SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૩૧ બહુમાનથી દુર રહીને ધર્મપત્ની પુષ્પાબાઈની ભાવનાની પુર્ણતા કાજે આચાર્યશ્રી વારિષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં જલગાંવ-નીમોહ-આદોની-સેદાવા-પાલીતાણા-લાઠી આદિ નગરોમાં અંજનશલાકા કરાવવામાં મુખ્ય લાભ લીધો છે. ગુન્ટુર-અમરાવતી સરાક જિનાલયો ગોવાનગરી-નાગેશ્વર તીર્થ-ખીરીયા શેલુ આદિ સ્થળોએ પ્રભુ પ્રતિમાઓ ભરાવાનો તથા પ્રતિષ્ઠા જિનાલય ઉપાશ્રયના ખનન શિલારોપણનો અનુપમ લાભ લીધો છે. નાગેશ્વર તીર્થમાં ૫૦૦ આરાધકોની આયંબિલ ઓળી ૧૦૮ અઠ્ઠમ તપ કરવા કે છ'રી પાલિત સંઘ કાઢીને આ.શ્રી રાજતિલકસૂરિજી મ.સા.ના કરકમલોથી સંઘમાળા પહેરી છે. શ્રી મનોજકુમારજી હરણની પ્રેરણા પામી પાલીતાણા-હિંમતવિહારમાં ચાતુર્માસ, ઉપધાન, નવ્વાણું યાત્રા, અંજનશલાકા પ્રતિષ્ઠા ઉત્સવના સદ્ભાગી બન્યા હતા. લાઠીનગર, ઉપલેટા નગરમાં આ.શ્રી વારિર્ષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા ઉત્સવ અભિનંદન કરતા સંઘે આનંદ અનુભવ્યો હતો. ત્રિસ્તુતિક સમાજસેવક શ્રી તગરાજ હીરાણી પરિવાર મરુધર ભૂમિના જાલોર જિલ્લાના ખેતડા ગામના મૂલ્યવાન શ્રાવક રત્ન હતા. પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લીધું. જીવનના અનુભવોને આધારે તેમના વ્યક્તિત્વમાં અને વાતચીતમાં રાજસ્થાનના આશાશાન સ્પષ્ટ દૃષ્ટિગોચર થતાં હતા; સ્વભાવની સરળતા, રહેણી-કહેણીમાં બિલકુલ આડંબર નહીં. વ્યવહારમાં નિષ્કલંક અને નિર્મળતા. સમર્પણ, સંતોષ. સ્નેહ અને ત્યાગને લીધે સમગ્ર પરિવારના સઢ્યો સૌના પ્રીતિપાત્ર, જાહેરજીવનમાં-રાજકીયક્ષેત્રે જનસંઘમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું, તેમનો માનવતાવાદી દૃષ્ટિકોણ તથા વિચારો સર્વોદયી હતા. ભારતીય સંસ્કૃતિના પોષક હતા. ૧૯૬૩માં સુમેરપુરમાં જૈન પ્રગતિશીલ મંચની સ્થાપના થઈ તેના પોતે અધ્યક્ષ બન્યા. સુમેરપુરમાં જૈન મંદિરના ટ્રસ્ટી ઉપરાંત જીવદયા, ગૌશાળા, વૃદ્ધાશ્રમમાં મહત્વની સેવા બજાવી, પાલીતાણા સૌધર્મ જૈન ધર્મશાળામાં પણ તેમનું યોગદાન હતું કેટલોક સમય મહાવીર રાજેન્દ્ર જૈન શ્વેતાબંર મંદિરબેંગલોરના ટ્રસ્ટના મંત્રી હતા. અનેક તીર્થ સ્થાનોની યાત્રા કરી, પોતાની સંપત્તિનો ધર્મકાર્યોમાં સદ્ભય કર્યો. ત્રિસ્તુતિક સમાજની સેવા અને સંગઠન માટે ઘણો બધો શ્રમ અને પુરુષાર્થ કર્યો. કેટલાક સમય શાશ્વતધર્મ (માસીક પત્ર) નું સંપાદન કર્યું. દયા, કરુણા અને મમતાનો ત્રિવેણી સંગમ એટલે તગરાજ હીરાણી. રાજસ્થાનની સંખ્યાબંધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ઉપર બિરાજતા તેમનું ભારે મોટું યોગદાન અને તેમનું સમર્પિત જીવન અનેકોને પૂણ્ય સ્મરણ સાથે પ્રેરણાદાઈ બની ગયું તેમની ગુરુભક્તિ, તપોમય જીવન દૃષ્ટિ અજોડ હતા. તગરાજજી વ્યકિત નહી પરતું સંસ્થા હતા. સેવા-ત્યાગ અને સમર્પણની ભાવના સાથે ત્રિસ્તુતિક સમાજનું નેતૃત્વ સંભાવ્યું અને તેમણે કરેલા કાર્યોથી હીરાણી પરિવારને ઘણી મોટી યશકલગી પ્રાપ્ત થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy