________________
અભિવાદન ગ્રંથ ]
/ ૯૪૧
લાખો રૂપિયા ખર્ચી પાલીતાણા છ'રી પાલિત સંઘ કાઢ્યો. ભવ્ય રથયાત્રા કાઢી. લાખો ખર્ચી ધાર્મિક પુસ્તકો છપાવ્યાં. અંજનશલાકાથી અનુકંપા સુધીનાં અનેક ધર્મકાર્યો કર્યાં.
વ્યાખ્યાનથી આત્મહિતની ભાવના થઈ. ઘણાં પાપ, અનાર્યદેશ, પાપરુચિ વગેરે આત્મ-મલ દૂર કર્યા અને અનેક ધર્મકાર્યો કરી અનેક ભવમાં ધર્મ, સુખશાંતિ વગેરે રિઝર્વ કર્યા. આ બધો પ્રભાવ ધર્મશ્રવણનો જ ને? મહામહિમાવંતા વ્યાખ્યાનનું શ્રવણ તમે પણ સદા કરો. શુભ આલંબનનો સુંદર પ્રભાવ સમજી તમે પણ વ્યાખ્યાન-શ્રવણ વગેરે ધર્મ કરો એ જ હિતશિક્ષા.
(ધર્મપ્રભાવ જાણી ધર્મ વધારો ) એક નાના માણસની સામાન્ય પ્રસંગે મોટાઈ જાણવા જેવી છે. જૈનનગર વગેરેની પાઠશાળામાં રાજુભાઈ ભણાવે છે. પગારના ૮૦૦ રૂપિયા ખીસામાંથી પડી ગયા. મળેલ પ્રામાણિક માણસે પાછા આપ્યા. મેલાં કપડાં વગેરેથી તેની ગરીબી દેખાતી હતી છતાં તેની પ્રમાણિકતા વિચારી રાજુભાઈએ અત્યંત આનંદ પામી બક્ષિસ આપી!
મને રાજુભાઈ કહે, ““સાહેબજી! પેલા સજ્જને પાછા ન આપ્યા હોય તો મારા તો આઠસો ગયા હોત. ધર્મપ્રભાવે પાછા મળ્યા તો મારે ધર્મમાં ખર્ચવા છે. આ જૈન આદર્શ પ્રસંગો’ પુસ્તકોની પાઠશાળામાં બાળકોને પ્રભાવના કરીશ.” મેં કહ્યું, “રાજુભાઈ! તમારી ભાવના સારી છે પરંતુ તે ગુણવાનની જ વધુ કદર કરો. પુસ્તકની પ્રભાવના આ નિમિત્તે કરવાની જરૂર નથી.' રાજુભાઈ કહે, “તે ભાઈને ઘણો આગ્રહ કર્યો પણ તેમણે પરાણે માત્ર રૂપિયા અગિયાર જ લીધા. તેથી જ આ સુંદર પ્રેરક પુસ્તક બાળકો વાંચી ધર્મ વધારે એ ભાવના છે અને ઉત્તમ ભાવ થયા પછી ધર્મ તરત જ કરી લેવો એવી મારી માન્યતા છે. તેમણે ૫૦ પુસ્તકની પ્રભાવના કરી!
હે ભાગ્યશાળીઓ! ગુણીજનની કદર ખાસ કરવી જ જોઈએ જેથી ગુણીના ગુણની સ્થિરતાવૃદ્ધિ કરવાનું પુણ્ય મળે. અને પરિણામે આપણામાં પણ ગુણો આવવા માંડે! સાથે આપત્તિમાંથી બચીએ તો ધર્મ વધુ કરવો જોઈએ. રાજુભાઈની વાત કેટલી બધી અનુકરણીય છે કે ગુમાવેલ પૈસા ધર્મપ્રતાપે પાછા મળ્યા તો મારે થોડા પૈસા ધર્મમાં વાપરવા!!! સૌથી મહત્ત્વની વાત તો એ છે કે શુભ ભાવ જલ્દી આવતા નથી. તો જ્યારે પણ ભાવ આવે કે શીધ્ર તેનો અમલ કરવો જેથી પુણ્ય સફળ થાય.
( ઝગમગતું જિનશાસન લાખ લાખ ધન્યવાદ આ જિનશાસનને કે જેના પ્રભાવે નાનો બાળક પણ આત્મહિતને ઓળખી સ્વ-પરહિત કાજે આચાર્ય બની જાય છે!
પૂજય ભાનુવિજયજી મ. શિબિરમાં અનેકોને તત્ત્વ ને સત્ય સમજાવતા હતા. આરાધનાપ્રેમીઓની આરાધના વધારવા સૌથી વધુ સામાયિક કરનારને ઇનામની જાહેરાત કરાવી. એક બાળકે વિચાર્યું, “આ ઇનામ તો સહેલું છે. સામાયિક તો ઘણી થઈ શકે. શિબિર સિવાય પણ તેણે સામાયિક કરવા માંડી. પૂજ્યશ્રીએ ઉપાશ્રયમાં અજાણ્યા કિશોરને ઘણી સામાયિક કરતો જોઈ પૂછવું. સાધુએ કહ્યું, “આખો દિવસ સામાયિક કર્યા કરે છે.” તેની યોગ્યતા જાણી પૂજ્યશ્રીએ તેને કહ્યું કે તારે વધુ સામાયિક કરવી
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org