SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૧૫ તે વખતે એ મારવાડી ભાઈએ પોતાના મનમાં જ નિર્ણય કર્યો હતો કે જો આ ૩ ક્રોડનું નુકસાન અટકી જશે તો ૧ ક્રોડ રૂપિયા દામજીભાઈને આપીશ. આ નિર્ણયની વાત તેમણે દામજીભાઈને કહી ન હતી. પરંતુ દામજીભાઈની આર્થિક મુશ્કેલીના સમાચાર મળતાં જ એ ભાઈએ સામેથી ફોન કરીને દામજીભાઈને ૧ ક્રોડ રૂપિયા રોકડા આપી દીધા! તેથી તેઓ દેવાદાર તરીકે મટી ગયા અને રૂના મોટા વેપારીઓ દામજીભાઈને ખૂબ જ આદરની દૃષ્ટિથી જોતા થઈ ગયા. દામજીભાઈને તો જાણે અમૃતભોજન મળ્યું હોય તેટલો આનંદ થયો અને તેઓ ઘરે આવીને મહાત્માજીના માર્ગદર્શન મુજબ નિયમિત રીતે રાતના અને વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં કલાકો સુધી નવકાર મહામંત્રની સાધના કરતા રહ્યા. જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે દામજીભાઈને ટેલિફોનની માફક મહાત્માજીનો અવાજ સંભળાય અને દૂર બેઠાં બેઠાં પણ તેઓ પોતાના શિષ્યની સંભાળ રાખતા રહ્યા છે. નવકાર મહામંત્રનો શુદ્ધ ઉચ્ચાર કરવા ઉપર તેઓ ખૂબ જ ભાર મૂકે છે. શુદ્ધ તથા અશુદ્ધ ઉચ્ચાર કરવાથી વિશ્વના પાંચ મહાભૂત (પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ) ઉપર તેની કેવી અલગ અલગ અસર થાય છે તે તેમણે વિદેશના વૈજ્ઞાનિકોના સહયોગથી પ્રયોગ કરીને સાબિત કર્યું છે. * સિદ્ધચક્ર મહાપૂજનના અજોડ વિધિકાર શ્રાદ્ધવર્ય શ્રી હીરાલાલભાઈ શાહ :– આજે નવાં નવાં પૂજનો ઘણાં ભણાવાય છે પરંતુ પ્રાચીનકાળમાં મુખ્યત્વે સિદ્ધચક્ર મહાપૂજન તેમ જ શાંતિસ્નાત્ર જ ભણાવવામાં આવતાં. વિવિધ પૂજન ભણાવનાર વિધિકારો પણ આજે અનેક છે, પરંતુ જેમનું સિદ્ધચક્ર મહાપૂજન એકવાર ધ્યાનપૂર્વક જોયા-સાંભળ્યા પછી જિંદગીભર યાદ રહી જાય એવા સિદ્ધચક્ર મહાપૂજનના અજોડ વિધિકાર શ્રાદ્ધવર્ય શ્રી હીરાલાલભાઈ મણિલાલભાઈ શાહ (ઉં. વ. ૭૦ લગભગ) પણ નવકાર, સામાયિક અને મૈત્રીભાવનાના મહિમાને જૈન સંઘમાં ગુંજતો કરનાર પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના એક વિશિષ્ટ કૃપાપાત્ર સુશ્રાવક છે. - દરરોજ સિદ્ધિચક્ર પૂજન કરનાર, વર્ષોથી ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચખાણ કરનાર, ચારેક વિગઈના પ્રાય: ત્યાગી, શ્રીમંત હોવા છતાં સાદગીપ્રિય, ઉભય ટંક પ્રતિક્રમણ આદિ શ્રાવકાચારોનું ચીવટ પૂર્વક પાલન કરનાર એવા તેઓ વર્ષોથી અમદાવાદમાં ગિરધરનગર જે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘના પ્રમુખ તરીકે સંઘનો વહીવટ ખૂબ જ કુનેહપૂર્વક કરી રહ્યા છે. “જિનભક્તિ અને જીવમૈત્રી આ બે સંસારસાગરને તરવા માટેનાં અજોડ તુંબડાં છે.” આ તેમના વાર્તાલાપનો તેમ જ આચરણનો મુખ્ય વિષય છે. ગચ્છ કે સમુદાયના ભેદભાવ વિના તેઓ દરેક સાધુ-સાધ્વીજી ભગવંતોની સુંદર ભક્તિ કરે છે. તેમના વિશિષ્ટ નેતૃત્વ હેઠળ શ્રી ગિરધરનગર સંઘમાં ખૂબ જ ઐક્યભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy