SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ અજાયબી : શ્રી ગૌતમસ્વામીને પ્રભુ મહાવીરનાં ગુરુવિયોગની વેદનામાંથી જ જીવનનો નવો રાહ મvયો. રાગદ્રષ્ટિનો પર હતા, આમસિદ્ધિનું અમૃત પ્રગટ ચયું અને જીવનમાં કેવળજ્ઞાાનનો દિવ્ય પ્રકાશ વ્યાપી ગયો. ઉપદેશ આપ્યો હતો અને તે જ સિંહ મૃત્યુ પામી જ્યારે ખેડૂત બન્યો ત્યારે આપની મિષ્ટભાષા અને બોધપ્રદ શૈલીથી દીક્ષિત થયો હતો જ્યારે વાસુદેવના જીવ આપના ગુરુ ભગવાન મહાવીર ઉપર દ્વેષ ધારી દીક્ષા ત્યજી દઈ સંસારમાં પાછો વળ્યો હતો, તે ઘટના સાક્ષી આપે છે કે આપ પૂર્વભવોથી ઉપશમભાવી શાંતદાંત હતા, તેથી જ અંતિમ ભવમાં અનેક જીવો આકર્ષાઈને દીક્ષિત થયા અને તીર્થકર ભગવંત કરતાંય આપ પાસે શિષ્ય સંપદા ચારગણી અધિક હતી. આપશ્રીના પ્રચંડ પુણ્યની કોઈકને તો ઈષ્ય જ થાય, છતાંય વીતરાગી પ્રભુની પ્રમોદ ભાવનાના પ્રભાવે સૌ આજે પણ બોલે છે “શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર''. (૯) આ પણ કેવી અનુપમ વાત કે હે ગણધર શ્રેષ્ઠ ગૌતમ ભગવંત! આપશ્રીની પાસે જે જે પણ દીક્ષા લે તે શિષ્યો આપ જેવા સમર્થ ગુરુની કૃપાથી કેવળજ્ઞાન વરી જાય, સવાયા બની જાય અને બધાયને દીક્ષા, ભિક્ષા અને કૈવલ્ય જ્ઞાન શિક્ષા આપ્યા પછી સાવ છેલ્લે ભગવાનના નિર્વાણ પછી જ મુક્તિપુરીની સફર માટે કેવળી બની વિચરણ કરો છો. સાલમહાસાલ-ગાગલી તથા માત-પિતા એમ પાંચ સંયમીઓને પૃષ્ટ ચંપાનગરીથી પાછા પ્રભુ પાસે ચંપાનગરી તરફ જતાં ફક્ત આપશ્રીના પ્રભાવે અને આપશ્રીના સંયમાનુકૂળ વર્તનથી અહોભાવ અને ભાવશુદ્ધિમાં ક્ષપકશ્રેણી લાગતાં ચાલતાંચાલતાં જ કેવળજ્ઞાન થઈ ગયું અને સમવસરણમાં જ્યારે કેવળીની પર્ષદામાં બેઠેલા તેમને જતાં અટકાવ્યા ત્યારે ભગવંતના કહેવાથી પોતાના જ શિષ્ય-પ્રશિષ્ય જેવા કેવળીઓને મિચ્છામિ દુક્કડમ આપી ખમાવ્યા. ગુરુપદથી શિષ્યને ખમાવવાની ઘટના સોની આંખો ભીની કરી દે એવી છે. (૧૦) હે ગોયમ સ્વામી! જન્મ જૈન તો જૈની દીક્ષા આપની પાસે લે તે સ્વાભાવિક ગણાય, પણ કૌડિન્ય-દત્ત અને સેવાલ જેવા ૧૫૦૦ તપસ્વી તાપસો આપની ગગનગામિની વિદ્યા, સૂર્યનાં કિરણો ગ્રહી અષ્ટાપદજીની યાત્રા તથા સ્થૂળકાય છતાંય સ્કૂર્તિ વગેરેથી અંજાઈ આપના શિષ્યો બની જાય, પાછી દેવતાઈ વસ્ત્રોથી દીક્ષા આપ્યા પછી ભિક્ષાનો પ્રબંધ કરવા પણ શિષ્યો માટે આપ જેવા ગુરુ જાય અને થોડી-સી ખીરને અક્ષણમહાનસી લબ્ધિથી પંદરસોનાં પાત્ર અને પેટ ભરી પીરસનારા આપ જેવા લબ્ધિવંતનો સત્સંગ પામનારા કૈવલ્યલબ્ધિવાન બની ગયા હતા. તે પ્રસંગ તો અન્ય કોઈ ગણધર કે તીર્થકર ભગવંતના જીવનમાં પણ બન્યો જોવા નથી મુજને મેલો રે ટળવળનો બં રે, વળી કોમ આંતુ વાલા*: , મૌતમ કહી કોણ ખોવાપરો છે, કોણ કરશે જો સાર છે શિવાનંદાના શ્રાવક આનંદને ઉગ્રતપ-ત્યાગ પ્રભાવે ગૃહસ્થાવસ્થામાં વિશિષ્ટ ક્ષેત્રો સુધીનું અવધિજ્ઞાન ઉત્પન્ન થવું અને શારીરિક અશક્તિને કારણે સંથારામાં બેઠાં આરાધના કરવી તેવું સુણી જાણી આપશ્રી ગણધર ભગવંત છતાંય જ્ઞાનબહુમાનાર્થે તેમના ઘેર ગયા. ત્યાં તત્ત્વચર્ચા કરતાં અવધિજ્ઞાનના ક્ષેત્ર સંબંધી અલના થઈ, છતાંય પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યા વગર સીધા જ આપે તો ભગવાન પાસે પધારી શંકાનું સમાધાન માંગ્યું, પ્રભુની આજ્ઞા થતાં જ માનવિજેતા આપ તો શ્રાવકની આશાતના ટાળવા સાધુપદે છતાંય ફરી આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડમ આનંદપૂર્વક આપવા ગયા અને જૈનશાસનના ઇતિહાસમાં જ્ઞાનનું બહુમાન હોવું ઘટે તેનું જીવતું ઉદાહરણ પીરસી દીધું. ધન્ય છે લઘુતાભાવને! (૮) ભગવાનના ૧૮મા ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં તેમના રથના સારથી બનેલા આપશ્રીએ વાસુદેવના હાથે મરી રહેલ સિંહની વેદના દૂર કરવા સૌમ્ય ભાષામાં તેને મરણાંત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy