SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિત ર .. - મારા ક અક 99 રૂકું ? બકરવું ; ; ; ; ; ; SSC ફરી પણ સહેજે પ્રશ્ન થાય છે કે આનું આટલું સુંદર ને ઉપયોગી પ્રકાશન-સંપાદન કોણ? કેમ ? કેવી રીતે કરી દ% શકાય ? એ જાણુવાની જિજ્ઞાસા કોઈ પણ વાંચક વિચારકને યાયજ, મને પણ થયેલ પણ મને તે આની જાણ સુલભ છે. સહજ હતી. સ્મૃતિગ્રંથના સંપાદક – સંયોજક શ્રી નંદલાલ દેવલુક પાલીતાણામાંજ જન્મેલ-ઉછરેલ. સેવા સંસ્કારની જયોત તેમણે અહીંથી જ પ્રગટાવી, ૧૯૬૩ સુધી જિલ્લાના રાજકારણમાં પણ રહીને યુવક સંગઠ્ઠનની રાહબારી લીધી. સામાજિક કાર્યક્રમો વખતે તેમની કર્તવ્યનિષ્ઠાને હું સાક્ષી છું. શ્રી દેવલુક વાંચન ને વક્તવ્યના પણ શોખીન ખરા. સમય જતા તેનામાં પડેલી સુષુપ્ત શકિતઓ અને ગળથુથીમાં મળેલા સંસ્કારવારસાએ સાહિત્ય સંશોધનની પ્રકાશન પ્રવૃત્તિમાં અને તેના સંપાદનમાં પ્રવિણ્યતા બતાવી. સંસ્કારભૂમિ ને વિદ્યાધામ ભાવેણાને આંગણેથી એ સરસ્વતી પુત્ર (બ્રહ્મભટ્ટ જ્ઞાતિને વાણીનું વર્ચસ્વ ને ઇતિહાસનું જ્ઞાન વરેલું છે.) સારસ્વતો અને વિદ્યાનો સહયોગ મેળવી કાંઈક મનોમંથને પછી આપણું ગૌરવનું વિશિષ્ટ દર્શન કરાવતુ, વિવિધરંગી ને સર્વાગી પ્રકાશન અસ્મિતા સ્મૃતિગ્રંથને નામે સંપાદિત કરી તજજ્ઞો પાસે મહેર મરાવી પ્રકાશિત કર્યું. એમની સાહિત્ય સેવાનું આ પુષ્પ ચોમેર સુગંધ પ્રસરાવશેજ એમાં શંકા નથી. શ્રી દેવલુક કાંઈ આટલેથી થાકશે ખરા ? એને તો રચવી છે ગુંચવી છે ગ્રંથની હારમાળા ! મનની મુરાદ બર લાવવી જ રહી. એને હજુ દેશ અને દુનિયા ખુંદવી છે. નવું જોવા જાણવા અને સમજવાની લગનીએ આયીએ વધુ માટે પ્રયાસ કરવાની તેમની મહેચ્છા છે ભારતવાસીઓ તેમને દરેક રીતે પ્રોત્સાહીત કરશેજ. તેમના આ પ્રયાસની યોગ્ય મૂલવણી ને ચકાસણી થતાં માગ્યા ત્યાંથી માહિતીસભર લેખો સાંપડ્યા, સૂચવ્યું ત્યાંથી શુભેચ્છક જાહેરખબર આવી પડી. વિનંતી કરી ત્યાંથી સંસ્થાઓ અને સરકારી ખાતામાંથી તેમને માહિતી અને સામગ્રી પ્રાપ્ત થઈ અને એ આશાસ્પદયુવાન પાસેથી આપણને વિશિષ્ટ પ્રકાશન સાંપડયું. પ્રત્યેક પ્રદેશનું હીર-નૂર, સત્વ, તત્વ અને વિશિષ્ટ ગૌરવ પ્રકાશિત કરતા આવા સંદર્ભગ્રંથનું યોગ્ય મૂલ્યાંકન થયું છે એથી પણ વિશેષ કરીએ–એને બિરદાવીએ ને પૂરૂ પ્રોત્સાહન આપીએ તેના લેખકોનું સન્માન કરીએ તેજ તો છે તેને પરમપુષાર્થને પુરસ્કાર થયે લેખાશે, અને આ પ્રયાસની ગ્ય મૂલવણી થઈ ગણાશે. આવા સંદર્ભગ્રંથની આવશ્યકતા અને ઉપગીતા બહુમુખી ગણાય. સાહિત્યરસિયાઓ તો તેને વાંચી પ્રસન્ન પ્રફુલિત થશેજ. પણ આપણી ભાવી પેઢીને પણ પ્રાચીન અર્વાચિન યુગની ઉપયોગી જાણકારી ને મહામૂલું માર્ગદર્શન મળશે ને એ સંદર્ભમાં કાંઈક સક્રિય વિચારણા કરવાની પ્રેરણા મળશે, તમન્ના જાગશે. જુદા જુદા ક્ષેત્રે કાર્ય કરનારાઓને દોરવણી અને પુષ્ટિ મળશે. અને પુસ્તકાલયોને એક માહિતીપૂર્ણ ગ્રંથ પ્રાપ્ત થાય છે. - ઉપરોકત સંદર્ભમાં હું ઈચ્છું છું કે સમાજ આ સાહિત્યિક પ્રયાસનું યોગ્ય સન્માન કરી તેના સંપાદનકાર્યની યોગ્ય મૂલવણી કરે તો આવા વિશિષ્ટ ક્ષેત્રે કાર્ય કરવા ઘણું યુવકો અને સેવકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે. અંતમાં આવા સાંસ્કૃતિક પ્રકાશન માટે શ્રી નંદલાલ દેવલુકને ધન્યવાદ આપું છું. અને સમાજના પ્રગતિશીલ બળને આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા વિનંતિ કરું છું લિ. સાહિત્ય સેવક. પાલીતાણું ડો. ભાલાલ એમ, બાવીશી પ્રેસીડેન્ટ-પાલીતાણા મેડીકલ એસોસીએશન ૨૮-૨-૭ર કારોબારી સભ્ય–ઓલ ઇન્ડીયા જેન વેતામ્બર કોન્ફરન્સ. પુષ્ટિ મળશે. અને પુસ્તક છે કે સમાજ આ સાહિત્યિક રાત સરકાલયોને એક જ મળશે, તે અને પ્રેરણા અને પ્રોત્સા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy