________________
૮૭૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
:
સમારંભ * સેંકડો સાધુ-સાધ્વીજીની ઉપસ્થિતિ * કયારેય ભૂલી ન શકાય એવો અને વાગોળીએ એટલો વધુ ને વધુ આનંદ આપે એવો પ્રભાવક પ્રસંગ શાસનના પાને જ નહિ હજારોનાં હૈયાંમાં ગૂંથાઈ ગયો.
દીક્ષા પ્રસંગનો પમરાટ મુલુન્ડમાં આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. પાસે રોહિતભાઈની દીક્ષા હતી. તે સમયે (સં. ૨૦૪૯માં) તેમના પિતાશ્રીએ ઝૂંપડપટ્ટીમાં ખૂબ દાન કર્યું. આજે પણ તે ઝૂંપડપટ્ટીવાસીઓ દીક્ષા પ્રસંગને યાદ કરી પૂછે છે “વો રોહિતભાઈ કહા હૈ? કૈસે હૈ?'
આજના કાળે જૈનેતરોના હૈયામાં જૈનધર્મ પ્રત્યે બહુમાનભાવ જાગે તે અત્યંત જરૂરી છે. સંઘના કે વ્યક્તિગત ધાર્મિક પ્રસંગોએ જૈનેતરોમાં દાન-પુન્ય કરી તેના અંતરને આવર્જિત કરવાનું ચૂકવા જેવું નથી.
જૈનેતરોના પેટમાં બે દાણા જવા જરૂરી છે, જેનાથી તેઓની આંતરડી ઠરશે. ધર્મ પ્રત્યે અનુરાગવાળા થશે અને તેઓ જ ધર્મની રક્ષા પણ કરશે.
( રજનીનો ઊજાસ ) જે ઉદાર અને ઉદાત્ત ભાવનાથી રજનીભાઈ દેવડીએ અને શાંતિચંદ બાલુભાઈ ઝવેરીએ ગિરિરાજના
ઐતિહાસિક અભિષેક કરાવ્યા તેની યાદ લોકહૃદયમાંથી ક્યારેય ભુસાશે નહિ. આદીશ્વરદાદા પ્રત્યે રજનીભાઈનો એટલો અનહદ ભક્તિભાવ હતો કે ન પૂછો વાત!
દાદાનાં શિખરોને સોનાથી મઢી દેવાની ઇચ્છા હતી. આદીશ્વરદાદાના દર્શન કરતા તેમની આંખમાંથી અનરાધાર-અશ્રુધારા સહજ વહેવા લાગતી. આ દશ્ય જોનાર આ. પ્રદ્યુમ્નસૂરિ મ. સા. કહે, દાદાને જોયા કરીએ કે દેવડી ને? એ જ સમજાતું ન હતું'.
પાલીતાણાના ઘોડાગાડીવાળા અને ડોળીવાળા જેવા પણ આજે કહી રહ્યા છે : “દેવડી જેવો દાનવીર બચ્ચો આજ સુધી નથી જોયો.” શું ઉમદા ભાવના હશે કે શાસનનું આવું નક્કર શાસન પ્રભાવક કાર્ય કરી શક્યા.
આપણે ધંધામાં ખોટ જતાં ખૂબ રડ્યા. સ્વજનના મોત સમયે ખૂબ રડ્યા. અસાધ્ય રોગની પીડામાં ખૂબ રડ્યા. દુઃખ-ત્રાસ ને યાતનામાં ખૂબ રડ્યા, પણ પ્રભુનાં દર્શન કરતાં ક્યારેય આંખ ભીની થઈ ખરી? પ્રભુના વિરહ પાછળ ક્યારેય આંસુ પડ્યાં છે? પ્રભુના દર્શનથી જેની આંખો ભીની થાય તેવા પ્રભુભક્તને ક્યાંય રડવાનો વખત આવતો નથી.
( અહો! ઔદાર્ય ) પૂ. ભાનુવિજયજીના શિષ્ય પદ્મવિજયજીને કેન્સર હતું. કોઈક વૈદ્યરાજે હીરાની ભસ્મમાં દવા લેવા જણાવ્યું. તે વખતે પાંત્રીસેક વર્ષ પૂર્વે જરૂરી ભસ્મની કિંમત ૬0,000 રૂપિયાની હતી.
જીવતલાલ પ્રતાપસીભાઈને ખબર પડતાં તેઓ આ.શ્રી પ્રેમસૂરિ મ. સા.ને કહે, “આપ ચિંતા ન [ કરતા. હીરાની ભસ્મનો બધો લાભ મને આપજો. પદ્મવિજયજીને કેન્સરમાં રાહત થતી હોય તો એ કાંઈ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org