SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ વિશ્વ અજાયબી : જોડાયા હતા. અમદાવાદ-ગાંધીનગર સ્થિત તમામ રાજદ્વારી નેતાઓ અંતિમદર્શન અને શ્રદ્ધાંજલિ આપવા આવી ચૂક્યા હતા પૂજ્યશ્રીના સ્વર્ગવાસના સમાચારની નોંધ દરેક દૈનિક પત્રકારોએ પ્રથમ પેજ પર ફોટા છાપવા સાથે સ્વયંભૂ રીતે લઈ એમને વિશ્વસ્તરીય વ્યક્તિ તરીકે નવાજી હતી. આવા લોખંડી વ્યક્તિત્વના સ્વામી સિદ્ધાંતનિષ્ઠ સૂરિદેવને ભાવપૂર્ણ વંદનાવલિ. એ સૂરિવરને કોટિ કોટિ વંદનાઓ. વખતે આ મહાપુરુષે મનોમન નિર્ણય કરેલ કે–મારે દીક્ષામાર્ગને એવો સુલભ બનાવવો છે કે નાના બાળકોથી માંડી યુવાનો પ્રૌઢો વૃદ્ધો, લાખોપતિઓ, અબજોપતિઓ સહુ કોઈ જાહેરમાં ધામધૂમથી દીક્ષા લઈ શકે, અને પૂજ્યશ્રીએ દીક્ષા બાદ પોતાની પ્રવચનધારા દ્વારા એવો દીક્ષાનો ડંકો વગાડ્યો કે–બાળકો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોની જાહેરમાં ધામધૂમથી દિક્ષા થવા માંડી. આશ્ચર્યની વાત એ છે કે પૂજ્યશ્રીને પોતાને ખાનગીમાં દીક્ષા લેવી પડી હતી જ્યારે પૂજ્યશ્રીના અંતિમ યુવાશિષ્ય અતુલભાઈ ઝવેરી જેઓ અબજોપતિ બાપના નબીરા હતા–જેઓના વરઘોડા પરદેશમાં પણ હીરાના વેપારીઓએ કાઢ્યા હતા તેમની દીક્ષા અમદાવાદ-નવરંગપુરા ખાતે સ્ટેડિયમમાં લાખ્ખો માણસોની મેદની વચ્ચે થઈ હતી અને એ વખતે સમસ્ત અમદાવાદના એક લાખ કરતા વધુ જૈન-જૈનેતરોને તેમના કુટુંબીઓએ નીચે બેસાડીને બહુમાનપૂર્વક ભોજન કરાવી બુફે પદ્ધતિથી સાચી સાધર્મિક ભક્તિ ન થાય તેનો એક આદર્શ ઊભો કરી દીધો હતો. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ અમદાવાદ સાબરમતી પુખરાજ રાયચંદ આરાધનાભવન ખાતે નિર્ણિત થયું હતું. ચાતુર્માસ પ્રવેશ સમયે એટલી બધી ભાવિકોની ભીડ જામી હતી કે ખુદ પૂજ્યશ્રી પ્રવચનમંડપમાં જઈ શક્યા ન હતા ને પ્રથમ પ્રવચન શિષ્યોને કરવું પડ્યું હતું. પ્રવેશ બાદ પૂજ્યશ્રીનું સ્વાથ્ય બગડતાં પૂજ્યને ડોલીમાં બેસાડી પોલડી ખાતે દર્શન બંગલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પૂજ્યશ્રીને ટ્રીટમેન્ટ અપાતી હતી. ટ્રીટમેન્ટ દરમ્યાન તેઓશ્રીને પોતાનો અંતિમ સમય નજીક જણાતા આહાર-પાણી તથા દવાનો સંપૂર્ણ ત્યાગ કરી સાગારિક અણશન સ્વીકારી લીધું હતું. આ સમાચાર ભારતભરમાં પહોંચતાં હજારો ભક્તો અંતિમદર્શન માટે ત્યાં હાજર થઈ ગયા હતા અને બરાબર વિ.સં. ૨૦૪૭ અષાઢ વદ-૧૪ના સવારે ૧૦ વાગે સેંકડો સાધુ-સાધ્વી અને હજારો શ્રાવક-શ્રાવકાની ઉપસ્થિતિમાં “અરિહંત-અરિહંત'ના ઉચ્ચાર સાથે પૂજ્યશ્રીએ દેહ છોડ્યો હતો. પૂજ્યશ્રીની નવશિખરવાળી પાલખી સાથેની અંતિમયાત્રા અષાઢ વદ ૦))ના દર્શન બંગલેથી નવ વાગે નીકળી અમદાવાદના રાજમાર્ગો પર પસાર થઈ ૨૫ કિ.મી.નો રજમાર્ગ કાપી સાંજના ૬ વાગે સાબરમતી રામનગરના અગ્નિ સંસ્કારસ્થળે પહોંચી હતી અને બરાબર સૂર્યાસ્ત સમયે એક કરોડ અગ્યાર લાખની બોલી બોલવાપૂર્વક ભક્તોએ પૂજ્યશ્રીના દેહને અગ્નિદાહ દીધો હતો. પૂજ્યશ્રીના અંતિમ દર્શનમાં અને સ્મશાનયાત્રામાં બે લાખથી વધુ લોકો શ્રી આત્મ-કમલ-વીર-દાન-પ્રેમસૂરિજીના પટ્ટધર, પ્રભાવક, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, સકળસંઘહિતૈષી, અનેકાંતદક્ષ, પ્રભાવક પ્રવચનકાર, શિબિરોના આદ્યપ્રેરક વાચનાદાતા, ભાવાચાર્ય, | સુવિશાળગચ્છાધિપતિ સ્વ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જન્મ શતાબ્દી વર્ષ સં. ૧૯૬૭ થી સં. ૨૦૬૭ વર્ષ વીસમી સદીના જિનશાસનના ગનનમાં સૂર્યની જેવું ચમકતું અને ચળકતું વ્યક્તિત્વ હતું, પ.પૂ. સકલસિંઘહિતચિંતક શાસન સેવાના અનેક કાર્યોના આદ્ય પ્રણેતા, તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું. સૂર્ય જેમ પોતાના પ્રકાશથી ગગનમંડલને દેદિપ્યમાન બનાવી અંધકાર અને ક્ષુદ્રજંતુઓથી રહિત બનાવી દે છે તેમ પોતાની ભક્તિ-વિરક્તિ અને બુદ્ધિથી સમગ્ર જિનશાસનની કાયાપલટ કરી દેનાર, હજારો જીવોને અજ્ઞાનનું અંધારું અને મિથ્યાત્વ-મોહાદિરૂપ શુદ્ર જંતુઓને દૂર કરી આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિના સોપાનો ચડાવનાર ચોથા આરાની વાનગીસમાં પૂજ્યશ્રી સ્વનામને સાર્થક કરતા હતા. એક કવિએ એક જગ્યાએ લખ્યું છે કે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy