________________
૯૪૪ ]
[ જેને પ્રતિભાદર્શન
કે તેમના ભાગ્યનું છે. ભલે લઈ જાય. મારે કાઢવાં નથી. માંગનારને નવું ખમીશ ને સોનાનાં બટનની તો આશા જ ક્યાંથી હોય? પણ સ્વાભાવિક ઉદારતાના ગુણ કેવાં અભૂત કામો કરાવે છે! હે આત્માર્થીઓ! તમે એટલું નક્કી કરો કે જરૂરતમંદને આપવું તો ખરું. પણ ત્યારે કે પછી તે પાછું તો ન જ લેવું. પાછું લેવું એટલે મેળવેલ પથ્યને લાત મારીને ભગાડી દેવ, આવું કામ ડાહ્યો માણસ ન કરે.
( પાઠશાળાના પંડિત બનો ) એક મહારાષ્ટ્રનો નાનો છોકરો મહારાજશ્રી પાસે જતો-આવતો. તે મરાઠી અજૈન હતો, છતાં પૂર્વના સંસ્કારથી જતો હતો. એક મહારાજ સાહેબ સાથે પરિચય થયો. તેમની સલાહ મળવાથી તે તપોવન સંસ્કૃત પાઠશાળામાં જોડાયો. બે વર્ષમાં તેની બહુમુખી પ્રતિભા વધી જતાં તે પાઠશાળામાં શિક્ષક તરીકે જોડાયો. ચાર કર્મગ્રંથ સુધી ભણીને તૈયાર થયેલો. વિદ્યાર્થી પંડિત બનીને હવે મહારાષ્ટ્રના એક શહેરમાં જૈન પાઠશાળા દ્વારા જૈનશાસનની પ્રભાવના કરે છે. પોતે ઉકાળેલું પાણી, રાત્રિભોજન-ત્યાગ તથા અષ્ટપ્રકારી જિનપૂજા રોજ ખૂબ જ ઉલ્લાસભેર કરે છે. જૈનો પણ આવી રીતે તૈયાર થાય તો ખૂબ જ ફાયદો પાઠશાળાને થાય. ધાર્મિક જાણવાની ઇચ્છા કેળવીને પાઠશાળાના પંડિત બનવું શ્રેષ્ઠ છે. નિષ્પાપ જીવન જીવવા માટે આ ક્ષેત્રમાં ઝંપલાવવા જેવું છે.
( પૂજા-પૂજનો વિનામૂલ્ય ભણાવનાર શ્રાવક ધન્ય છે એમની ધર્મભાવનાને. ગુજરાતના એ રમેશભાઈ વર્ષોથી પૂજા-પૂજન ભણાવવા જાય છે, પણ માત્ર ભક્તિભાવથી. ચાર્જ કાંઈ નહીં. કોઈ ભેટ આપે તો તેની પણ સ્પષ્ટ ના! એકવાર પૂજા ભણાવવા ગયેલા. તેઓને ખબર પડી કે આ રમેશભાઈ આર્થિક મુશ્કેલીમાં છે. આથી ભેટનો અતિ આગ્રહ કર્યો છતાં ના જ લીધી. ત્યારે કહ્યું કે બાળકોને માટે દૂધ લેવા પૈસા પણ નથી તો શા માટે સ્વીકારતા નથી? તેમણે કહ્યું કે “મારે ધર્મ વેચવો નથી. હું નહીં લઉં.” આમ વર્ષો સુધી ઘણી મુશ્કેલી વેઠી પણ પૂજા-પૂજનોમાં એક પાઈ પણ ન લીધી! આ બધું સાંભળી તેમના મહારાજે કહ્યું : “આટલી બધી તકલીફ છે, તો બીજાની જેમ વધુ ચાર્જ ન લો પણ થોડો ચાર્જ લો. કુટુંબને રાહત થઈ જાય.” છતાં ન જ માન્યા. કેવો ઊંચો ભાવ! કેવી સહન કરવાની વૃત્તિ!
આવા બીજા પણ હિરાભાઈ વગેરે ભક્તિરાગી સુશ્રાવકો છે. આવા દષ્ટાંતોથી જૈન ગાયકો અને પૂજા ભણાવનારાઓએ કશું ન લેવાનો નિર્ણય કરવા જેવો છે. પૂજન કરાવનાર શ્રાવકો ફળ, નિવેદ્ય વગેરેની ભક્તિના બધા લાભ લે છે, તો તમે મફત ભણાવો. તમારા કંઠ વગેરે પ્રભુભક્તિમાં સફળ કરવાથી કેટલું બધું અનંત પુણ્ય તમને મળશે તે શ્રદ્ધા રાખી લાભ લો. કદાચ ખૂબ આર્થિક મુશ્કેલી હોય તો અલ્પ રકમ લેવી પણ પ્રભુને પ્રાર્થના એવી કરો કે, મારે પાઈ પણ લેવી ન પડે એવો દિવસ જલદી દેખાડ. --પ્રભુ, તારી ભક્તિનો અમૂલ્ય લાભ લેવા ભાગ્યશાળી બને એવી ભાવના સફળ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org