________________
૭૫૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
ઓછી કમાણીને કારણે અને પછી તો સ્વભાવગત બની ગયેલી ટેવને કારણે તેમનો પહેરવેશ અને તેમની રહેણીકરણી અત્યંત સાદાઈભર્યાં હતાં. હાથે ધોયેલાં, ઇસ્ત્રી વગરનાં સાધારણ કપડાં પહેરેલાં એ સજ્જનની પહેલી વાર જોનારાના મન ઉપર એ બહુ મોટા વિદ્વાન છે એવી તરત છાપ ન પડે. બાલ્યકાળમાં અને યુવાનીમાં ગરીબીને કારણે કેટલીક બાબતમાં જે લઘુતાગ્રંથિ જીવનમાં આવી તે એમન જીવનના અંત સુધી રહી હતી. પરંતુ સ્વભાવે તેઓ અત્યંત ભલા, ભોળા, સરળ અને નિખાલસ હતા એમની સાથે નિરાંતે બેસીને વાતો સાંભળીએ તો જ ખબર પડે કે તેમની પાસે વિવિધ પ્રકારની માહિતીનો અને શાસ્ત્રીય જ્ઞાનનો કેટલો મોટો ખજાનો છે! એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.
ચંચળબહેન
મહાત્મા ગાંધીજી, પંડિત મદનમોહન માલવિયા, જમનાલાલ બજાજ, રવ. વિદ્યાવિજયજી મહારાજ, સંતબાલજી મહારાજ વગેરે દિવગંત મહાપુરુષોએ જેમનાં કઠિન વ્રત, સેવાકાર્યો, ત્યાગ, સંયમ, ધૈર્ય, પરગજુપણું અને નીડરતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી એવાં સંનિષ્ઠ કાર્યકર સેવામૂર્તિ શ્રીમતી ચંચળબહેન ટી. જી. શાહનું ૯૨ વર્ષની વયે તા. ૩૦મી ડિસેમ્બર ૧૯૮૩ના રોજ મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનથી ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સમાજસેવાની તાલીમ પામનાર અને પૂજ્ય સ્વ. સંતબાલજીની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં સમાજસેવાનાં કાર્યો હાથ ધરનાર એક સંનિષ્ઠ મહિલા કાર્યકરની સમાજને મોટી ખોટ પડી છે. એમણે મુંબઈમાં સ્થાપેલી “માતૃસમાજનામની સંસ્થાની બહેનોને તો જાણે પોતાની સગી માતા ગુમાવ્યાં જેવું દુઃખ થયું છે. મુંબઈ જૈન યુવક સંઘને તેની કાર્યવાહક સમિતિમાં જોડાઈને આર્થિક રીતે સબળ બનાવવામાં ચંચળબહેને વર્ષો સુધી ખૂબ ઉત્સાહ અને તમન્નાથી કાર્ય કર્યું હતું. - સ્વ. ચંચળબહેન અને સ્વ. ટી. જી. શાહનું નામ મુંબઈના જૈન સમાજમાં એમના જમાનામાં બહુ મઘમઘતું રહ્યું હતું. પાયધુની વિસ્તારમાં ટી. જી. શાહ બિલ્ડિંગ' નામનું મકાન ત્યારે એની કેટલીક વિશિષ્ટતાને કારણે ઘણું જાણીતું રહ્યું હતું. આ શાહદંપતી વ્યસનમુક્તિ અને સંયમના પ્રચાર માટે ખૂબ પ્રશંસા પામેલું. પોતાની માલિકીના પાંચ માળના આ ઊંચા મકાનની એક આખી દીવાલ ઉપર ત્યારે ચા, બીડી, પાન, તમાકુ વગેરે વ્યસનોથી મુક્ત રહેવા માટેની ઉપદેશાત્મક કવિતા ઘણા મોટા અક્ષરે લખેલી રહેતી, જે જતા-આવતા રાહદારીઓ કે બસસ્ટોપ પર ઊભેલા માણસો દૂરથી વાંચી શકતા. એવા કેટલાયે માણસો આ કવિતા વાંચીને પોતાના જીવનમાં થયેલા પરિવર્તનનો એકરાર સ્વ. ટી. જી. શાહ અને સ્વ. ચંચળબહેન પાસે આવીને કરી ગયા હતા.
ઇ. સ. ૧૯૫૮માં ટી. જી. શાહનું અવસાન થયું ત્યારે ચંચળબાએ જે ધૈર્ય અને સમતા બતાવ્યાં છે તેનું દૃશ્ય નજર સામેથી ક્યારેય નહિ ખસે. ટી. જી. શાહની સૂચનાનુસાર શોકમય પ્રસંગે કોઈ રોકકળ કરવાની નહોતી. સાદડીમાં બેસવા આવનાર દરેકને તરત માળા આપવામાં આવતી. એ ગણીને જેને
જ્યારે જવું હોય ત્યારે જાય. કોઈ વાતચીત નહિ કે દુઃખ કે શોકના કોઈ ઉદ્દગારો નહિ. શાંત, સહજ, નિર્મળ વાતાવરણનો સૌને અનુભવ થતો.
સ્વ. ટી. જી. શાહના અવસાન પછી ચંચળબહેન પોતાનો બધો સમય લોકસેવાનાં કાર્યોમાં આપવા લાગ્યાં. પૂ. સંતબાલાજીના ઉપદેશથી જેમણે મુંબઈમાં મધ્યમવર્ગની બહેનોને રોજી મળી રહે એ આશયથી,
-
--
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org