________________
બાપુ મોરારિદાસ હરિયાણી
|| રામ ||
“બૃહદ ગુજરાત પ્રતિભા દર્શન” ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે જાણીને પ્રસન્નતા થઈ. સમાજમાં બીજાને પ્રભાવિત કરવા સહેલા છે. પરંતુ સૌને પ્રકાશિત કરવા એ કઠીન કાર્ય છે. સદ્ભાગ્યે આપણાં ગુજરાતની વિવિધક્ષેત્રની વિભૂતિઓએ પ્રભાવિત કરવાને બદલે સોને પ્રકાશિત કરવાનું પ્રભુ કાર્ય કર્યું છે એ આપણા માટે ગૌરવનો વિષય છે. આવી વિશેષ વ્યક્તિઓનો પરિચય અને પહેચાન સૌને વિશેષરૂપે મળે એ માટેનું આપનું આ શુભ કાર્ય અભિનંદનને પાત્ર છે. મારી પ્રભુ પ્રાર્થના અને શુભકામના. રામ સ્મરણ સાથે
ચિત્રકૂટધામ
તલગાજરડા
(તાલુકો મહુવા, જિ. ભાવનગર)
Jain Education International
મોરારિદાસ હરિયાણી
તા. ૨૮-૨-૨૦૦૩
SWAMI SACHCHIDANAND
DATE 14-2-2003
ભાઈશ્રી નંદલાલજી શ્રી અરિહંત પ્રકાશન
૨૨૩૭-બી-૧ ‘પદ્માલય’” હીલ ડ્રાઈવ સરકીટહાઉસ પાસે, પોર્ટ કોલોની પાછળ વાઘાવાડી રોડ, ભાવનગર-૩૬૪૦૦૨ સપ્રેમ હરિસ્મરણ
આપનો પત્ર મળ્યો.
શ્રી અરિહંત પ્રકાશન દ્વારા ગુજરાતની વિશિષ્ટ પ્રતિભાઓનો પરિચયકોશ પ્રગટ થઈ રહ્યો છે તે જાણીને ખૂબ આનંદ થયો. ખરેખર લોકોને વિશિષ્ટ પ્રતિભાઓની સામાન્ય જાણકારી આપવી જરૂરી છે. તે માટે પ્રકાશનને ખૂબ ખૂબ ધન્યવાદ.
– સચ્ચિદાનંદ
For Private & Personal Use Only
BHAKTINIKETAN ASHRAM P. B. NO 19, PETLAD-388450 (GUJ) INDIA PHONE (02697) 22480
www.jainelibrary.org