________________
૮૫૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
આત્મચિંતન અને પરમાત્મધ્યાન કરે છે. પછી સાદી નવકારશી કરીને દહેવાણનગરના જિનાલયમાં ચાર કલાક સુધી અશ્મકારી પૂજા--તેમાં ૧૨૦ તીર્થકર ભગવંતોની જિનમૂર્તિઓની પ્રક્ષાલ-જંગલુછણા જિનપૂજા વગેરે કરે છે. તે પછી બપોરે ભોજન-આરામાદિ કરીને ત્રણ-ચાર કલાક સુધી સાધુસાધ્વીજીઓને પોતાના અનુપ્રેક્ષાત્મક ચિંતનનો સ્વાધ્યાય સંભળાવે છે. આ રીતે આખો દિવસ ધર્મધ્યાનચિંતન-મનનમાં પસાર કરે છે.
સમ્યગ્દષ્ટિ શ્રાવકના જીવનમાં શમ (ક્ષમા), સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા (જિનવચનનો અટલ વિશ્વાસ) આ પાંચ લક્ષણો જોવા મળે છે. ભાણાભાઈની અનુકંપા (કણા)નો વીસ વર્ષ પૂર્વેનો એક સુંદર પ્રસંગ આ પ્રમાણે છે : એકવાર તેઓ શાંતાક્રુઝ સ્ટેશને લોકલ ટ્રેનમાંથી નીચે ઉતર્યા. પ્લેટફોર્મ ઉપર બે માણસો લડી રહ્યા હતા. ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. ભાણાભાઈ વચ્ચે પડ્યા. તેમણે એક જણને પૂછ્યું–‘તું આને શા માટે મારી રહ્યો છે?” પેલાએ જવાબ આપ્યો : “હું ભેળ વેચનારો છું. આ માણસે મારી ભેળનો આખો ટોપલો ઢોળી નાખ્યો. તેથી હું તેને મારી રહ્યો છું.” ભાણાભાઈએ એને પૂછયું : ““તારા આખા ટોપલાની કિંમત શું?'' પેલાએ કહ્યું : ““૨00 રૂપિયા.' તરત ભાણાભાઈએ ૨૦૦ રૂ. પેલાને આપી દીધા. અને બન્નેને છૂટાં પાડીને રવાના કર્યા. પાછળથી આ વાતની તેમણે મને વાત કરતાં જણાવ્યું હતું કે, “૨૦૦ રૂા.માં જો આપણે કોઈના ક્રોધનો ઉપશમ કરાવી શકતાં હોઈએ તો આ રૂપિયાનો આનાથી શ્રેષ્ઠ સદુપયોગ બીજો શો હોઈ શકે?”
કેવી અનુપમ વિચારધારા! પ્રશમભાવનો કેવો સુંદર રાગ !!
ભાણાભાઈની કણાભાવનાનો બીજો એક સુંદર પ્રસંગ : તેઓ સવારે (મોર્નિંગ) વોક કરવા જતા. તે મેદાનમાં પ્રવેશદ્વારે એક વૉચમેન બેસતો હતો. તે રોજ “સાહેબજી! સલામ' કરે. બસ આટલો તેની સાથે ભાણાભાઈનો સંબંધ. એકવાર સવારે ભાણાભાઈએ તે વૉચમેનને ન જોયો. તે કેમ ન દેખાયો, તેની તપાસ કરવા ભાણાભાઈ નજદીકમાં રહેલી તેની ઝૂંપડીમાં ગયા. વૉચમેન બેઠા બેઠા રડતો હતો. ભાણાભાઈએ પૂછ્યું–‘ભાઈ! કેમ રડે છે?” પેલાએ કહ્યું : “શેઠ! દેશમાં મારું મકાન પડી ગયું છે. તેનું રીપેરીંગ કરાવવાના મારી પાસે પૈસા નથી.” ભાણાભાઈએ પૂછ્યું – “કેટલા રૂપિયા થાય, રીપેરીંગ કરાવવાના?' પેલાએ જવાબ આપ્યો : ‘ત્રણ હજાર રૂપિયા.'
ભાણાભાઈ કહે : “આવતી કાલે તને રૂપિયા મળી જશે. હવે તું રડતો નહિ.'' બીજા દિવસે ભાણાભાઈ આવ્યા. તેમણે ત્રણ હજાર રૂપિયા પેલા વૉચમેનને આપી દીધા. સહજભાવે! આપ્યાનો ભાર પણ મનમાં રાખ્યા વગર! કેવી અપાર નિઃસ્વાર્થકરુણા...!!
સંપત્તિનો સદુપયોગ ભાણાભાઈએ છૂટે હાથે કર્યો. છેલ્લે હવે ભાણાભાઈની મૂડી માત્ર ચાર લાખ રૂપિયા જ રહી. તેના એક ટકા લેખે તેઓ માસિક માત્ર ચાર હજાર રૂપિયા જ મેળવે છે. અને અતિ આશ્ચર્યની વાત તો એ છે કે ચાર હજાર રૂપિયામાંથી ત્રણ હજાર રૂપિયા તો ભાણાભાઈ આજે ય સાધર્મિક ભક્તિ અને અન્ય સત્કાર્યમાં વાપરી નાંખે છે અને પોતે માત્ર એક હજાર રૂપિયામાં જ પોતાના એક મહિનાનો ગુજારો કરી લે છે. ખંભાતમાં અતિ સાદગીથી જીવતા આ સુશ્રાવકને આપણે કળિયુગનો પુણિયો શ્રાવક' કહીએ તો ય તેમાં અતિશયોક્તિ ન જ ગણાય ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org