SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યોગક્ષેમ કાજે જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનારા પ્રખર–પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ આર્યાવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યોગક્ષેમ કાજે શ્રી જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનાર પ્રખર અને પ્રસિદ્ધ પ્રવચનકાર તથા સમર્થ લેખક પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૦ના ફાગણ સુદ પાંચમે મુંબઈમાં શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન રાધનપુર. પિતાનું નામ કાંતિલાલ પ્રતાપશી, માતાનું નામ સુભદ્રાદેવી અને તેમનું જન્મનામ ઇન્દ્રવદન હતું. રાયબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના તેઓ ભત્રીજા હતા. સોનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લખોટીએ રમતા બાલ ઇન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતાં સુખ-સાહ્યબીનો ત્યાગ કરી કઠિન એવા ત્યાગમાર્ગે સંચરશે એવી કલ્પના કોને હોય! પણ કોઈ શુભ ઘડીએ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો અને ઇન્દ્રવદનનો જગજગ જનો વિરાગ જાગી ઊઠ્યો. ૧૧/૧૨ વર્ષની વયે ઇન્દ્રવદને પિતાજી સમક્ષ પોતાની સંયમભાવના દર્શાવી, પણ મોહવશ પિતાજી રજા આપવા તૈયાર ન થયા તે ન જ થયા. ઇન્દ્રવદનનું મનોમંથન વધતું ચાલ્યું. તેમાં ભાગ્યજોગે પૂ. આ. શ્રી વિજયપ્રેમસુરીશ્વરજી મહારાજની પધરામણી મુંબઈમાં થઈ. આ અરસામાં તેમના પિતાજીનું અવસાન થયું હતું, પણ શિરછત્ર સમા કાકા જીવાભાઈની રજા મળવી પણ આસાન વાત ન હતી. એમની ધાક એવી કે ઇન્દ્રવદન એમની સામે બેસીને એક અક્ષર પણ બોલી ન શકે. આવી સ્થિતિમાં એમણે એક નવો રાહ અપનાવ્યો. રોજ સાંજે જીવાભાઈના ટેબલ પર પોતાની સંયમભાવના વ્યક્ત કરતો ૧૫-૨૦ પાનાંનો પત્ર લખીને મૂકી જાય. ધીરે ધીરે જીવાભાઈને ય ખ્યાલ આવ્યો કે ઇન્દ્રવદન સંસારમાં પડે એવો આત્મા નથી. આમ છતાં એની ભાવનાને પાછી ઠેલવાની મુરાદપૂર્વક તેમણે ઇન્દ્રવદનને કહ્યું કે, “તું મેટ્રિક પાસ થઈ જા, પછી તને દીક્ષા માટે રજા આપું”. ઈન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જીવાભાઈએ બીજી પણ અનેક શરતો મૂકી અને એ બધી શરતોમાં પણ ઇન્દ્રવદન ઉત્તીર્ણ થયા. ૬૧૩ ઇન્દ્રવદનની તીવ્ર અને દઢ દીક્ષાભાવના સૌને સ્પર્શી ગઈ. દીક્ષાનો નિર્ણય નિશ્ચિત બની ગયો. મુહૂર્ત નક્કી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. ૨૦૦૮ના વૈશાખ વદ ૬-ના શુભ દિવસે મુંબઈ–ભાયખલાના વિશાળ પટાંગણમાં અઢાર વર્ષની ઉંમરે ઇન્દ્રવદને દીક્ષા અંગીકાર કરતાં, તેમને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી નામે જાહેર કર્યા. પૂ. મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ દીક્ષા પછીનાં થોડા જ વર્ષોમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનપ્રાપ્તિની સતત ઉપાસના સાથે ખૂબ ખ્યાતિ પામ્યા અને એમાં આજે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. પૂજ્યશ્રીની મેધા અને પ્રજ્ઞા અદ્ભુત છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય આદિ સમગ્ર વિષયોમાં તેઓશ્રી પારંગત છે. વ્યાખ્યાનકાર તરીકે તેઓશ્રીની નામના જૈન સમાજમાં અજોડ ગણાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીનો જાદુ યુવાનવર્ગ ઉપર તો અદ્ભુત છવાયો છે. રામાયણ અને મહાભારત ઉપરનાં પૂજ્યશ્રીનાં જાહેર પ્રવચનોએ જૈનેતરોને પણ મુગ્ધ બનાવ્યાં છે. પૂજ્યશ્રીની વાણીમાં તેમ જ કલમમાં પણ અદ્ભુત સામર્થ્ય છે. આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે અને જૈનશાસનના યોગક્ષેમ કાજે તેઓશ્રીની વાણી અને કલમ સદા વહેતી રહી છે. તેના પરિણામસ્વરૂપ, નવયુવાનોનું ઘડતર, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, વર્ધમાન સંસ્કૃતિધામ, તપોવન સંસ્કારધામ વગેરે સ્થાયી કાર્યો તેમ જ તીર્થોની રક્ષા, વિપુલ સાહિત્યસર્જન, સાધર્મિકોનું ઉત્થાન, જીવદયા આદિનાં કાર્યો અદ્ભુત રીતે થયાં છે. ખરેખર, પ્રવર્તમાન શ્રમણ સમુદાયમાં પૂજ્યશ્રી એક તેજસ્વી રત્ન છે. માનવીય ધરાતલ પર દૈવી વ્યક્તિત્વના સ્વામી, સાગર સમાન ગંભીર, ગુણસાગર, જિનશાસનઉદ્ધારક, માલવભૂષણ, તપસમ્રાટ, વર્ધમાન તપોનિષ્ઠ, આચાર્ય ભગવંત શ્રીમદ્ નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. જન્મ : વિક્રમ સંવત ૧૯૯૯, ચૈત્ર વદિ ત્રીજ જન્મસ્થાન : રાજગઢ ધાર (મ.પ્ર.) જન્મ નામ-શ્રી રતનકુમાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy