________________
શિક્ષણ, અધ્યાત્મ અને સંસ્કારની અનેરી સુવાસ :
શ્રી સંસ્કાર અધ્યયન સત્ર દ્વારા કન્યા શિબિરો.
માનવ મૂલ્યોની કટોકટીના સમયમાં માનવજીવનને સત્ય, નિષ્ઠા અને શ્રધ્ધાવિહોણા પરીબળોથી ઉગારવા માટે વ્યકિતના સંસ્કાર ઘડતરની સૌથી મોટી આવશ્યકતા ઉભી થઈ છે. આજનો માનવી અઢળક ભૌતિક સુખસગવડ પામવા છતાં આધિ, વ્યાધિ અને ઉપાધીઓથી વધુ ઘેરાવા લાગ્યો છે. નિરાશા, હતાશા અને નાસ્તિકતાથી વધુને વધુ અકળાતો રહયો છે. આવા સમયે કન્યાશિબિરો દ્વારા નારી ઘડતર અને નારી જાગૃતિનું કાર્ય શરૂ કર્યું.
સંસ્કારવૃક્ષ ધર્મની ધરતી પર ખીલે છે અને એને જ્ઞાનનું ખાતર જોઈએ. કન્યાશિબિરોમાં ધર્મક્રિયાઓ પાછળની ભાવનાઓ દર્શાવીને ધર્માચરણ શીખવવામાં આવે છે. અને એ રીતે નારી વ્યક્તિત્વની સર્વાગી જીવનસાધના લક્ષમાં રાખવામાં આવે છે.
માનવીના સંસ્કાર ઘડતર માટે આવી કન્યા શિબિરો ખરેખર અનુમોદનીય છે. આ કન્યાશિબિરોના આયોજનના પાયામાં છે સંસ્કાર સેવાના એક અનોખા ભેખધારી પૂ.સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી મહારાજ જેમણે આજ સુધીમાં ચૌદથી વધુ કન્યાશિબિરો યોજીને બે અઢી હજાર બહેનોના જીવનમાં ધર્મસંસ્કારના બીજ રોપ્યા છે. જે આજે કેટલાએ કુટુંબોને જાણે અજાણે પણ સુવાસીત કરી રહયાં હશે.
આ શિબિરનું સઘળું સંચાલન કલકત્તાનિવાસી શ્રી પારસકાન્તભાઈ શાહના પુત્રી કુ. પન્નાબહેન શાહે સંભાળ્યું અને આ કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતી થતી રહી. આજે પણ નવી પેઢીની આશા આકાંક્ષા અને સંસ્કાર સિંચનનો મહાયજ્ઞ ચાલુ છે. યુવાપેઢીના નવજાગરણનું આ એક ઐતિહાસિક સુવર્ણ પ્રકરણ બની ગયું છે. આધુનિક યુગની જે એક અનિવાર્ય આવશ્યકતા હતી જે આ શિબિરો દ્વારા અમલી બને છે.
પૂ.સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ડંખ મહેતાના પાડાના ઉપાશ્રયની બહેનો તરફથી પાટણ[ ઉત્તર ગુજરાત ]
*
*
*
*
*
*
iાક
કોઈ ને "
.
=
R
તા. આ મામલામાં રંગમંડપ, પૂર્વ દર્શન, હઠીસિંગ જેન મદિ ૨, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org