SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૬ / [ જૈન પ્રતિભાદર્શન પૂજ્ય શાસન સમ્રાશ્રીના ભકતશ્રાવકો આસરા કર માન. નાના નાના પૉટા ૧. શેઠશ્રી મૂળચંદ હીરાચંદ, એકસી, ૨. શેઠશ્રી હીરાલાલ બુલાખીદાર શેઠ, ૩. શેઠશ્રી ચીમનલાલ અંબાલાલ ચોકસી, ૪, શેઠશ્રી અંબાલાલ જેઠાલાલ શાહ, ૫. શેઠશ્રી ચીમનલાલ ખુશાલદાસ કાપડિયા (સુરિસમ્રાટની જંગમ પાઠશાળાના વિદ્યાર્થીઓ (વિ. સં. ૧૯૮૯, ખંભાત) ( ડો. ત્રિકમલાલ અમથાશા, ડૉ. ત્રિકમલાલ એટલે ગોકળદાસના અર્થાત મુનિશ્રી સુભદ્રવિજયજી મહારાજના સગાનાના ભાઈ. તેઓ અમદાવાદના પ્રખ્યાત હોમિયોપેથી ડોકટર હતા. તેમણે અમેરિકા જઈ એમ. ડી ની ડીગ્રી મેળવેલી. બે વખત તો યુરોપનો પ્રવાસ કરેલો. અમદાવાદની બહાર કોઈ વીઝીટે બોલાવે તો, તેમની ફી રૂ. ૨૦૦ હતી. પોતાના બંગલેથી દવાખાના સુધી પણ તેઓ મોટર વિના જતા ન હતા. જમીન ઉપર તો ખુલ્લા પગે કદી ચાલ્યા જ નહોતા. એકદમ સુકોમલ માણસ હતા. પરંતુ જ્યારે તેમના મોટાભાઈ મુનિશ્રી સભદ્રવિજયજી સં. ૧૯૮૮માં કાળધર્મ પામ્યા ત્યારે તેમની સમાધિ-સમતા જોઈને ડૉકટરના હૈયામાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો અને તત્કાળ તેનો અમલ શરૂ થયો. સં. ૧૯૮૯માં તેઓએ સજેડ ઉપધાન કર્યો અને પ્રથમ માળ પહેરી. તે સમયે તેઓએ ઘણો ધનવ્યય કર્યો હતો. ત્યારબાદ પૂજ્ય શાસનસમ્રાટશ્રીને વિનંતિ કરી, મહુવાથી અમદાવાદ બોલાવી સજોડે શાસનપ્રભાવના પૂર્વક દીક્ષા લીધી. આ વખતે સેંકડો શિક્ષિતો, શેઠિયાઓ, ડોકટરો આશ્ચર્યપૂર્વક ડૉકટર ત્રિકમભાઈના સર્વસ્વ ત્યાગના આ પ્રસંગને નીહાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy