________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૫૧
લઈ આવતા અને એના વાંચનથી રંભાબહેનને અનેક નવા નવા વિષયો લેખન માટે સૂઝતા હતા. વ્યવસ્થિત, નિયમબદ્ધ, સહકારમય અને ઉષ્માભર્યું દામ્પત્યજીવન જીવવાની તેમની પાસે વિશિષ્ટ કળા
હતી.
કેન્સર જેવી જીવલેણ બીમારીથી પોતાને દેહ છોડવાનું થયું એથી રંભાબહેને પોતાની મિલકતમાંથી માતબર રકમ કેન્સરના દર્દીઓ માટે અને કેન્સરના સંશોધન માટે ખર્ચવાની ભાવના રાખી હતી જે એમના અવસાન પછી શ્રી મનમોહનભાઈ ગાંધીએ પાર પાડી હતી.
( પંડિત હીરાલાલ દુગ્ગડ ) જૈન ધર્મના વિદ્વાન પંડિત હીરાલાલ દુગ્ગડનું ૮૭ વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું.
પં. હીરાલાલ દુગ્ગડનું નામ દિલ્હી, ઉત્તર ભારત અને પંજાબના જૈનોમાં જેટલું જાણીતું છે એટલું ગુજરાતમાં કે ભારતનાં અન્ય રાજ્યોના જૈનોમાં જાણીતું નથી.
૫. હિરાલાલ દુગ્ગડ એક વિરલ પ્રતિભા ધરાવનાર પ્રાચીન પરિપાટીના, ગઈ પેઢીના વિદ્વાન હતા.
પંડિત હીરાલાલ દુગ્ગડનો જન્મ ઇ. સ. ૧૯૪૦માં (વિ. સં. ૧૯૬૧, જેઠ વદ ૫) પંજાબમાં ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન)માં થયો હતો. ૫. પૂ. આત્મારામજી મહારાજની સ્વર્ગારોહણની એ ભૂમિ છે. પં. હિરાલાલ દુગ્ગડના પિતાનું નામ ચૌધરી દીનાનાથ હતું. એમની માતાનું નામ ધનદેવી હતું. પુત્ર હીરાલાલને જન્મ આપ્યા પછી નવમે દિવસે માતા ધનદેવીનું અવસાન થયું હતું. કુટુંબ ઉપર એથી એક મોટી આપત્તિ આવી પડી હતી.
કપરા સંજોગોમાં પણ દીનાનાથ અને હીરાલાલની દાદીમાએ હીરાલાલને મેટ્રિક ઉપરાંત સ્નાતક સુધીનો અભ્યાસ કરાવ્યો. હીરાલાલે ગુજરાનવાલાની આત્માનંદ જૈન કોલેજમાં સંસ્કૃત ભાષા-સાહિત્ય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કરી સ્નાતકની પદવી મેળવી. ઉપરાંત એમણે જૈન આગમ--સાહિત્યનો અભ્યાસ કર્યો, ‘વિદ્યાભૂષણ” અને “ન્યાયતીર્થ'ની ઉપાધિ પ્રાપ્ત કરી, વસ્તૃત્વમાં ઝળકી “વ્યાખ્યાન દિવાકર'નું બિરૂદ મેળવ્યું તથા સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ઉર્દુ, અંગ્રેજી વગેરે ભાષાઓનો પણ સરસ અભ્યાસ કર્યો. શરૂઆતમાં હીરાલાલ પોતાના પિતાની વાસણની દુકાનમાં જોડાયા હતા. પણ તેમનું મન વાસણના કે અનાજના વેપારમાં રહ્યું નહિ. એટલે તે છોડીને પોતાની ગમતી લેખનપ્રવૃત્તિમાં જોડાઈ ગયા. તેઓ જાણતા હતા કે વિદ્યાના ક્ષેત્રે અર્થપ્રાપ્તિ ખાસ થવાની નથી.
ઊગતી યુવાનીમાં ધન તરફ ન આકર્ષાવું એ સરળ વાત નથી. જ્ઞાનસંપત્તિનો સાચો પરિચય જેને હોય તે જ વ્યક્તિ ભૌતિક સંપત્તિ પ્રત્યે ઉદાસીન રહી શકે.
એ જમાનામાં આ રીતે જીવનનિર્વાહ કરવો એ ઘણી કપરી વાત હતી. એમ છતાં પં. હીરાલાલ પોતાના સંકલ્પમાંથી જીવનભર ચલિત થયા નહોતા. સાધારણ આવકને કારણે પોતાની જીવનશૈલી પણ એમણે એટલી સાદાઈભરી કરી નાખી હતી. હાથે ધોયેલાં સાદાં વસ્ત્રો તેઓ પહેરતા. કરકસરભર્યું જીવન તેઓ ગુજારતા. પોતાના લેખો, ગ્રંથો, વ્યાખ્યાનો વગેરેમાંથી જે કંઈ નજીવી કમાણી થાય તેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org