SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૨૧ ( શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટ, કાયદાકીય, શાસ્ત્રીય વગેરે માર્ગદર્શન માટે આવતા હતા. શેઠશ્રી લાલભાઈ વિ. સં. ૧૯૬૮, જેઠ વદિ ૫ ના અવસાન પામ્યા ત્યારબાદ શેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ પેઢીના પ્રમુખ તરીકે આવ્યા અને તેઓ ફક્ત બે માસ જ પ્રમુખ તરીકે રહ્યા અને પોતાની ૨૮ વર્ષની લઘુ વયે અવસાન પામ્યા. તેઓ પણ પૂજ્ય શાસનસમ્રાટ શ્રીના પરમ ભક્ત હતા. ( શેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈ ) શેઠશ્રી ચીમનભાઈ લાલભાઈના અવસાન બાદ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ શેઠ આ. ક. પેઢીના પ્રમુખ તરીકે વિ. સં. ૧૯૬૮માં | આવ્યા. એ પહેલાંથી જ નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ પૂજ્ય | શાસનસમ્રાટશ્રી પ્રત્યે અનુરાગ ધરાવતા હતા અને તેમના પરમ ભકત હતા. તિઓમાં અપૂર્વ કુનેહ અને બુદ્ધિ હતાં, છતાં પૂજય શાસનસમ્રાટેશ્રીની બુદ્ધિમાં એમને પૂરી શ્રદ્ધા હતી તેથી તેમની સલાહ લીધા વિના નગરશેઠ | પેઢીનું કોઈ કાર્ય કરતા નહિ. અને એટલા માટે જ જયારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ચાલુ બંધારણની પુનરચના કરવાની હતી ત્યારે શેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈઅમદાવાદના સકળ શ્રીસંઘ અને નગરશેઠની વિનંતિથી પૂજ્યશ્રીને પુનઃ અમદાવાદ આવવું પડ્યું. નગરશેઠ શ્રી કસ્તરભાઈ મણિભાઈના પ્રમુખપણા હેઠળ અમદાવાદમાં સમગ્ર ભારતમાંથી લગભગ એક હજાર પ્રતિનિધિઓ પેઢીની આ બંધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્યશ્રીના માર્ગદર્શન અનુસાર વિ. સં. ૧૯૬૯, માગશર વદ ૫-૬-૭ના પેઢીના બંધારણની પુનર્રચના કરવામાં આવી. વિ. સં. ૧૯૮૨ સુધી નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ શેઠ આ. ક. પેઢીના પ્રમુખ તરીકે રહ્યા. ત્યારબાદ તેઓ નિવૃત્ત થતા હોવાથી, કોને પેઢીના પ્રમુખ બનાવવા, તેનો વિચાર કરવા નગરશેઠ ચાણસ્મા પૂજ્યશ્રી પાસે આવ્યા અને તેઓશ્રી સાથે થયેલ ચર્ચા-વિચારણાના અંતે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને પેઢીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો. ( શ્રી ગોકળદાસ અમથાશા ) શ્રી ગોકળદાસ શેઠશ્રી મનસુખભાઈના મામા થતા હતા. તેઓ માત્ર મેટ્રિક સુધી જ ભણેલા પરંતુ અંગ્રેજી ભાષા ઉપર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. એક વખત શ્રીસિદ્ધગિરિના કેસ માટે અપીલો લખવા શેઠશ્રી મનસુખભાઈએ સારો સોલીસીટર રોકવાની પૂજ્યશ્રીને સૂચના કરી. એટલે પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ કેસના બધા કાગળો મંગાવીને શ્રી ગોકળદાસભાઈને સોંપ્યા. પૂજ્યશ્રીની સૂચના પ્રમાણે કેસનો સંપૂર્ણ અભ્યાસ કરી, રાતે બેથી પાંચ સુધી બેસી અપીલ તૈયાર કરી. અને પછી પૂજ્યશ્રીને સોંપી પોતે સૂઈ ગયા. સવારે શેઠ મનસુખભાઈ આવ્યા, પૂજ્યશ્રીએ તેઓને અપીલ બતાવી. શેઠશ્રી અપીલ વાંચી તાજુબ થઈ ગયા. બાહોશ સોલીસીટરને પણ ટાંપી જાય તેવી બુદ્ધિ અને લખાણશક્તિ જોઈને શેઠને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy