________________
૮૨૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
આપના પૂ. પિતાશ્રી સ્વ. બોહતલાલજી બાફના પણ અત્યંત સરળ મનના હતા. તેમ જ આપના માતુશ્રી છગનબાઈજી પણ એક ધર્મપરાયણ નારી છે. ખરેખર આપે સેવા અને ધાર્મિક રુચિઓથી આપના કુળનું ગૌરવ વધાર્યું છે.
ઉદયપુર શરાફ સંઘ, રાજસ્થાન શરાફ સંઘ તથા કરેડા તીર્થ કમિટિના અધ્યક્ષ પદને સંભાળીને એક વધુ આપે વ્યાપાર જગતમાં કીર્તિ ઉપાર્જિત કરી છે. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં પુણ્ય લાભ પ્રાપ્ત કર્યો છે. આયંબિલશાળા, ઉદયપુરના મંત્રીપદે રહીને આપ જે આયંબિલ ખાતાની સુંદર વ્યવસ્થા કરી રહ્યા છો તે અનુકરણીય અને અનુમોદનીય છે. આપશ્રી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના મંત્રીપદ પર આરૂઢ રહીને ધર્મ - સંઘની જે સુંદર સેવા કરી છે તે ભૂલી - ભૂલી શકાય તેમ નથી.
(માલેગાંવના નરરત્ન ડો. રાજેન્દ્ર રમણલાલ મહેતા પરિવાર )
મહારાષ્ટ્ર રાજયના માલેગાંવ (જિ.નાસિક) માં એક નરરત્ન છે એનું નામ ડો. રાજેન્દ્ર રમણલાલ મહેતા છે. પોતે ડોકટર હોવા છતાં ધાર્મિક સંસ્કાર ગજબના છે. એમના ધર્મપત્ની શ્રીમતિ ઉર્મિલાબેન એમના પ્રત્યેક અનુષ્ઠાનોના સહાયક અને ઉર્મિદાતા છે.
આ શ્રાવક રત્ન સવારે ભાવપૂર્વક સૂત્ર-અર્થ તટુભય પ્રતિક્રમણ કરે છે. પ્રત્યેક સૂત્રમાં ભાવ સામે લાવી હૃદયપટલ ઉપર ચિત્ર દોરી પ્રતિક્રમણ સાદર-સાળંદ રોજ કરે છે. પરિગ્રહનું માપ ખૂબ અલ્પ છે. હમણાં જ પૂ. વર્ધમાન તપોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયપ્રભાકારસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં બાવ્રત વિધિસહિત ગ્રહણ કર્યા. પોતે ખૂબજ સંતોષી છે. પોતાને એક સવ્યસન છે કે, પ્રભુ પ્રતિમા ભરાવવી. અત્યાર સુધીમાં ૧૦૮ પ્રતિમા ભરાવી છે. અને આ વારસો પોતાના બે પુત્રરત્નો શ્રી રશિમન તથા સત્યનને પણ આપ્યો છે. જયારે પણ નૂતન દેરાસરની વાત સાંભળે તો ખૂશ થઈ જાય અને પૂ. ગુરુ મહારાજને વિનંતી કરે કે મને પ્રતિમા ભરાવાનો લાભ આપો. પોતાના ઘરમાં ગૃહજિનાલય છે. બે વખત છરી પાલિત સંઘ કાઢી લાભ લીધો છે. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચના ખૂબ પ્રેમ છે. જીવદયાના પણ અજોડ પ્રેમી છે. પ્રભુ મહાવીરના કલ્યાણક દિવસે અથવા અન્ય બીજા વિશેષ દિવસે પોતે પક્ષીઓ આદિને અભયદાન આપે છે. પોતાના નામની કે કામની અપેક્ષા રાખતા નથી.
તેમના ધર્મપત્ની શ્રી ઉર્મિલાબેન માલેગાવ-વર્ધમાનનગરમાં પાઠશાળામાં બાળકો અને બહેનોને નિઃસ્વાર્થતા પૂર્વક ભણાવે છે, અને સુંદર સંસ્કારોનું સિંચન કરે છે. પુ.ગુરુભગવંતશ્રીના ઉપદેશામૃત સાંભળતાં કંઈ નવું સાંભળતા તરત આચરણમાં મૂકે છે.
અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ, પિપલોનકલાના આધાર સ્તંભ જિનશાસનરત્ન શ્રી મનોજકુમાર બાબૂમલજી હરણ પરિવાર
જો દુઃખો મેં મુસ્કરા દિયા યહ તો એક ગુલાબ બન ગયા,
દુસરો કે હક મેં જો મિટા પ્યારકી કિતાબ બન ગયા. આદર્શ જીભ સુધી ન આવવો જોઈએ, પરંતુ જીવનમાં દષ્ટિગોચર હોવો જોઈએ. જીભનો [ અવાજ તો કાનો સુધી પહોંચે છે. પરંતુ જીવન જયારે બોલવા લાગે છે તો તેનો અવાજ હૃદય સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org