________________
૮૩૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
( અપૂર્વ શ્રદ્ધાળુ સોહનલાલ મલકચંદ પરિવાર) રાજસ્થાન-ગુજરાતની સરહદ પર આવેલા વાંકડિયા વડગામ નગરમાં શા મલકચંદ મગાજી મુણાણી નામક સંસ્કારી કુટુંબ વસતું હતું. તેમના ધર્મપત્નિ ભકુબેનમાં રહેલાં ધર્મસંસ્કારને કારણે ત્રણેય પુત્રોમાં ધર્મભાવના સહજ હતી. મોટા બન્ને પુત્રો નવલમલજી અને જવાનમલજી બાવ્રતધારી શ્રાવક બન્યા હતા. સૌથી નાના પુત્ર સોહનલાલ માતાની પ્રેરણાથી વિ. સં. ૧૯૯૭ની સાલે ૧૦-૧૧ વર્ષની ઉંમરમાં જ દીક્ષા લેવા ભાગી ગયા હતા. પણ તે કાળે દીક્ષા લેવી કપરી હતી. સ્વજનોએ તેમને પાછા પકડી લાવી મરુધરભૂમિમાં આવેલાં નાનકડા રાયપુર ગામમાં જન્મેલ રંગીલાબેન સાથે લગ્નબંધનથી બાંધ્યા.
માતાના સંસ્કારના કારણે સોહનલાલભાઈમાં ગુણોનો વિકાસ પણ સારો થયેલો. પૂ.આ.ભ. શ્રી રામચન્દ્રસૂરિ મ.સા.ના પુણ્યપરિચયે શ્રદ્ધા પણ દઢ બનેલી. ધંધામાં ખોટું ક્યારેય ન કરતાં. કોક પાર્ટીએ માલ પચાવી પાડ્યો અને દેવું આવ્યું. બધાંએ સલાહ આપી કે એને ત્યાં ભૂખ્યા બેસીને પૈસા પાછા મેળવો છતાં એમણે તો પાર્ટી પ્રત્યે પણ ક્ષમાભાવ રાખી “મારા કર્મના ઉદયે આ બન્યું છે, તે મારે ભોગવવું જોઈએ, કર્મ વિના મારો વાળ પણ વાંકો કોઈ ન કરી શકે. કર્મના સિદ્ધાંત પ્રત્યે અવિહડ શ્રદ્ધાના પ્રભાવે એવી વ્યક્િતને પણ ક્ષમા આપી. પ્રેમસંબંધ ટકાવી રાખ્યો તો એ પાર્ટીએ લીધું હતું તેનાથી પણ વધારે બદલામાં આપ્યું.
- નમ્રતા પણ એવી કે ધર્મનું કાર્ય કોઈ પણ બતાવે પછી નાનો હોય કે મોટો હોય, સંપત્તિવાળો હોય કે ગરીબ હોય, તો પણ પોતાના મોટાપણાનો એહસાસ રાખ્યા વગર દરેક કાર્ય સહજભાવે કરી આપતા.
કણા પણ અજબ-ગજબની ગમે તે વ્યક્તિને પૈસાની કે કંઈપણ જરૂર હોય અને પોતાની સ્થિતિ સામાન્ય હોવા છતાં કોઈને કાંઈ આપ્યા વગર નહોતાં રહેતાં. પોતે જ્યાં આરાધના કરતાં હતાં તે મોતીશા લાલબાગ જૈન દેરાસર (મુંબઈ)ના સ્ટાફના માણસોને પણ જરૂર પડ્યે વગર વ્યાજે પૈસા આપતા. પાછા આવી જાય તો ઠીક પણ માંગવાના નહિ, એ તો દીક્ષા લીધી ત્યારે ઘરનાને ખબર પડી કે ૨૫ હજાર રૂપિયા દેરાસરના સ્ટાફને આપેલા છે. સંતોષ પણ એવો કે નાની ઉંમરમાં જ ૨૫OOO=00 રૂા.ની લિમિટનું પરિગ્રહ પરિમાણ લીધું હતું અને પૈસા વધવા લાગ્યા તો ઘર ખર્ચ જેટલી આવક ઊભી કરી કમાવવાનું બંધ કર્યું. વધારાના પૈસા બધાં ધર્મમાર્ગે ખર્ચી દીધા. નિયમને અકબંધ સાચવ્યો.
ધર્મ પ્રત્યેનો પ્રેમ એવો કે દરરોજ સ્નાત્ર ભણાવે, પછી નોકરીએ જાય. આમ ટેકપૂર્વક જાળવેલા સ્નાત્રમાં આવતી પતિ “જો હોવે મુજશક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી” અને “દીક્ષા-કેવળને અભિલાષ” એ બે પંક્તિઓને ઉચ્ચારતી વખતનો ભાવોલ્લાસ એમને અધ્યાત્મના પંથે કર્યાયનો ક્યાંય ખેંચી ગયો.
રંગીલાબેન સ્વભાવે કડક, હૈયે કરુણાલુ. કંદમૂળ કે રાત્રિભોજનનો પણ ત્યાગ નહિ, પૂજા કરતાં પણ શરમ આવે. ૧૪ વર્ષની ઉંમરે લગ્ન થયા. નાનપણથી જ હાર્ટના વાલ્વની બિમારીથી પીડિત, આર્થિક પરિસ્થિતિ પણ સામાન્ય.
આર્થિક લાભ પ્રાપ્ત કરવા સોહનલાલભાઈ મુંબઈ ગયા. વિશિષ્ટ પુણ્યોદયે ધર્મરૂપી વૃક્ષ માટે | ફળદ્રુપ એવી લાલબાગ (મુંબઈ)ની ભૂમિ પ્રાપ્ત થઈ અને યોગાનુયોગ વિશિષ્ટધર્મપ્રભાવક શ્રીમદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org