SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૩ ‘ ક હીરાલાલે એ પ્રસંગે પોતાની જે વિદ્વત્તા અને તર્કશક્િતનો પરિચય સમાજને કરાવ્યો તેથી પ્રભાવિત થયેલા જૈન અને જૈનેતર વિદ્વાનોની ભલામણથી અયોધ્યા સંસ્કૃત કાર્યાલય તરફથી “ન્યાયમનીષી'ની પદવી આપીને એમનું મોટું સન્માન કરવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૯૬૬માં પં. હીરાલાલનાં ધર્મપત્ની કલાવતી રાણીનો સ્વર્ગવાસ થયો. વિધુર થયેલા પ. હીરાલાલે ત્યારપછી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ પાસે જઈને આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું હતું. તદુપરાંત તેઓ નિયમિત પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક, અભક્ષ્યત્યાગ, રાત્રિભોજનત્યાગ વગેરે નિયમો સ્વીકારીને એક સાધુ જેવું જીવન જીવવા લાગ્યા હતા. પં. હીરાલાલ દુગ્ગડના ચાલીસેક જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. એમાંના કેટલાક પોતાના મૌલિક સંશોધનના પ્રકારના છે, કેટલાક સંપાદનના પ્રકારના છે, કેટલાક અનુવાદના પ્રકારના છે. 'નિર્ઝન્થ ભગવાન મહાવીર તથા માંસાહાર પરિહાર”, “વલ્લભજીવન જ્યોતિ ચરિત્ર', 'વલ્લભકાવ્ય સુધા (સંપાદન), “હસ્તિનાપુર તીર્થકા ઇતિહાસ,” અજમેર નિવાસી એક દિગમ્બર વિદ્વાને શ્વેતાંબર પરંપરા વિરુદ્ધ ચાલીસ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. તે વખતે “સદ્ધર્મ રાંરક્ષક મુનિ બુદ્ધિવિજયજી”, “મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ' વગેરે ગ્રંથોમાં એમની અભ્યાસનિષ્ઠ સંશોધન દૃષ્ટિ જોવા મળે છે. મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈનધર્મ' નામનો એમનો દળદાર ગ્રંથ તો એમની તેજસ્વી વિદ્વદ્ પ્રતિભાનો સરસ પરિચય કરાવે છે. બહુ જ પરિશ્રમપૂર્વક ઘણી માહિતી એકત્ર કરીને એમણે આ ગ્રંથની રચના કરી છે. એમાં ઘણી ઘણી બાબતો ઉપર એમણે નવો સુંદર પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરના જીવન વિશે એમણે બીજા બે ગ્રંથોની રચના કરી છે. એકમાં ભગવાન મહાવીરના જન્મસ્થાનની વિચારણા કરવામાં આવી છે. બીજા એક ગ્રંથમાં એમણે ભગવાન મહાવીર વિવાહિત હતા કે નહિ એની ચર્ચા-વિચારણા કરી છે. આ વિષયમાં સંશોધન કરીને, પ્રમાણો આપીને એમણે બતાવ્યું છે કે ભગવાન મહાવીર વિવાહિત હતા. આ બંને ગ્રંથોમાં એમણે ભગવાન મહાવીર વિશેના દિગમ્બર મતનો પરિહાર કરીને શ્વેતામ્બર મતનું સમર્થન કર્યું છે. પં. હીરાલાલ દુગ્ગડે “પંચપ્રતિક્રમણ સૂત્ર', “નવસ્મરણ', “નવતત્ત્વ', “જીવવિચાર', “આત્મજ્ઞાન પ્રવેશિકા' વગેરે પ્રકારના શાસ્ત્રગ્રંથોનું સંપાદન-સંકલન પણ કર્યું છે. એમણે “જિનપૂજાવિધિ' તથા જિનપ્રતિમા પૂજા-રહસ્ય' વગેરે વિશે પણ શાસ્ત્રીય ગ્રંથો લખેલા છે. - પ. હીરાલાલ દુગ્ગડે શાસ્ત્રીય પ્રકારના અન્ય કેટલાક જે પ્રથા રચના કરી છે તેમાં ‘શકુ વિજ્ઞાન”, “સ્વરોદય વિજ્ઞાન”, “સ્વપ્ન વિજ્ઞાન”, “જ્યોતિષ વિજ્ઞાન”, “સામુદ્રિક વિજ્ઞાપન', “પ્રશ્નપૃચ્છા વિજ્ઞાન”, “યંત્ર મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ', “ઔષધ, ઔર તોટકા વિજ્ઞાન' વગેરે પ્રકારના ગ્રંથો છે. એમના ગ્રંથો પરથી જોઈ શકાય છે કે પંડિત હીરાલાલ દુગ્ગડ જ્યોતિષ, આયુર્વેદ, યોગવિદ્યા, મંત્ર તંત્ર, સ્વપ્નશાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. પ્રાચીન ભારતીય શાસ્ત્રોની વિભિન્ન શાખાઓના તેઓ ઘણા સારા જાણકાર હતા. એમની સાથે વાતચીત કરતાં આ વાતની તરત ખાત્રી થતી. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો એ વિષય ઉપર અભ્યાસપૂર્વક અને અધિકારપૂર્વક તેમને કશુંક કહેવાનું હોય જ. એમની સાથે ગોષ્ઠી કરવાથી ઘણી નવી નવી વાતો જાણવા મળતી. જન્મથી જીવનના અંત સુધી પં. હીરાલાલ દુગ્ગડનું જીવન એટલે એક આર્થિક સંઘર્ષમય જીવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy