________________
૮૫૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
O
જીવદયાના તે કટ્ટર રાગી હતા, એના માટે એ ફાંસીએ ચઢવા પણ તૈયાર હતા. “રામ રાખે તેને કોણ ચાખે' એ કહેવત અનુસાર તે અનેક કસોટીમાંથી ઉત્તીર્ણ થઈ ગયા હતા. મોતીશાહ શેઠની ભક્તિ અને ઉદારતા નોખી-અનોખી હતી.
મોતીશાહ શેઠના રહેઠાણ પાસેથી કસાઈ લોકો કતલ માટે ગાયો લઈ નીકળતા. આ દયાળુ હૃદય આ જોઈ શકતું ન હતું. મો-માગ્યાં દામ આપીને જીવોને અભય આપી આ જિનભક્ત અઢળક આનંદ લૂંટતો. દયાની સરિતાને ખળખળ વહાવતો. વારંવાર તે કસાઈને કહેતા : આ બાજુથી જીવો લઈને ન નીકળો, મારાથી આ જોવાતું નથી. આવા હતા એ જીવદયાના કટ્ટર રાગી!
હજારો ગુણોનો સાર ભગવાનની ભક્તિ છે. લોહચુંબક જેમ લોખંડને ખેંચે તેમ જિનભક્તિ સર્વ સુખોને પમાડી મુક્તિસુખને પ્રાપ્ત કરાવે છે. એક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાન તારી ભક્તિથી મુક્તિ મળશે તે શંકા વગરની વાત છે; પણ ભગવાન મુક્તિમાં ગયા પછી ભગવાન તારી ભક્તિ નહિ થાય તેનું મને મહાન દુઃખ છે.
લીંચના હઠીભાઈ ભગવાનની ભક્તિમાં એવા મસ્ત બની જતા કે ગાડીનો ટાઈમ દશ વાગે જવાનો હોય તો પોતે સ્ટેશને સાડાદશ નીકળી ગાડું જોડી જગુદણ સ્ટેશને જાય ત્યાં સુધી ગાડી તેમના માટે મોડી પડી હોય અને હાજર હોય. આમ અશક્ય વસ્તુ ભક્તિ દ્વારા શક્ય બને છે, કુદરત અનુકૂળ પડે છે. ભીમા કુંડલિયાની ભગવાનની ભક્તિ અને તેના માટે પોતાની સઘળી મૂડી સાત દ્રમકનું દાન કર્યું. પરિણામે કજિયાળી પત્ની શાંત બની ગઈ. પત્નીએ ભગવાનની ભક્તિની ખૂબ અનુમોદના કરી. પતિ માટે દૂધ લેવા જતાં ગાયને દોહતી ત્યાં ખીલો નીકળી જતાં સોના-હીરા-મોતીનો ચરુ નીકળ્યો. તે ચરુ સંઘને દાનરૂપે આપવા જાય છે. દેવે આવી સંઘને કહ્યું, આ દાન લેશો નહિ. દેવ પણ આવા આત્માની ચિંતા કરતાં હતાં. રાધનપુરના એક બહેન. એમની આંખ ચાલી ગઈ. અક્રમ કરી ભગવાનનું નમન ચક્ષુએ લગાડતાં
આંખ ઊઘડી ગઈ. * કલકત્તાના એક આરાધક બહેન. દરરોજ ત્રણ કલાક સ્વાધ્યાય કરતાં. આંખ ચાલી જતાં પાલીતાણા
યાત્રાએ જઈ ભગવાનને પ્રાર્થના કરી : હે પ્રભુ! તારા દર્શન અને સ્વાધ્યાય બંધ થઈ ગયાં. પ્રભુ! તારી કૃપાથી શું ન બને? અંતરની સાચા ભાવની પ્રાર્થના હતી. નમન ચક્ષુએ લગાડ્યું, આંખ બરાબર થઈ ગઈ. લીચના હઠીભાઈને કસાઈ સાથે ઝપાઝપી થતાં ધારિયું પેટમાં વાગતાં બચી ગયા. લીચની
પાંજરાપોળ તેઓની જય. સુરાવલી બોલતી આજે મોજૂદ છે. * પ્રવરદેવ ભગવાનની આજ્ઞા મુજબ ત્યાગ જીવનની આરાધનાના બળે પછીના ભવમાં તેના પુણ્ય
પ્રભાવે બાર વર્ષીય દુષ્કાળ બંધ રહ્યો. હજારો પંચેન્દ્રિય પ્રાણીને અભયદાન મળ્યાં. * રબારી દેવવાળનો શેઠના નોકર તરીકે દરજ્જો હતો. ભગવાનની ભક્તિ કરતાં કરતાં રાજાપણું
પામ્યો અને તીર્થંકર ગોત્ર ઉત્પાદન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org