________________
૭૩૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મ.ની નિશ્રામાં શ્રી શત્રુંજય વિહારમાં શેઠશ્રી સવાઈલાલ કેશવલાલ દ્વારા કરાવવામાં આવેલ અંજનશલાકા, વિ. સં. ૨૦૨૮માં શ્રી શત્રુંજય ડેમની અંજનશલાકા-પ્રતિષ્ઠા, અમદાવાદ–લાલાભાઈની પોળના દેરાસરનો જીર્ણોદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા તથા વિ. સં. ૨૦૩૨માં શ્રી શત્રુંજય મહાતીર્થમાં નવી ટૂંકની પ્રતિષ્ઠા, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મ. તગડી મુકામે કાળધર્મ પામતાં પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરિજી મ.ની નિશ્રામાં થઈ, તેમાં સંપૂર્ણ વિધિવિધાનની વ્યવસ્થા તેઓએ કરી હતી.
આ રીતે પૂજ્ય શાસનસમ્રાટ અને પૂજ્યશ્રીના સમુદાય સાથે તેઓ તથા તેઓનું કુટુંબ ધનિષ્ઠ રીતે સંકળાયેલું છે અને શાસનપ્રભાવનાના કાર્યોમાં અપૂર્વ સહયોગ આપે છે.
જ, Hig law
કાકા કાતર
,
તે
R
અમદાવાદના હઠીસિંગ જૈનમંદિરનું સન્મુખ દર્શન
શેઠશ્રી જેસીગભાઈ : શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહનું સમગ્ર કુટુંબ, પૂજ્ય શાસનસમ્રાટશ્રી, સૌ પ્રથમવાર વિ. સં. ૧૯પરમાં અમદાવાદ-પાંજરાપોળે પધાર્યા ત્યારથી, તેઓશ્રીનું પરમ ભક્ત બની ગયું હતું. શેઠશ્રી જેસીંગભાઈ, શેઠશ્રી સારાભાઈ હઠીસિંહ વગેરે સૌ પાંજરાપોળ ઉપાશ્રયે પૂજયશ્રીનો વ્યાખ્યાનમાં નિયમિત આવતા હતા. શેઠશ્રી જેસીંગભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી ઘીકાંટા રોડ ઉપર આવેલી જેસીંગભાઈની વાડીની મધ્યમાં વિશાળ ચોકવાળું નાનું પરંતુ સુંદર, નાજુક અને નમણું દેરાસર કરાવી, તેમાં શ્રીઆદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. “જૈન તત્ત્વવિવેચક સભા'ના તેઓ સભ્ય હતા.
શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ : શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ પણ શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહ પરિવારની પરંપરામાં આવે છે. તેઓ પજ્ય શાસનસમ્રાટશ્રીના અનન્ય ભક્ત હતા. પૂજય શાસનસમ્રાટથી અમદાવાદમાં હોય તો દિવસનો ઘણો ખરો ભાગ તેઓ પૂજ્યશ્રી પાસે જ રહેતા. કોઈપણ વ્યક્તિની દીક્ષા લેવાની ભાવના હોય તો શેઠશ્રી પ્રતાપસિંહભાઈ અવશ્ય તેને પ્રેરણા આપતા અને પૂજયશ્રી પણ તેમના અભિપ્રાયને ધ્યાનમાં લેતા. પૂજયશ્રી બહારગામ હોય ત્યારે પણ શેઠશ્રી મનસુખભાઈ કે શેઠ માણેકલાલભાઈ વગેરે શ્રેષ્ઠિ-શ્રાવકો સાથે અવાર નવાર પૂજ્યશ્રી પાસે જતા અને પૂજયશ્રીની સેવા-ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org