SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૩૭ વિવિધ ક્ષેત્રના 'વર્તમાનકાલીન જૈન અગ્રેસરો --- શ્રી મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા કર્ણાવતી નગરીનો જૈન સમાજ જેનું ગૌરવપૂર્વક નામ લઈ શકે તેવી બે સંસ્થાઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ અને શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળે છેલ્લાં ઘણાં વર્ષોથી માનવસેવા, કેળવણી, સાધર્મિક ભક્તિ, જીવદયા અને તીર્થયાત્રાના ક્ષેત્રે અનન્ય અને અદ્ભુત કાર્ય કરી ચોગરદમ સેવાની સુવાસ ફેલાવી છે. આ બને સંસ્થાઓને સમૃદ્ધ અને સુદઢ બનાવવામાં કર્ણાવતીના ઘણા મહાનુભાવો સતત કાર્યરત રહ્યા છે તેમાંના કેટલાક શ્રેષ્ઠીરત્નોનો પરિચય શ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા દ્વારા અત્રે રજૂ થાય છે. શ્રી મહેન્દ્રભાઈ મહાવીર સ્મૃતિમંડળના સંનિષ્ઠ અને સેવાભાવી કાર્યકર છે. નાનપણથી જ તેમના માતુશ્રી હીરાબેન તરફથી ધાર્મિક સંસ્કારવારસો મળ્યો છે. તેઓ સંગીત, સાહિત્ય, ચિત્રકળા વગેરેનો શોખ ઘરાવે છે. - રાજનગરની શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સિવાયની ભાગ્યે જ એવી કોઈ સંસ્થા હશે કે જેની પાસે ભારતના મુખ્ય જૈન તીર્થોનાં દર્શન કરાવતી શિલ્પસ્થાપત્ય ચિત્રશાળા હોય, જૈનમૂર્તિઓ અને જ્ઞાનભંડાર વગેરેની વિપુલ સામગ્રી હોય, આરોગ્યના ક્ષેત્રે માંદાની માવજતનાં સાધનો હોય, જેનપરિવારના બાળકોને ઘાર્મિક સંસ્કારો આપતી પાઠશાખાઓ હોય, બહેનો માટે સંગીતના ક્લાસો હોય. આ સંસ્થાને સમૃદ્ધ બનાવવામાં સહયોગી બનનાર ભાગ્યશાળીઓ ખરેખર અભિનંદનના અધિકારી બને છે. પાલડી પાસે તથા વિકાસગૃહ રોડ ઉપર શિખર એપાર્ટમેન્ટમાં ચાલતી આ સંસ્થાની સુંદર પ્રવૃત્તિઓના સફળ સંચાલન માટે કર્મઠ કાર્યકર્તા શ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા પણ એટલા જ અભિનંદનને પાત્ર બને છે. સંસ્થાએ જૈન તીર્થોના દર્શન કરાવતી બાવીશ વીડીઓ કેસેટોનું અને પુસ્તકનું યશસ્વી પ્રકાશન કર્યું. તેમાં જૈનશાસન પરત્વેની નિષ્ઠા અને સંઘભક્તિનું દર્શન થાય છે. અને સંસ્થા દ્વારા જે ધર્મપ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં પણ અનેક પ્રકારની શક્તિઓનો સંયોગ ઉભો થયો છે. અને તેથી જ સમય જતાં આ સંસ્થા ધર્મસંસ્કારનું વટવૃક્ષ બની અનેક પરિવારોને શિતલતા બક્ષવાનું ભગીરથ કાર્ય કરશે એવી શ્રત છે, દર ---સંપાદક 3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy