SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન નીકળ્યો! યુવાનને થયું કે આ ઘરમાં વર્ષોથી રહીએ છીએ, તો ચરુ કયાંથી આવ્યો? ખૂબ ઉદાર ભાવે સંઘનાં પગલાં કરાવ્યાં. પછી પાલીતાણા જઈ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મુનીમને કહે છે કે પૂજાના ચડાવાના પૈસા લો. મુનીમે કહ્યું કે પૈસા ભરાઈ ગયા છે. દંપતીએ કહ્યું કે પૂજા અમે કરી છે, તમારે પૈસા લેવા પડશે. મુનીમે કહ્યું કે સંઘપતિ શેઠ ચૂકવી ગયા છે, હવે નહીં લેવાય. બહેન કહે છે કે પૈસા નહીં લો ત્યાં સુધી અહીંથી ઊઠીશું નહિ અને ખાવું-પીવું બંધ. મુનીમે આગેવાનોને બોલાવ્યા. બેનનો અતિ આગ્રહ જોઈ પૈસા લીધા. પેઢીના ઇતિહાસમાં એક જ ચડાવાના ડબલ પૈસા આ એક જ પ્રસંગે લેવાયા છે. લગભગ ૭૫ વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. બહેનના ઊછળતા શુભ ભાવથી પુણ્ય વધી ગયું. ચરુ મળ્યો અને અનંતા કર્મો ખપાવી દીધાં હશે. ભાગ્યશાળીઓ! તમે પણ પૂજા વગેરે ધર્મ ખૂબ ભાવથી વિધિપૂર્વક કરી ખૂબ જ આત્મહિત સાધો. જીવનભર બ્રહ્મચર્યપાલન વગેરે કઠિન નિયમ આપણે કદાચ ન કરી શકીએ તો પણ આવી રીતે શુભ મનોરથ કરીએ અને આપણી શક્તિ પ્રમાણે મહાન લાભ લઈએ એ જ શુભેચ્છા. (દઢધર્મી સુશ્રાવક) રતિભાઈ જીવણદાસ ધર્મમાં ખૂબ શ્રદ્ધાળુ હતા. તે વઢવાણના હતા. ચુસ્ત શ્રાવક હતા. જિનપૂજા રોજ કરે. તેમને માથાનું ઓપરેશન કરાવવું પડે તેમ હતું. ડોકટરે કહ્યું કે “સંપૂર્ણ આરામ કરવો પડશે.” રતિભાઈ કહે કરીશ, પણ માત્ર પૂજાની છૂટ આપો. ડૉકટર : ““છૂટ ન અપાય. હલનચલનથી ટાંકા તૂટી જાય ને તમને ખૂબ હેરાનગતિ થાય.' રતિભાઈ : “ગમે તે થાય પણ મારા ભગવાનની પૂજા કર્યા વિના મને ! ચેન ન પડે.ડૉકટર પરસ્પર ઇંગ્લિશમાં વાતો કરે છે કે, “આ જિદ્દી છે. વેદિયા છે. આપણે એમને એનેસ્થિસિયા આપીશું, તેથી ઘેનમાં રહેશે ને કાંઈ ઉપાધિ નહીં થાય.” રતિલાલ ધોતિયું પહેરે. તેથી ડોકટરને લાગ્યું કે આમને ઈગ્લિશ આવડતું નહીં હોય. પણ રતિભાઈ ઈગ્લિશ જાણે. ડોકટરની વાત સમજી ગયા. ઓપરેશન વખતે એનેચિસિયા લેવાની ના પાડી દીધી. ડૉકટરે દબાણ કર્યું પણ રતિભાઈ કહે “હું ચૂં કે ચા નહીં કરું. બધી વેદના સહન કરીશ.” ઑપરેશન થયું. બીજે દિવસે નર્સને પૈસાની બક્ષિસ આપી પૂજા માટે રજા માંગી. નર્સે રજા ન આપી. રતિભાઈ પાછલી બારીથી ઊતરવા ગયા. ગભરાઈને નર્સે કોઈને ન કહેવાની શરતે રજા આપી. આમ બીજે દિવસે પૂજા કરી. ડૉકટર કહે “કેમ રતિભાઈ? પૂજા કરી હોત તો કેટલા રિબાત? ધર્મનું ગાંડપણ ન કરવું જોઈએ.” રતિભાઈ કહે : ““ડૉકટર! પૂજા સવારે કરી છે. મારા ભગવાનની પૂજાથી જ બચ્યો છું. ટાંકા પણ તૂટ્યા નથી. પ્રભુકૃપાથી જ બધું સારું થાય. ધર્મ કરવાની કદી કોઈને ના ન પાડવી...” રતિભાઈનું દઢ ધર્મીપણું કેવું અનુમોદનીય! ( ધર્મપ્રેમી આજના સુશ્રાવકો ) આ જ રતિભાઈનો બીજો એક સુંદર પ્રસંગ. એમની સુપુત્રીના લગ્ન હતાં. જાન ઘરે આવવાની હતી. અણધારી આફતથી રસ્તામાં સમય બગડવાથી ઘરે જાન આવી ત્યારે સૂર્યાસ્તની થોડીક જ વાર હતી. રતિભાઈએ વેવાઈ પક્ષને કહ્યું કે “તમે જાણો છો કે રાત્રે હું ખાતો નથી અને કોઈને ખવરાવતો નથી. ચા તૈયાર કરાવી દીધી છે. બધાં ચા-નાસ્તો જલદી કરી લો. રાત્રિભોજનનું પાપ કોઈને પણ હું કરવા નહીં દઉં.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy