SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન જિનાલય બંધાવ્યું. મંદિરનું બાંધકામ અને શિલ્પ આકર્ષક છે. મૂર્તિઓ પ્રાચીન, ભવ્ય અને દર્શનીય છે. આ મંદિરમાં જમણી બાજુની ચોકી ઉપરના ભાગે સુંદ૨ દેરીનું નિર્માણ થયું, જેમાં નૂતન પ્રકારની અનુપમ અને અજોડ શ્રી પદ્માવતીજીની શિલ્પ મૂર્તિને ધામધૂમથી બિરાજમાન કરવામાં આવી. જ્ઞાનાધિષ્ઠાત્રી સરસ્વતીજી અને ધનદાત્રી લક્ષ્મીદેવીની પણ પ્રતિષ્ઠા થઈ. આ બધા કાર્યોમાં અનન્ય ઉપકારી પૂજ્ય ગુરુદેવો આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ, વિજયધર્મસૂરિજી મહારાજ અને મહાપ્રભાવક શ્રી પદ્માવતીજીના કારણે આ મંદિરને વિશ્વ પ્રસિદ્ધિ અપાવનાર શિલ્પકલાવિજ્ઞ, અને શ્રીસંઘના પરમ ઉપકારી પૂજ્ય આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીનું ભારે મોટું યોગદાન રહ્યું છે. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન મુનિશ્રી જયરક્ષિતવિજયજી મ.સા.ના સંસારી જીવનના ઝગમગલા સંસ્મરણો : અનંત અનંત વંદન હો જિનેશ્વરોને! અનંત ઉપકારી પ્રભુના ધર્મશાસનને પામીને આત્માઓ જન્મજરા-મૃત્યુથી સદા માટે છૂટી ગયા. છૂટી રહ્યા છે અને છૂટશે. શ્રી જિનેશ્વર દેવનું શાસન જે કોઈ ભવ્યાત્માના આત્માને સારી રીતે સ્પર્શી જાય છે તેવા આત્માઓની અંદર અકલ્પ્ય શક્તિઓ ખીલી ઉઠે છે. ધર્મ પ્રાપ્તિ ત્યારબાદ ધર્મ તરફ આગેકૂચ અને મુકિતની પ્રાપ્તિ. આવા અંતિમ લક્ષને પામવા ભવ્યાત્માઓ પુરૂષાર્થ કરતાં હોય છે. અહીં આપણે થઈ ગયેલ એક મુનિરાજશ્રી જયરક્ષિતવિજયજી મહારાજની જીવનની ઘટનાઓ રોમાંચક છે. તે આત્મા કેવા સંજોગોમાં ધર્મશાસન પામ્યા અને આરાધી ગયો તે ઘણી જ વિસ્મય જનક બાબત છે. જૈન કુળમાં જન્મ મળવો એ જુદી વાત, પણ સાચા જૈન બનવું અનોખી વાત છે. આ જયંતિભાઈ ગત જન્મની અંદર સુંદર આરાધના કરી હશે એટલે આ ભવની અંદર પણ માતાપિતાની છત્રછાયા પામ્યા. બાલ્યવય પરિપુર્ણ કરી થોડી સમજશક્તિ વધતી ગઈ, તેમ તેમ દેવ-ગુરુ-ધર્મ તરફ આકર્ષણ વધતું ચાલ્યું. દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનભંડારો આ બધું દુનિયાની કોઈપણ ચીજ કરતાં વધુ કિમતી છે. એવી બુદ્ધિને ધારણ કરનાર બન્યા. આ જયંતિભાઈને જિનવાણી શ્રાવણ-મનન-ચિંતનનું જબ્બર આકર્ષણ હતુ. પ્રભુની તમામ વાતો બરાબર સમજવા-જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતાં. જે ધર્મ અનુષ્ઠાન, આરાધના ચાલુ કરી તે બરાબર આરાધતા. બાલ્યવયથી કંદમૂળ-અભક્ષ્ય-રાત્રિભોજન વિગેરે ત્યાગ હતું. જિનપૂજા અષ્ટપ્રકારી ભાવપૂર્વક વિધિ સહિત કરતા હતા. સુંદરલાલ કાપડીયા [એમ.એ.સંસ્કૃત સાથે] તેઓની પાસે સમ્યજ્ઞાનનો અભ્યાસ સાથે સાથે સૈદ્ધાંતિક સમજ મેળવતા. સુંદરલાલ કાપડીયા પણ સંસારનો ત્યાગ કરી સુવિશાલ ગચ્છાધિપતિ-અજોડ શાસન પ્રભાવક-હજારો ભવ્યાત્માઓના ધર્મદાતા પ.પૂ.આ દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી ભુવનચંદ્રવિજયજી બન્યા. રત્નત્રયીની સુંદર આરાધના કરી તેઓની પાસે સંસારીપણામાં અભ્યાસ કરનાર મોટે ભાગે સંયમધર બન્યા અથવા સમ્યકત્વધારી બાતધારી શ્રાવક બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy