________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૬૧
વિજીયાબેને વાત કરી : મારે તો દીક્ષા લેવી છે. પતિએ બાઈની નિર્મળતા, પવિત્રતા, ધર્મભાવનાને જાણી રજા આપી. વિજીયાબેને દીક્ષા લીધી. આજે ૨૫ કરતાં વધુ શિષ્યાઓના ગુરુણીપદે બિરાજે છે. વિજીયાબેન પોતે પણ સંયમજીવન બાદ આયંબિલની ઓળીઓ કરે છે. તેઓના પતિ પણ અવાર-નવાર સુખશાતા પૂછવા આવે છે.
કેવું અદ્ભુત––અજોડ––અદ્વિતીય છે આ પ્રભુશાસન! કોને કયારે પાવન કરે તે ન કહી શકાય! ઇતિહાસ વાંચીએ છીએ પણ ઇતિહાસ સર્જન થાય તેવું કામ સત્ત્વશાળી આત્માઓએ કરવું જોઈએ. પ.પૂ. આ.દેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના સંસારીપણે સગા બેન વિજીયાબેન હતાં.
પૂ. આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. માટે કહેવાતું કે તેમનો હાથ સુયોગ્ય આત્મા ઉપર પડે કે વેધક દૃષ્ટિ પડે તે સંસારનો મટી સંયમનો બની જતો. અણગાર મટી શ્રી જિનશાસનનો શણગાર બની જતો. * સંયમશૂરા બનજો ઃ જિનેશ્વરદેવો. વિશ્વમાં વહેતી જિનવાણી. તેનો રંગ લાગે કેવું શૂરાતન
પ્રગટે?
જ્યારે ટી.વી., વીડિયો, સહશિક્ષણ, મર્યાદાઓનો લોપ, જીવનનું સત્યાનાશ કાઢી નાખે તેવા સાહિત્યોએ માતેલા સાંઢની જેમ વીફરી પવિત્રતાઓ ઉપર આગ ચાંપી છે, તેવા સમયમાં આ પ્રસંગ પવિત્ર જીવન જીવી જવા માટેની સાયરન સમો બની રહેશે. ભવ્યાત્માઓના અંતરનાં દ્વાર ખોલનાર બનશે. અજ્ઞાન, વિષયકષાય, મોહ જીવને ક્ષણે ક્ષણે પાપના પંથે ચઢાવે છે; જ્યારે શ્રી જિનશાસન ક્ષણે ક્ષણે ભવ્યાત્માઓને અજ્ઞાન દૂર કરી, જ્ઞાની બનાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. વિષયકષાયની આગમાંથી દૂર કરી સંયમના સિંહાસને બેસાડે છે. મોહના મિટાવી મોક્ષના પ્રેમી બનાવે છે.
* આ છે બિહાર સ્ટેટમાં આવેલ ઝરિયા ગામની ઘટના : એક ભાઈ અને બેન લગ્નના બંધનથી બંધાયાં; પરંતુ વિજય શેઠ-વિજયા શેઠાણી, સ્થૂલભદ્રજી, નેમ-રાજુલ, સુદર્શન શેઠ તથા મહાન પુરુષોના મઘમઘતા જીવોને જાણી આત્માને સંસારની ખીણમાં પાડવાને બદલે મુક્તિના શિખરે કેમ પહોંચાડવો તે વિચારતાં, નક્કી કરી દીધું. આજીવન ‘બ્રહ્મચર્યવ્રત’ પાળવું. સાથે રહેવું અને બ્રહ્મચર્યવ્રત પાળવું. ટાટાની ધગધગતી સગડીમાં હાથ નાખવો અને બળવું નહિ. પરંતુ સત્ત્વશાળી આત્મા માટે બધું શક્ય છે. ઝરિયામાં રહેતા ત્યાં શ્રીસંઘનો જ્ઞાનભંડાર સંભાળતા. સંસારમાં સમય મળે ત્યારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે ધૂણી ધખાવતાં. સંસાર માંડવાની જરાય ઇચ્છા ન હતી, પણ કર્મસંયોગે માંડવો પડ્યો હતો. દેવ--ગુરુ--ધર્મની અનરાધાર કૃપા વર્તી રહી હતી. સંયોગો પલટાયા. ઝરિયા છોડી બેંગ્લોર જવાનું થયું. પૂજ્ય ગુરુ ભગવંતોના મુખે વિષય--કષાયની આગને ઠારતી, વૈરાગ્યના પાવર હાઉસને પ્રગટાવતી જિનવાણી સાંભળવાના સંયોગો મળ્યા. રાગની હાર થઈ. વિરાગની જીત થઈ. વીતરાગ પંથે જવાનાં ઘોડાપૂર ઊમટ્યાં.
સંસારમાં રહેવા છતાં સુંદર બ્રહ્મચર્યનું પાલન કર્યું. આજે બન્ને સંયમપંથે આગળ વધી સ્વ અને સર્વના કલ્યાણની ભાવના સાથે મુક્તિપંથે આગળ વધી રહ્યાં છે.
શ્રી જંબૂસ્વામીજી, શાલિભદ્રજી, ધન્નાજી જેવા મહાન પુરુષો દ્વારા આરાધાયેલો સંયમપંથ વિશ્વના સર્વ જીવોને ધર્મરસ પેદા કરનારો બનો.
૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org