SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૭૩ હાજરી આપી નથી. લગ્નના દિવસે આયંબિલ કરવાનું, ઘરે બેસી સાત-આઠ સામાયિક કરવાનાં. લગ્નમાં જવાથી રાગ-દ્વેષ વધે. સંસારનાં પાપોની અનુમોદના થાય. દીકરાઓ સંસાર વધારે તેમાં આનંદ પામવાનુ? દીક્ષા લીધી હોત તો રાજી થાત. પણ એટલી પુણ્યાઈ ઓછી. દીકરાઓ સંસારની ઊંડી ખાઈમાં પડે, એના જેવો રોવાનો બીજો પ્રસંગ કયો હોય? જોઈ! આત્માર્થી શ્રાવિકાની પરમોચ્ચ તત્ત્વદૃષ્ટિ! સગા દીકરાના લગ્નમાં ગેરહાજરી. લગ્ન તો સંસાર વધારનારી પ્રક્રિયા છે. તેની અનુમોદના ન થાય. નિકટના સ્નેહીજનોના લગ્નમાં જવું પડે તોય રડતા હૃદયે જવાય. રાજીખુશીથી રાચીમાચીને તો નહિ જ. અન્યથા તે કપલ જીવનભર જે પાપો કરે તેનો વગર ફોગટનો ચાંદલો હાજરી આપવા માત્રથી આપણા કપાળે ચોંટી જાય. ( સાધર્મિક પ્રેમ એ જ પ્રભુપ્રેમ ) સં. ૨૦૪૨માં ઘાટકોપરમાં ચાતુર્માસ હતું. એક સુશ્રાવિકાએ રથમાં બેસવાનો ચઢાવો રૂપિયા ૧૦,000માં લીધો. લાભ મળ્યાના આનંદ સાથે બેન ઉપર આવીને કહે, “મ. સા.! રથમાં બેસવાનો ચઢાવો બોલી છું. લાભ મળ્યો છે. એક સદ્દગૃહસ્થ” તે જ રીતે નામ લખાવ્યું છે. ચઢાવો કોનો છે કોઈને ખબર નથી. હવે મારે આપને એટલું જ કહેવું છે કે આપને ઠીક લાગે તે સાધર્મિક કુટુમ્બને રથમાં બેસવાનો લાભ આપી દેશો. રકમ જમા કરાવી દીધી છે. “ભગવાને મને ઘણું આપ્યું છે. ભવિષ્યમાં લક્ષ્મીયોગે મને ઘણા લાભ મળશે, પણ જિંદગીમાં જેમને રથમાં બેસવાની સ્વપ્નમાંય કલ્પના નથી એવા બંધુઓને આપ બેસવાનું જણાવી દેશો તો અમારા આનંદનો પાર નહિ રહે. અને એમ જ થયું.” સાધર્મિક પ્રત્યે આવો હાર્દિક પ્રેમભાવ હૃદય-હૃદય છલકાઈ જાય તો શાસન આબાદીના આસમાને પહોંચી જાય એમાં શંકાને સ્થાન નથી. સંઘ-શાસનની દેદીપ્યમાનતા સાધર્મિકના ઉત્થાનને આભારી છે. અન્ય ધર્મને ગૌણ કરીને પણ આજના ભીષણ કાળ જૈન બંધુઓની ઉત્ક્રાંતિના કાર્યમાં લાગવા જેવું છે. એક સમર્થ જૈન અન્ય એક નબળા જૈન કુટુમ્બને દત્તક લઈ લે, પ્રેમ-લાગણીથી બધી રીતે સહાયક બને તો આવતા ૨૫ વર્ષમાં જૈન સમાજ ઉન્નતિના શિખરે પહોંચી જાય. શાસનને જો આત્મા કહેવો હોય તો સાધર્મિકને મુખના સ્થાને જ રાખવો પડે. ( ૧૦૮ દીક્ષાર્થીઓનો ઐતિહાસિક વરઘોડો ) પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં માર્ગદર્શન ને પ્રેરણાથી સં. ૨૦૩૩માં ચોપાટી ઉપર ૧૦૮ દીક્ષાર્થીઓનો ઐતિહાસિક વરઘોડો નિકળ્યો હતો. સુશ્રાવક ચંદ્રકુમારભાઈ, બંસીભાઈ, નવિનભાઈ આદિ શ્રાવકવર્ગે મહિનાઓ સુધી તન-મન-ધનનો સખત ભોગ આપી પ્રસંગને સુવર્ણપૃષ્ઠમાં અંકિત થાય એવો બનાવ્યો હતો. * ચોપાટીના મેદાન પર ૬૦,OOO ની માનવમેદની + દરેકની સાધર્મિકભક્તિ * ભારતભરના | ૧૦૮ દીક્ષાર્થી કે લખલૂટ વર્ષીદાન * ટ્રાફિકથી ધમધમતા સર્વ રસ્તા બંધ * મુમુક્ષુઓનો સત્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy