SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ૮00 ] [ જૈન પ્રતિભાદર્શન માગસર વદ એકમનો. કમળાબાને ટી.બી.નો રોગ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચુક્યો હતો. મોત ઉંબરે આવીને બેઠું હતું. દીકરાની વડીદીક્ષા થઈ ગઈ હતી. માતાએ ગુરુદેવને વિનંતી કરી, “ગુરુદેવ! મારા આ દીક્ષિત દીકરાએ કોઈ દી મોત જોયું નથી. શેરીનો કૂતરો મરી જાય તો દિવસો સુધી સૂનમૂન રહેતો. આ પોચા દિલના દીકરાથી માનું મોત કેમ જીરવાશે? માટે ગુરુદેવશ્રી, એને લઈને આપશ્રી દૂર નીકળી જશો.” વિહાર નક્કી થયો. મા-દીકરાનું છેલ્લું મિલન થયું. વિહાર કરીને જતા દીકરાને મા અપલક આંખથી જોતી જ રહી-જોતી જ રહી. અંતરના અનરાધાર આશીર્વાદ દીકરા ઉપર વરસાવતી રહી : “જા-દીકરાજા. મારું, સંઘવી કુળનું, શ્રીમાળી જ્ઞાતિનું, સુરત શહેરનું અને જિનશાસનનું નામ ઉજાળજે. દીકરા! દુનિયાનો સામાન્ય નિયમ છે કે મરણ વેળાએ માતા પોતાના બધા દીકરાઓને પાસે બોલાવે. પરંતુ હું મારી જાતે જ તને મારાથી દૂર મોકલું છું. મારા મરણનું દુઃખ દીકરા, તું ન જીરવી શકે એટલે જ તને દૂર દૂર કરું છું. કોઈ જનમમાં કદાચ પાછો ભેગો થાય ત્યારે તારી આ માને સંયમ આપી તારી લેજે.” હે મા ચક્રેશ્વરી, મારા આ લાડલાના રખોપા કરજે.” આમ મા અને દીકરો છૂટા પડ્યા. માંદગીની ગંભીરતા વધતી ચાલી. મોત પણ સરકતું સરકતું ખૂબ નજીક આવતું ગયું. દીકરાઓની ચાકરી પણ બેનમૂન હતી. તે જમાનામાં ન હતી હીલચેર, ન હતું સ્ટ્રેચર. દીકરાઓ પોતાના ખભાને વહીલચેર બનાવી કે ચાદરની સ્ટ્રેચર બનાવી માતાને એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જઈ શાતા પમાડતા. ઘોર અશાતા વચ્ચે પણ મા મરણ ઈચ્છતી નથી. “દુઃખ આવે મરણ વાંચ્છવું” એ વાત માને સ્વીકાર્ય નથી. અપાર અશાતા વચ્ચે પણ મા કહેતી કે આ ભવમાં છું તો ચોવિહાર, નવકારશી, નવકાર મહામંત્રનો લાભ મળશે. અહીંથી ગયા પછી કોણ જાણે ક્યાં જન્મ મળશે? મૃત્યુના બે દિવસ અગાઉ બેભાન અવસ્થામાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા દાદાશ્રી સીમંધરસ્વામી અને સમવસરણનું આબેહૂબ વર્ણન કર્યું. આ સમવસરણ દેખાય છે. ત્રણ ગઢ, પગથિયાં બધું જ દેખાય છે. સંવત ૨૦OOના વૈશાખ સુદ બારસની સવારે પચ્ચક્ખાણ પાર્યા વગર વિરતિમાં જ જીવ છોડ્યો. ગુરુ વિહારમાં હતા. મા અને દીકરાને પાંચ મહિનાનું છેટું પડ્યું! ઘરનો દીવો બુઝાયો. ઘરમાં રોકકળ ચાલુ છે. કોણ કોના આસું લૂછે? બધા જ સમદુઃખિયા હતા કોણ કોને આશ્વાસન આપે? સામે જ બેનોના ઉપાશ્રયમાં રહેતાં અમારા કુટુંબના પરમ ઉપકારી સાધ્વીજી શ્રી તારાશ્રીજી મ. જાતે આશ્વાસન આપવા આવ્યાં. અલ્યા ગાંડાઓ! આવી માની પાછળ રડવાનું હોય? એના મૃત્યુનો મહોત્સવ માનવાનો હોય. તો આવા હતા કમળાબા અને આવી હતી એની જાજરમાન જીવનગાથા. આ વાતને સાત વરસનો સમય વીતી ગયો. શાસનપ્રભાવના કરી રહેલા પોતાના ભાઈ મહારાજ ચંદ્રોદયવિજયજીને જોઈ કમળાબાના ચોથા નંબરના દીકરા શ્રી અમરચંદભાઈ (હાલશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી)નું મન સંસારમાંથી ઊઠી ગયું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયની ૧૬ પંન્યાસપદવી પ્રસંગના બહાને છાનામાના અમદાવાદ ભાગી જઈ પૂજય કસ્તૂરસૂરીશ્વરજી મ.ના ચરણે જીવન સોંપી શ્રી ( અશોકચંદ્રવિજયજી બન્યા. ગામ હતું બારેજા. ધન્ય દિવસ હતો સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy