SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કારતીય અસ્મિતા જોવા મળશે. સરનાથ, સાંચી અને બુદ્ધગયાના બૌદ્ધકાલિન અવશે નીરખીને દંગ થઈ જવાય છે. મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહોના મંદિરનું શિપ અને નકશીકામ અદ્વિતીય છે. કપનામાં ન આવે તેવી કલાકારીગરી ત્યાંની એ શિ૯૫કૃતિઓમાં જોવા મળશે. બંગાળના સુંદર રમકડાઓ, કલાત્મકચિત્રો અને શિલ્પ, ભરતગૂંથણ અને વણાટના આકર્ષક ભાતીગળ નમૂનાઓ, ગૌરવ સમી હસ્તકલાકારીની વરતુઓ, રાજસ્થાનમાં જયપુરના પિત્તળના વાસણે જોધપુરની નકશીદાર મોજડીએ, બીકાનેર અજમેરના હાથીદાંતના રમકડાંઓ, બનારસ અને મુર્શિદાબાદને કિનખાબ, દિલ્હી અને જયપુરનું ઝવેરાત, મૈસુર અને ત્રાવણકોરના હાથીદાંતના સુકમ કલાવિદ્યાન. મુરાદાબાદ અને હૈદ્રાબાદનું ધાતુ પરનું જડાવકામ ફીરોઝાબાદની કાચની બંગડીઓએ તથા અન્ય જૂદા જૂદા કથળની ચીજવસ્તુઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે સમૃદ્ધિ અને વ્યાપાર વિભવ વિભાગમાં પણ ભારતની જળસંપત્તિ, પશુધન, પ્રાણીધન, બંદર, ખની, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ. પંચવર્ષિય યોજનાની સમીક્ષા, પશ્ચિમભારતના કેટલાંક શાહસોદાગરને પરિચય એવા દશેક પ્રકરણે આલેખાયા છે. | શિક્ષણ સંસ્કાર જગત વિભાગમાં પણ પ્રાચીન ગુરૂકુળથી માંડીને આધુનિક વિધાધામને પરિચય કરાવ્યું છે. આ ઉપરાંત સમાજશનમાં ભારતમાં નાગપ્રજ, આદિવાસીઓ, રબારી, મેર, વગેરે કેમ પત્ર પ્રદેશની જનનતીઓ આ દેશ કોમને પોતપોતાની વિશિષ્ટ પરંપરાઓ હોય છે આ ઉપરાંત ભારતમાં પ્રદેશવાર થકના રીતરિવારને તેમજ સંસ્કાર, કુટુંબજીવન, લાગથાઓ, કુટુંબ પતિએ વગેરે સમાજ શાસ્ત્રીય અધ્યયનના વિષય છે. આપણે ત્યાંના તહેવારમાં દશેરા અને દિવાળી દેશભરમાં ઉજવાય છે. મુસ્લીમ મહોરમ અને ઝિઆઓ નાતાલના તહેવાર ઉજવે છે. મીજલસો, સગભાએ, આનંદ-ભજન મંડળીઓ એ ભારતીય પ્રજાની આગવી પ્રક્રિાએ છે જેની આ વિભાગમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. રાજકારણના પ્રવાહમાં બારતના રાજદ્વારીપક્ષે, તેમના અભિગમે, રાજકીય નેતાઓ, વર્તમાન ભારતની સમશ્યાઓ અને પ્રગતિ ઉપરાંત ભારતની અનો અને રાષ્ટ્ર સંસ્થામાં શું શું કામગીરી છે તેની રસપ્રદ શૈલીમાં છણાવટ કરવામાં આવી છે. અને છેલ્લે વ્યકિત વિશેષ વિભાગમાં પણ એવા પરિચયે મૂકવામાં આવ્યા છે કે જેઓએ જીવનસંઘર્ષની વિષમ પરિસ્થિતિમાં પશુ આનદ પમાનંદ અને દિવ્યાનંદનું દર્શન કરાવ્યું છે. એવા તેજસ્વી પાની મઘમઘતી સુવાસ અહી ગ્રંથસ્થ થયેલ છે જેમના જીવનવ્યવહારમાં અત્યતાની ઝાંખી, નખશીખ સૌજન્યભર્યો વર્તાવ, આતિથ્ય સત્કારની પરમ વિશ્રત પ્રણાલિકાઓને પૂર્ણ પણે અમલ, અને સત્યાન્વેષની સરાણે ચડેલા કેટલાક કર્મલક્ષીઓ 1 વનસાધનાએ જગતને પ્રાધે ઉંમદા મા એ આ વિભાગની નોંધપાત્ર વિશિષ્ટતા છે. ભારત પણ આજે જે સૌદર્ય, સંસ્કૃતિ અને સમૃદ્ધિ માણી રહ્યું છે તેની ઈમારતના પાયામાં પણ આશાભર્યા કોડભય માનવરત્ન કરમાયા છે. દયાનંદ, શંકરાચાર્ય, વિવેકાનંદ કે મહાત્મા ગાંધી તેનું ઉદાહરણ છે. અવતારી પુરૂ, પુરાણના પાત્ર, અંતે, ન મુનિવર્યો, કંપ્રદાયસ્થાપકે, આચાર્યો, ધર્મધુરધરે, સમાજસેવા કે, દાનવીરે, ગીતકાર, આગેવાન વ્યાપારીઓ અને જે તે ક્ષેત્રની વિશિષ્ટ વ્યકિતઓનો પરિચય અમારી સૂક્તિ પ્રમાણે અપાયો છે. સાહિત્યસૌરભ પ્રસરાવતી કેટલીક તેજસ્વી જીવનકવનની પુષ્પપાંખડીઓ અને સંસ્કારીતાનું અનુપમ ચિત્ર ઉપસાવતી જીવનરેખાઓ આલેખાઈ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy