SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૩૫ ત્યારે મક્કમતાપૂર્વક બાળ કહે કે ‘‘આપણાથી રાત્રે દવા ન લેવાય.’' અને ન જ લીધી. તાવ ઉતરી ગયો. બન્ને નાના ભાઈ-વ્હેન અભ્યાસ કરી વિ. સ. ૨૦૪૯ની સાલમાં અમિષ (ઉ. વ. ૧૧), પ્રિયમે (ઉ. વ. ૧૦) દીક્ષા લીધી. હજુ પણ પરિવારની એ જ ભાવના છે કે સૌ સંયમમાર્ગે વળે. ધન્ય છે આવા મા-બાપને જેમણે પોતાના એકના એક દીકરાને સંયમ આપ્યું. ધન્ય છે આવા પરિવારને! જેના હૈયામાં ધર્મ પ્રત્યેની આવી અવિહડ શ્રદ્ધા છે, ધર્મ પ્રત્યેનો પ્રેમ છે. આજે એ પરિવારના પાંચેય આત્માઓ પૂ. પં. શ્રી સંયમરતિવિજયજીગણિ, પૂ. પં. શ્રી યોગતિલકવિજયજીગણિ, પૂ. મુ.શ્રી આર્યતિલકવિજયજી મ.સા.,સા.શ્રી હિતરક્ષાશ્રીજી મ., સા.શ્રી પ્રશમરક્ષાશ્રીજી મ.ના નામે સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છે. શાસનદેવ આ પિરવારને સહાય કરે એવી પ્રાર્થના.’’ દાઠાવાળા પરિવારે સાતમાંથી છ સભ્યો શાસનને સમર્પિત કર્યા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની પંચતીર્થીમાં આવેલું, ચાંદીની કટારીઓ અને કાચની સુંદર કલાકૃતિથી સુશોભિત શ્રી શાંતિનાથ ભગવાનનું જ્યાં ભવ્ય જિનાલય છે એવા દાઠાતીર્થ ગામમાં જન્મ લઈને વ્યવસાય અર્થે ભોગી ભાઈ શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિદાદાની દીક્ષા વડે તથા વૃદ્ધિચંદજી મ.સા.ના વિચરણ વડે પાવન થયેલી ભૂમિ ભાવનગર આવ્યા ત્યારબાદ મનુષ્યજન્મની સફળતા ચારિત્રમાં જ છે એવું બી. કોમ. ભણેલા મોટા પુત્રને તથા નાના પુત્રને રાજેશને તથા પુત્રી પ્રતિભાકુમારીને સમજાવીને સંયમના માર્ગે વાળ્યા પછી સ્વયં ધંધામાંથી નિવૃત્તિ લઈ દીક્ષાની ટ્રેઈનીંગ લઈને નાની દીકરી હર્ષાકુમારી તથા પત્ની ગુણવંતીબહેન સાથે ત્રણેએ દીક્ષા અંગીકાર કરી જ્યારે પુત્ર વિક્રમભાઈએ શ્રાવકધર્મ અપનાવ્યો, છએ પુણ્યાત્માઓ ક્રમશઃ ૫. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્ય (૧) પૂ. મુનિશ્રી રત્નવિજયજી મ.સા. (૨) પૂ. જિવેશરત્નવિજયજી મ.સા. (૩) પૂ. ભાગ્યેશરત્નવિજયજી મ.સા. (૪) પ્રવર્તિની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મ.ના. શિષ્યા સા. પ્રમોદરેખાશ્રીજી (૫) પૂ. સા. ગીર્વાણરેખાશ્રીજી (૬) પૂ. સા. હિતજ્ઞરેખાશ્રીજી મ. ભાવનગરમાં વિ. સં. ૨૦૫૫ના ચાતુર્માસમાં પધારી ધાર્મિક શિબિરો, અનુષ્ઠાનો કરાવવાપૂર્વક સુંદર આરાધનાઓ કરાવી છે. શાસનદેવ તેમને દીર્ઘ આયુ બક્ષે એ જ અભ્યર્થના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy