________________
અભિવાદન ગ્રંથ 7
[ ૭૯૭
જિનભક્તિ-પરાયણ પ્રભાવક પરિવાર
અનન્તા સિદ્ધ પરમાત્માઓના સ્થાનરૂપ અને આપણે પણ જ્યાં જવું છે, જે આપણી મંઝીલ છે, એ મુકિતની દૂતીસ્વરૂપ જિનભકિત છે, આવી જિનભકિતમાં લીન બનવાનું સૌ કોઈને ગમે, ગમે અને ગમે જ,
| ભૂતકાળમાં જિનભકિતમાં પરાયણ એવા પણ શ્રાવકો મંત્રીઓ થઈ ગયા કે-રાજાનો હુકમ હોવા છતાં પોતાની જિનભકિત પૂરી ન થાય ત્યાં સુધી તેઓ રાજાની પણ આજ્ઞાને કોરાણે મૂકી દે; શરીરે સાપ કરડે છતાં અને તેનું ઝેર ચડવા માંડે તે વખતે પણ જિનભકિત અધૂરી ન મૂકે, અખંડપણે ચાલુ જ રાખે.
એ જ રીતે અત્યારે પણ ભગવાનની ભકિતમાં દરરોજ પાંચ-પાંચ કલાક લીન એવા શ્રાવકો તથા ઘરના એકેએક સભ્યો દરરોજ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા અને ઉલ્લાસભેર ભાવપૂજા કરનારા એકાદ-બે નહિ પરંતુ અનેક પરિવારો આપણી નજર સામે છે; અને એ જાણતાં આપણું મન ભાવવિભોર બની જાય છે. પોતાના સંપૂર્ણ પરિવાર સાથે જિનભકિતના ફળસ્વરૂપ સંયમપંચે સંચરનારા પરિવારો પણ આપણી નજર સામે છે. .
ભગવાનની ભકિતસ્વરૂપ નાત્ર મહોત્સવો, વિવિધ મહાપૂજનો, મહોત્સવો, છ'રી પાલિત સંઘો વગેરેની તો હારમાળા ચાલુ જ છે,
પારાવાર તકલીફો વેઠીને પણ હજારોની કે લાખ-લ્લાખની સંખ્યામાં જિનભકિતભાવિત એવા ભાવિકોને છ–ગાઉની યાત્રા હોંશે હોંશે કરતાં જોઈને આપણી આંખડી ઠરે છે; હૈયું આપણું તૃપ્ત થાય છે. સહજપણે જ અંદરથી ઉમળકાભેર નાદ ઊઠે છે કે કેવી સુંદર-અનુપમ-ઉદાર જિનભકિત
કોટિ કોટિ પ્રણામ એ જિનભકિતના એ જિનભકિત કરનાર ભાવિકોને પણ કોટિ કોટિ નમસ્કાર...
(સુરતનું સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ ) [પતિદેવ, ચાર સુપુત્રો, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સંયમધર બન્યા એવા કમળાબાની
જાજરમાન જીવનગાથા]. દુનિયામાં દાનથી કે તપથી તો કુટુંબ પ્રસિદ્ધિ પામી શકે છે, પણ સંયમથી પ્રસિદ્ધિ પામતું કુટુંબો તો ક્વચિત જ જોવા મળે છે. ગાથા તો ઘણાની ગવાય છે, વર્ણન થાય છે, પણ ગૌરવગાથા તો કો'ક કુટુંબની
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org