________________
૮૬૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
* મારું શું થશે? : કોઈ એક ગામની અંદર સાધ્વીજી ભગવંતનું ચાતુર્માસ થયું. સાધ્વીજી ભગવંત જયણા-જાપ–જિનભક્તિમાં વિશેષ ઉપયોગવાળાં હતાં. સંયમની સુવાસે સમગ્ર ગામનાં સંઘનાં આરાધક ભાઈ--બેનોના જીવનમાં સુંદર છાપ ઊભી થઈ.
એક પરિવારના સભ્યો અવારનવાર સાધ્વીજી ભગવંત પાસે જતા. જીવનમાં ધર્મની કાંઈ ઊંડી સમજ ન હતી. પરંતુ સાધ્વીજી ભગવંતનું વાત્સલ્ય. સમજાવવાની કળાએ આ પરિવારની અંદર ધર્મનો પ્રકાશ પાથર્યો. નાનામોટા સૌ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, સમ્યગ્રજ્ઞાનની રુચિવાળાં બન્યાં. સમગ્ર પરિવારમાં જબરજસ્ત પલટો આવ્યો. ઘરમાંથી રાત્રિભોજન--કંદમૂળ-દ્વિદળ રવાના થયું. સૌના જીવનમાં અવિરતિ દૂર થઈ. વિરતિનાં પરિણામ ઊભરાયાં. આ કુટુંબના વડીલ મોટી ઉંમરના હતા. કંદોઈની દુકાન હતી. ઉંમર પણ ખાસી થઈ હતી. સમગ્ર પરિવાર ધર્મ પામી ગયો તેનો આનંદ તેમના હૃદયમાં સમાતો ન હતો. મનમાં વિચાર કરતા હતા, મારી આખી જિંદગી ભઠ્ઠા સળગાવવામાં પૂરી થઈ ગઈ. જીવનમાં હું તો ધર્મ ન કરી શક્યો પરંતુ મારો પરિવાર તો ધર્મ પામી ગયો. રોજ દુકાને જતાં રસ્તામાં સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય આવે. મોટેથી બૂમ મારે, “મયૂએણ વંદામિ'. સાહેબજી-મારા લાયક કામ-સેવા હોય તો જરૂર કહેજો. આમ રોજ દુકાને જાય, બુમ પાડતા જાય. સાધ્વીજી મહારાજ એક જ જવાબ આપતાં—કાંઈ ખપ નથી, કામ હશે તો કહીશું. - ચાતુર્માસ પૂર્ણ થવાને થોડા દિવસ રહ્યા. આ વડીલ વિચારે છે, મારા સમગ્ર પરિવારને આ સાધ્વીજી ભગવંતે ધર્મ પમાડી દીધો. તેમની કોઈ સેવાનો મને લાભ ન મળે તો ઓ ઉપકારનો બદલો યત્કિંચિત પણ કેવી રીતે વાળી શકાય?
એક દિવસ સાધ્વીજી ભગવંતના ઉપાશ્રય પાસેથી નીકળી રહ્યા હતા. “મન્થણ વંદામિ’ બોલ્યા અને કહ્યું, સાધ્વીજી ભગવંત! ઉપર અવાશે? સાધ્વીજી મહારાજે હા પાડી. આ ભાગ્યશાળી ઉપર ગયા. હૈયામાં ચાલતા ભાવોને શબ્દોમાં રજૂ કરતા ગયા: સાધ્વીજી મહારાજ! તમોએ મારા સમગ્ર પરિવારને ખૂબ-ખૂબ ધર્મમાં જોડી અસાધારણ ઉપકાર કર્યો છે. હું તો ૫૫ વર્ષની ઉંમરે પહોંચી ગયો છું. ભગવાનનાં દર્શન સિવાય કાંઈ જ કરતો નથી. સવારના પાંચથી રાતના બાર સુધી દુકાનમાં જ ગૂંથાયેલો રહું છું. હું રોજ અહીંથી નીકળું છું, “મથેણ વંદામિ' કહું છું. કાંઈ કામ-સેવા માટે પૂછું છું. આપ એક જ જવાબ આપો છો, કાંઈ ખપ નથી. કાંઈ કામ હશે તો જરૂર કહીશું. હવે ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું છે. મને સેવાનો કાંઈ લાભ ન મળે તો આપના ઉપકારમાંથી કેવી રીતે ઋણમુક્ત બનું? - સાધ્વીજી ભગવંત વિચક્ષણ હતાં. વિચાર્યું, હવે બરાબર ઘાટ ઘડવાનો અવસર આવ્યો છે. તેમણે પૂછયું, તમારી દુકાને તમે કંદમુળ બનાવો ખરા? સાધ્વીજી ભગવંત! કંદમુળ બનાવ્યા વગર એક દિવસ પણ જતો નથી, ગમે તેવી મોટી તિથિ હોય તો પણ. વખારમાં કંદમૂળની બોરીઓ ભરેલી જ હોય. સાધ્વીજી મહારાજે કહ્યું, મહિનામાં એક દિવરા. તમાર ભટ્ટી ઉપર કંદમૂળ ન બનાવો તો ચાલે કે નહિ? ભાગ્યશાળીએ જવાબ આપ્યો કે હું કોરીગર માણસ છું. મને ઘણી વસ્તુ બનાવતાં આવડે છે. ગ્રાહક તો જે તૈયાર હોય તે ખાઈને રવાના થઈ જાય. એટલે મહિને એક દિવસ નહિ પણ જિંદગીભર હું કંદમૂળ, છે
ન બનાવું તો કોઈ વાંધો ન આવે. હું મારા દીકરાને પણ બોલાવી દઉં અને સાથે જ નિયમ લઈ લઈએ. ! છે કે જિંદગીમાં કદી પણ દુકાનમાં કંદમૂળવાળી વસ્તુ બનાવવી નહિ. દીકરાને બોલાવ્યો. બધી વાત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org