________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૩૧
વૈિયાવચ્ચ કે એવું કોઈપણ કામ હોય તો ઉલટભેર કરતા. “જૈન તત્ત્વવિવેચક સભાના સભ્ય હોવાના કારણે પણ તેઓ અવાર નવાર આવતા. પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા શેઠશ્રી માકુભાઈના સંઘમાં અને શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈના--જામનગરથી ગિરનાર અને પાલીતાણાના સંઘમાં સ્તુત્ય સેવા આપી હતી. પૂજ્યશ્રીની વલભીપુરમાં થયેલી ગણિ-પંન્યાસ પદવી, ભાવનગરમાં આચાર્યપદવી વગેરે પ્રસંગોમાં તેઓ ખાસ હાજર રહ્યા હતા. પૂજ્યશ્રીના એક વિદ્વાન શિષ્ય પ્રવર્તક મુનિશ્રી યશોવિજયજી મહારાજની અંતિમ અવસ્થાની નાદુરસ્ત તબિયતમાં શેઠશ્રી પ્રતાપસિંહભાઈએ સારી એવી વૈયાવચ્ચ કરી હતી.
આ રીતે શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ જૈન સંઘના અગ્રણી શ્રેષ્ઠિ હતા અને પૂજયશ્રી તથા અન્ય ડ. ગ્રણી શ્રેષ્ઠિઓ સાથે રહી સંઘના ઘણા મહત્ત્વનાં કાર્યોમાં પોતાનો સાથ અને સહકાર આપ્યા હતા.
શેઠશ્રી જગાભાઈ ભોગીલાલ અને શેઠશ્રી લાલભાઈ ભોગીલાલ : બંને સગા ભાઈ હતા અને “જૈનતત્ત્વ વિવેચક સભાના સભ્ય હતા. વિ. સં. ૧૯૮૬માં આપાભાઈ કોળીની જગ્યાના દસ્તાવેજમાં શ્રી જગાભાઈનું નામ હતું. તે રીતે શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ શેરદલાલ પણ “જૈન તત્ત્વવિવેચક સભાના સભ્ય હતા. તેઓએ પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત પ્રાચીન સાહિત્યમાં સારો એવો આર્થિક સહયોગ આપેલ અને તે રીતે શ્રુતજ્ઞાનના પ્રચાર અને પ્રસારનું ઉત્તમ કાર્ય કર્યું હતું. શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસે રોહિશાળામાં અંજનશલાકામાં ત્રણ-ચાર પ્રભુપ્રતિમાઓ ભરાવવાનો લાભ લીધો હતો. કદંબગિરિ તીર્થમાં તેઓએ દેરીઓમાં પ્રભુ પ્રતિષ્ઠા કરવાનો લાભ લીધો હતો. પ્રતિવર્ષ પાંજરાપોળેથી ભ. મહાવીરસ્વામીના જન્મકલ્યાણકનો વરઘોડો શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ તરફથી નીકળે છે.
રીતે
કરી
.
જેમ
કે,
શેઠશ્રી દલપતભાઈ મગનભાઈ : શેઠશ્રી દલપતભાઈ મગનભાઈ શેઠ હઠીસિંહ કેસરીસિંહ પરિવારમાં આવે અને શ્રી લક્ષ્મીભાભુ તેમનાં શ્રાવિકા થાય. તેઓએ તાલધ્વજ તીર્થે શ્રી સુમતિનાથ જિનાલયના જીર્ણોદ્ધારનો લાભ રૂ. એકલાખ ત્રણ હજાર ખર્ચાને લીધો હતો. એ સિવાય પાલીતાણાથી કદંબગિરિનો છ'રીપાલિત સંઘ કાઢેલો અને રોહિશાળામાં જિનાલય-ધર્મશાળા-ભોજનશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org