કલ્પી તેની આરાધના કરવા જણાવ્યું છે. તાઓ ધર્મ:
માઇ નથી
ઉપર ૧૧.વિત્રતમ
યહુદી ધર્મમાં ઈશ્વરના સર્વજ્ઞ તત્ત્વને સ્વીકાર છે. તેનું નામ જહોવાહ છે. આ ઈવર સર્વજ્ઞ સર્વ શક્તિમાન છે, તે જગત અને પ્રાણીઓને નિયંતા છે. પણ મનુષ્યના કર્મો પ્રમાણે તેને કઠોર સજા કરનાર છે. ઈશ્વરની મૂર્તિપૂજાને શરૂઆતમાં આધમમાં નિષેધ હતો પણ પાછળથી યહુદીઓ અનેક દેવદેવીઓની પૂજા ઉપાસના કરવા લાગ્યા. ઈશ્વરે મેઝીઝને દશ આજ્ઞાઓ આપી અને આ દશ આજ્ઞાઓનું બરાબર પાલન કરવામાં આવે તે પરમાત્માએ તેમના પૂર્ણ સંરક્ષણનું વચન આપેલુ છે જૂના કરાર નામના પવિત્ર ભાગમાં આ જગતની ઉત્પત્તિ, જીવોની ઉત્પત્તિ, જગતના પ્રથમ આદમની ઉત્પત્તિ વગેરેની વાત છે. વળી તેમાં છેલ્લે ઈશ્વર-શરણાગતિનું પણ સુંદર વર્ણન છે. ઈશ્વર મહામહિમ, સર્વજ્ઞ, શકિતમાન છે. ઈશ્વરને પૂર્ણ પણે કોઈ જોઈ શકતું નથી. કેઈ તેના તત્વને પાર પામી શકતું નથી. યહુદી ધર્મમાં પણ એકેશ્વરવાદ, ઇશ્વરભકિત અને મૂર્તિપૂજાને વિરોધ મુખ્ય સિદ્ધાંત છે.
લાઓસે નામના એક પવિત્ર સંતે આ ધર્મની સ્થાપના કરેલી. આ ધર્મનુ” પ્રભવસ્થાન પણ ચીન છે. તેમણે પરાત્પર પરમાત્મા ગૂઢ અને રહસ્યમય તત્વ છે એમ જણાવી તે પરમામાનાં જ એક નામ, તાઓ પરથી ધર્મનું નામ પાડ્યું, પણ કેટલાક લેકે તાઓ શબ્દનો અર્થ પરમાત્માને પામવાને પંથ એવો પણ કરે છે. આ તાએ અર્થાત પરમાત્મા નિરાકાર, અજન્મા, અવિનાશી, સર્વથી શ્રેષ્ઠ અને સમજી ને શકાય તેવું પરમતત્વ છે. પરમ તત્વતાઓજ સર્વ પ્રાણીઓનું ગંતવ્ય સ્થાન પરમગતિ છે. આ ધર્મનાં તત્વનું વર્ણન ભારતનાં ઉપનિષદોમાં વર્ણવેલાં બ્રહ્મતત્વને ઘણું મળતું આવે છે. આવા પરમ રહસ્ય વાદી ધર્મમાં બહુ ક્રિયાકાંડને અસ્તિત્વ ન હોય તે સ્વભાવિક છે. પણ પાછળથી તાઓ ધર્મમાં પણ ચમત્કારો ઘૂસી ગયા અને જ્ઞાનકાંડ ગૌણ બની ગયે.
જરથોસ્તી ધર્મ :
આ ધર્મની જન્મભૂમિ ઈરાન છે. તેના સ્થાપક અશે જરથુષ્ટ્ર છે. આ ધર્મને ધર્મગ્રંથ અવેરતા છે. અવેરતાની ભાષા હિંદુ ધર્મના વેદની ભાષા સાથે ઘણું મળતી આવે છે. અવેસ્તામાં પરમાત્માનું નામ અહુર મજદ છે તેનો અર્થ થાય મહાન અને સર્વજ્ઞ ઈશ્વર, વળી તેને એક અર્થ સૌને જીવન દેનાર એ પણ થાય છે. અહર એટલે પ્રાણવાન બળવાન, પરમાત્મા સૌથી મોટો જ્યોતિર્મય પ્રકાશક સર્જક, પાલક અને સંહારક છે. પારસી ધર્મમાં અગ્નિની પૂજા કરવામાં આવે છે. અહુર મજદ એટલે કે ઇવર જગતના સર્વ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org