SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૨ ] [ જૈન પ્રતિભાદર્શન સ્વ. શેઠશ્રી શાહ કાંતિલાલ ચીમનલાલ કોલસાવાળા - તેઓશ્રીનો જન્મ સંવત ૧૯૫૮ જેઠ વદિ-૩ ના ધોળકા ખાતે સંસ્કારસંપન્ન, ધાર્મિકવૃત્તિના, વાત્સલ્યપૂર્ણ સ્વભાવના અને માયાળુ એવાં કંકુબાની કુખે થયો હતો. તેઓશ્રીના પિતા સ્વ. શેઠશ્રી ચીમનલાલ જમનાદાસ રેલ્વે કોન્ટેક્ટ અને સ્ટીમ કોલના વ્યવસાયમાં હતા. તેઓ ખૂબ જ વગદાર વ્યક્તિ હતા. તેઓ નીતિનિયમ અને સદાચારનું કડક પાલન કરનાર હતા. તેઓશ્રીનાં માતુશ્રી કંકુબાએ પવિત્રતા, ભક્તિભાવ, ઇશ્વરશ્રદ્ધા અને સંતોષના ગુણોનું સિંચન ગળથૂથીમાં જ કર્યું. પરિણામે સુપુત્ર કાંતિલાલની ઉમદા સેવાઓ સમગ્ર સમાજને સાંપડી. તેમનો સમગ્ર પરિવાર ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલ છે. સુશીલ સ્વભાવના તેમનાં ધર્મપત્ની-સુશીલાબહેન તથા પાંચ પુત્રો અને પુત્રીઓ પણ ઉપર્યુક્ત પ્રવૃત્તિઓમાં રસ લે છે તે એક ગૌરવની વાત છે. સ્વર્ગસ્થશ્રી “નીટેક્ષ હોઝીયરી'ના આદ્યપ્રણેતા હતા. આ ઉપરાંત તેઓશ્રી તેમના પિતાશ્રીના રેલ્વે કોન્ટેક્ટ અને સ્ટીમ કોલના વ્યવસાયમાં પણ જોડાયેલા હતા. અને તેઓના પિતાશ્રીના વ્યાવસાયિક ગુણો જેવા કે, નીતિનિયમ અને સદાચારના કડક પાલનના ચુસ્ત હિમાયતી હતા. વિદ્યાદાનમાં સ્વર્ગસ્થશ્રીએ ધોળકા એજ્યુકેશન સોસાયટીને તેમના પિતાશ્રી શાહ ચીમનલાલ જમનાદાસ કોલસાવાળાના નામે માતબર દાન આપી ધોળકાના શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્ત્રી અધ્યાપન મંદિર છાત્રાલય, શ્રીમતી રાજુલબહેન શાહ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ વગેરે શૈક્ષણિક સંસ્થાઓના વિકાસમાં તેમણે માતબર દાન આપ્યાં છે. | સ્વર્ગસ્થશ્રી ધોળકા એજ્યુકેશન સોસાયટીના પેટ્રન, પ્રમુખ તથા ટ્રસ્ટી હતા તેમજ શાહ સી. જે. કોલસાવાળા હાઈસ્કૂલ-ધોળકાના તેઓ અધ્યક્ષ તરીકે હતા. આ ઉપરાંત તેઓશ્રીએ શ્રી વિદ્યાપ્રચારક મંડળ, ધોળકા તથા નહેરૂ એજ્યુકેશન સોસાયટી ત્રાંસદ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનાં વિકાસ અર્થે પણ માતબર રકમનાં દાન આપ્યાં છે. તેઓએ શાહ સી. જે. કોલસાવાળા હાઈસ્કૂલ, ધોળકામાં સ્કોલરશીપ, ઇનામો વગેરે આપી વિદ્યાદાનની પાવનધારા વહેવડાવી હતી. તેઓ પોતાના શરીરની પણ દરકાર રાખ્યા વિના આ સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં કોઈપણ પરિસ્થિતિમાં અચૂક હાજર રહેતા હતા. સ્વર્ગસ્થશ્રીએ સામાજિકક્ષેત્રે ઝાલાવાડ જ્ઞાતિમાં સ્વ. ઈન્દુમતીબહેનના સ્મરણાર્થે આપેલાં દાન, સ્વ. ભાઈશ્રી સારાભાઈના નામે સ્થાપેલી ડેન્ટલ હોસ્પિટલ તથા કાકાશ્રી છોટાલાલ જમનાદાસ હોસ્પિટલ (સુરેન્દ્રનગર). વગેરે માનવસેવાના ઉત્તમ નમૂનાઓ છે. જૈન સમાજમાં સ્વર્ગસ્થ શ્રીની પ્રતિભા અનોખી અને અનન્ય હતી. તેઓશ્રી વસ્તુપાળ તેજપાળ જૈન ટ્રસ્ટ-ધોળકા (શ્રી કલિકુંડ તીર્થ)ના પ્રમુખ હતા. શ્રી કલિકુંડ તીર્થમાં તેમના પિતાશ્રીની સ્મૃતિમાં ભોજનશાળામાં ચીમનલાલ જમનાદાસ હોલ તથા માતુશ્રીના નામે કંકુબા ધર્મશાળા બાંધી આપી છે. દહેરાસરના શિલ્ય તેમજ નવા તીર્થના આયોજન માટે ખૂબ જ તન-મન-ધનથી સેવા આપતા હતા. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy