SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૨૧ ઓગષ્ટ ૮૮માં એમનું નિદાન થયું કે એમને ફેફસાનું કેન્સર છે. છતાં પૂર્વના કોઈ કર્મોનો ઉદય થયો છે. એમ સમજીને છેલ્લી ઘડી સુધી હસતાં હસતાં દર્દ સહન કર્યા. એલોપથીને હાથ ન લગાડતાં મૂત્ર-ચિકિત્સા અને ઘઉંના જવારા અને કુદરતી ઉપચારો કર્યા. એનાથી એમને ઘણી જ શાતા રહી. પોતાની બિમારી દરમ્યાન પણ છેલ્લા દિવસ સુધી સ્વાવલંબી રહ્યા. જેમ જેમ બિમારી વધતી ગઈ તેમ તેમ વધુ ને વધુ ધર્મમાં ઊંડા ઉતરતા ગયા. તા. ૧૦ માર્ચ ૧૯૮૯ને શુક્રવારનો દિવસ જ વાદળોથી છવાયેલો હતો. સવારના જ સ્નાન કરતી વખતે નોકરને કહ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે. બપોરના ત્રણ વાગ્યાથી શ્વાસમાં તકલીફ વધી. ઘરમાં જ ઓકસીજન ઉપર રહ્યા છતાં ‘‘પચ્ચક્ખાણ’’ અને છેલ્લે નવકાર મંત્રના જાપ ચાલુ રહ્યા. છેલ્લી ઘડી સુધી સંપૂર્ણ ભાનમાં હતા અને રાત્રે ૯=૪૫ કલાકે આત્માએ સ્થૂળ દેહનો ત્યાગ કર્યો. એમની અંતિમ યાત્રામાં ઉભરાયેલ માનવ મહેરામણ જ એમની લોકપ્રિયતા દર્શાવતી હતી. ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. એમના ગુણો એમની મહાનતાને આજે પણ લોકો યાદ કરે છે. સમ્યષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતરસે ન્યારે રહે, જયોં ઘાવ ખિલાવે બાળ : એ એમનો મનગમતો દોહો હતો અને પોતે પણ એ રીતે જીવન જીવ્યા. કર્મના સિદ્ધાંતને માનતા અને હંમેશા કોઈ પણ કર્મમાં રાગ-દ્વેષ કે માન મળ્યેથી દૂર રહેવાનો પ્રયત્ન કરતાં. ક્યારે પણ કોઈની સાથે મન દુઃખ થાય; ભલે પોતાનો વાંક ન હોય તો પણ સામેથી જઈને ક્ષમા માગી આવતા. સિદ્ધાંતથી ભલે લોકોથી પર રહેતાં. પણ કયારે પણ હૃદયમાં કોઈ કડવાશ રાખતા નહિ. હંમેશાં જે હોય તે સત્ય કહેતાં. સ્વાવલંબી, સહનશીલતા, સ્વાભિમાન, સંયમ, સાદગી, શ્રાવકપણું, સિદ્ધાંતવાદી, શીલ-સદાચાર ; સદા હસમુખ, શાંતિ, સંતોષી, નિરાભિમાની, મૃદુભાષી, નીડર જેવા એમના અનુમોદનીય ગુણો હતા. નાગપુરના જૈન સમાજ-કચ્છી સમાજ અને ગુજરાતી સમાજ માટે નહિ પણ નાગપુરના કોઈપણ માણસ માટે તેઓ એક વટવૃક્ષ સમાન હતા. જે કોઈ એમની પાસે આવતાં તેમને તેઓની શીતળ છાયા મળતી. તેઓ સાચા અર્થમાં એક મુઠી ઉંચેરા માનવી હતા. શાહ દલપતલાલ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર શાહ દલપતલાલ પ્રેમચંદ, વતનઃવડગામ (પાલનપુર-જિ.બનાસકાંઠા), જન્મ દિન : વિ.સં. ૧૯૮૮ આસો સુદ ૧૪ ગુરુવાર તા. ૧૩-૧૦૧૯૩૨. છેલ્લે કેટલાક વર્ષોથી ધંધાકીય પ્રવૃત્તિથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે યથાશક્તિ પ્રવૃત્તિ ચાલુ છે. વિ.સં. ૨૦૦૩ માં નિશાળમાંથી છઠ્ઠી ગુજરાતી ચોપડીનો અભ્યાસ અધૂરો છોડી ગોળ-ખાંડ અને કરીયાણાની દુકાન શરૂ કરી. વિ.સં. ૧૯૯૯ થી પૂ.આ.શ્રી કસ્તુરસૂરિજી મ.સા.ના વ્યાખ્યાન શ્રવણથી તિવિહારનું પચ્ચક્ખાણ શરૂ કરવાની ભાવના થઈ. વિ.સં. ૨૦૧૦થી કંદમૂળનો સદંતર ત્યાગ તથા દલપતભાઈ પ્રેમચંદ | ચોવિહારના પ્રત્યાખ્યાનની શરૂઆત. વિ.સં. ૨૦૧૩ (ઇસ્વીસન ૧૯૫૧)થી સમાજના વિવિધ કાર્યોમાં આગેવાની પૂર્વક કામગીરી શરૂ કરી સમયની સમાજની આર્થિક સ્થિતિને -૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy