________________
૭૬૮]
[ જૈન પ્રતિભાદર્શન પુરુષાર્થ તેને મહાનું બનાવે છે. ૯૬ વર્ષના જીવનકાળમાં ૧૨૧ પ્રભાવશાળી શિષ્યોના ગુરુ બનનાર શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના સૌથી વરિષ્ઠ આચાર્ય કાળધર્મ પામ્યા, એ વીસમી સદીના જૈન ધર્મની એક મોટામાં મોટી ઘટના ગણાવી જોઈએ. ૧૭ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરનાર આ આચાર્ય જીવનમાં ૭૮ વર્ષ સુધી ભારતભરમાં વિચરી કોઈપણ જાતના સ્વાર્થ વિના જિનધર્મનો પ્રચાર કર્યો.
એક વખત તેમણે ખંભાતમાં એકસાથે ૨૪ અને અમલનેરમાં એકસાથે ૨૬ મુમુક્ષુઓને સાધુજીવનમાં પદાર્પણ કરાવ્યું હતું. વીસમી સદીના જૈન શાસનની આ સૌથી મહત્વની ઘટના હતી.
ગચ્છાધિપતિશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે અમદાવાદમાં પાલનપુરી ઝવેરી કુટુંબના યુવાન અતુલ શાહને દીક્ષા આપી, એટલે લોકો તેમનો પરિચય અતુલ શાહના ગુરુ તરીકે આપતા. જેમને રામચંદ્રસૂરીશ્વરજીના વિરાટ વ્યક્તિત્વનો ખ્યાલ ન હોય, તેઓ જ આવી ભૂલ કરી શકે. અતુલ શાહને આટલી બધી પ્રસિદ્ધિ મળી, એટલે નવી પેઢીના લોકો રામચંદ્રસૂરિશ્વરજીને ઓળખતા થયા એ હકીકત છે, પણ તેમના વિના અતુલ શાહ જેવા સેંકડો યુવાનો કદી દીક્ષા લેવાનો વિચાર પણ ન કરત એ હકીકત છે. અતુલ શાહ કરતાં પણ ક્યાંય શ્રીમંત અને ધનાઢ્ય વ્યક્તિઓએ અગાઉ શ્રી રામચંદ્રસૂરિશ્વરજી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. સ્વ. આચાર્ય યશોદેવસૂરિશ્વરજી પણ તેમાંના એક છે. આજથી ૬૮ વર્ષ અગાઉ તેમણે દીક્ષા લીધી, ત્યારે તેઓ અમદાવાદના શાલિભદ્ર ગણાતા હતા. સાધુ બન્યા અગાઉ જેસીંગલાલ તરીકે ઓળખાતા શ્રી યશોદેવસૂરિ મોટા મિલમાલિક હતા. આવી રીતે મુંબઈની જસ્મિન મિલના એક વખતના માલિક પ્રાણલાલભાઈએ ૭૨ વર્ષની પાકટ વટે આચાર્યશ્રી રામચંદ્રસૂરિશ્વરજી પાસે દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પુણ્યદર્શનવિજયજી તરીકે ઓળખાતા પ્રાણલાલભાઈએ સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો હતો. તેઓ આઝાદીના જંગમાં જેલમાં પણ જઈ આવ્યા હોવા ઉપરાંત ગાંધીજીના એક નિકટના અંતેવાસી હતા. સ્વ. રામચંદ્રસૂરિશ્વરજીના શિષ્ય સમુદાયમાં જૈનો ઉપરાંત અનેક જૈનેતરોનો પણ સમાવેશ થાય છે.
શ્રી રામચંદ્રસૂરિશ્વરજીના પોતાના શિષ્યો ૧૧૭ હતા, પ્રશિષ્યો બીજા દોઢસો હતા, પણ બીજા એવા સેંકડો શ્રાવકશ્રાવિકાઓ હશે, જેમણે રામચંદ્રસૂરિશ્વરજીનો ઉપદેશ સાંભળી કાયમ માટે સંસારનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકાર્યું હોય. આઠ વર્ષના બાળકથી લઈ ૭૩ વર્ષના વૃદ્ધને પણ દીક્ષા આપતાં અગાઉ તેઓ આકરી કસોટીમાંથી પસાર કરતાં. તેમને ખાતરી થાય કે તે સાધુજીવન અને બ્રહ્મચર્ય બરાબર પાળી શકશે, તો જ દીક્ષા આપતા. બરાબર કસોટી માટે એક વર્ષ પોતાની સાથે વિહારમાં રાખતા. - અમદાવાદના ભદ્રકાળીના મંદિરમાં એ કાળે દશેરાને દિવસે બકરાનો વધ કરવાની ક્રૂર પ્રથા અમલમાં હતી. ધર્મના નામે ચાલતી આ હિંસાથી અનેક લોકો વ્યથિત તો હતા, પણ તેની સામે અવાજ ઉઠાવવાની કોઈમાં હિંમત નહોતી. એ વખતે રામવિજયજીનું ચાતુર્માસ અમદાવાદમાં હતું અને તેમના જોરદાર પ્રવચનો ચાલી રહ્યાં હતાં. પ્રવચન સાંભળવા આવતા કેટલાક જૈનેતરોએ જ રામવિજયજીને વિનંતી કરી કે, આ હિંસા અટકે તો સારું. રામવિજયજીએ ભદ્રકાળીના પૂજારીને બોલાવી ખૂબ સમજાવ્યો, પણ તે વધ બંધ કરવા તૈયાર ન થયો. પછી તો રામવિજયજીએ અમદાવાદની પોળપોળમાં સભાઓ ભરવા માંડી અને લોકોમાં આ હિંસા સામે વિરોધનો જુવાળ જગાવ્યો. રામવિજયજીના આ કાર્યમાં અમદાવાદના મુસ્લિમો પણ સાથે થઈ ગયા. દશેરાને દિવસે ૫૦ હજાર માણસોનો એક મોરચો કાઢી તેઓ ભદ્રકાળીના મંદિરે પહોંચી ગયા. અંદર છૂપાઈ ગયેલા પૂજારીને સંદેશો કહેવડાવ્યો કે બકરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org