SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૩૭ પણ હું ક્યારેક કરાવી શકીશ....” ઘરેણાં લગભગ ૫૦ તોલાનાં હતાં. માતુશ્રી સમજી ગયા. ઘરેણાં સુકૃતોમાં વાપર્યા. ઘણા જૈનો પણ વડીલો મિલકત પોતાને જ આપે એવી ઇચ્છાવાળા હોય છે, જ્યારે આ સાચા ધર્મી સુશ્રાવકે પોતાને સામેથી મળતા દાગીનાનો ત્યાગ કરી માતાજીના આત્માના હિતનો વિચાર ! કેવા નિર્લોભી! પત્નીને દાગીના વિના ચાલે પણ માતાનું અંતિમ સમયે અહિત થાય એ કેમ નભાવાય? આવી શ્રેષ્ઠ ભાવના હતી. (શાસનરાગી સુશ્રાવક) ૨૩ વર્ષ પહેલાં સુશ્રાવક રતિભાઈ જીવણલાલનો શાસનરાગ જોઈ ખૂબ અનુમોદના કરું છું. વઢવાણમાં મારું ચોમાસું હતું. એક દિવસ સવારે અજવાળું થયા પછી પડિલેહણ કરતો હતો. વઢવાણનો ઉપાશ્રય અંધારિયો છે. અંદર અંધારું હોવાથી અજવાળા માટે પડિલેહણ ઉપાશ્રયના દ્વાર પાસે પગથિયે કરતો હતો. એટલામાં તે વંદન કરવા આવ્યા! પડિલેહણ કરતો જોઈ મને પૂછે : “કોણ છો? શું કરો છો?' હું તેમને ઓળખું નહીં. મને થયું કે આ કોઈ પંચાતિયા શ્રાવક હશે. પડિલેહણ કરતાં બોલવું ન હતું. થોડીવારે પાછા આવી મને પૂછ્યું. પછી કહે, “મ.સા.! આવો આચાએમ ઘણા જીવોને લાભ કરે. મારો અનુભવ આપને કહું. એક વાર સ્નેહી સાથે જતો હતો. રસ્તામાં જતાં મ.સા.ને જોઈ સાથેના ભાઈએ વંદન કર્યું. મ.સા.ના ગયા પછી મેં એ ભાઈને પૂછ્યું. “તમે કદી હાથ પણ ન જોડો. અને આમને વંદન કર્યું?' ત્યારે તેમણે આપેલો જવાબ મારા હૈયામાં કોતરાઈ ગયો. જવાબ આ હતો : “રતિભાઈ! તમે જોયું નહીં કે નીચે જોવાપૂર્વક સુસાધુની જેમ વિહાર કરતાં આ મહાત્મા ચાલતા હતા. એમની વિશુદ્ધ સંયમચર્યા જોઈ મને દિલમાં અત્યંત આદર પેદા થઈ ગયો.” આ સાંભળી રતિભાઈને થયું કે આચારોની શિથિલતાથી સાધુથી દૂર ભાગતા આવા ધર્મપ્રેમી આત્માઓને આચારદઢ સાધુઓને જોઈ કેટલો બધો લાભ થાય. તેમને સાંભળી મને પશ્ચાત્તાપ થયો કે મેં આ શાસનરાગી સુશ્રાવકને પંચાતિયા કહ્યા. આ રતિભાઈને શાસન હૈયામાં ઊંડું વસી ગયેલું કે વધુ ને વધુ જીવો શાસનરાગી બને એવું ઈચ્છતા હતા! નાના અને અજાણ્યા એવા મારી પણ એક નાની ક્રિયામાં થોડી વિધિ જોઈ તો તેમને ખૂબ આનંદ થયો! હે કલ્યાણકામી ભવ્યો! તમે પણ કયાંય જિનાજ્ઞાપાલન વગેરે જોઈને આનંદ પામશો તો અનુમોદના વગેરેનો ઘણો લાભ થશે. ( અજેન પણ જૈન આચારમાં અડગ ) વિરમગામ પાસે લગભગ ૧૫ કિ.મી. દૂર દ્ર” નામનું ગામ છે. ત્યાં લાલુભાઈ રહે. બીડીઓનું ભારે વ્યસન. જાતના રજપૂત. એકવાર બીડી પીતા હતા ને પ.પૂ. મહાયશસાગર મ. સાહેબે તેના ત્યાગની પ્રેરણા કરી. હળુકર્મી જીવ. તેથી આત્મહિતની વાત ગમી. સ્વીકારી. પછી અવારનવાર મ.સા.ના દર્શને જાય. તે અજૈન છતાં તેમની યોગ્યતા જોઈ મ.સા. ધર્મની પ્રેરણા કરે. એમ સત્સંગથી નવકારવાળી, સામાયિક, ચોવિહાર, ૬૪ પ્રહરી પૌષધ વગેરે આરાધના કરતા થઈ ગયા. (આ વાંચી તમને તમારા ભારે કર્મીપણાનું દુઃખ થાય છે?) નાના ગામના આ અજૈનને એકવાર એક સાધુ મળ્યા ને આટલી બધી આરાધના કરી. તેમને બારે માસ ને ઘણીવાર વિદ્વાન, વક્તા, સંયમી મહાત્માઓ મળે છે. તમે આરાધના A કેટલી વધારી? ખામી કયાં? ૪, ૬ જણને એક જ સ્કૂટર પર બેસાડી સ્કૂટરનો કસ કાઢનાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy