SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ ] L[ જૈને પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૬૮માં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે જીવદયાના જ્યોતિર્ધર પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ છે લાખ રૂપિયા એકત્ર કરાવ્યા, તેમાં શેઠશ્રી મનસુખભાઈએ રૂ. ૨૫૦૦૧ આપ્યા હતા. શેરીસા તીર્થના ઉદ્ધારમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી શેઠશ્રી મનસુખભાઈએ શરૂઆતમાં તત્કાલ રૂ. ૨૫OO૧ આપ્યા હતા. ( શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ તરફથી વિ. સં. ૧૯૬૪માં કલોલમાં જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને મહા સુદ પના શુભદિને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. શેઠશ્રી મનસુખભાઈને દેશી રજવાડાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાથી, તેમના નિમંત્રણથી વડોદરાનું ગાયકવાડી રાજકુટુંબ પણ આવેલ. આવો પ્રતિષ્ઠા મહોત્સવ તે સમયમાં કયાંય થયો નહોતો. ત્યારબાદ પૂજ્ય શાસનસમ્રાટશ્રી ભોયણી પધાર્યા. ત્યાં મહા સુદ ૧૦, વર્ષગાંઠના દિવસે, શ્રી મનસુખભાઈ તથા શ્રી જમનાભાઈ તરફથી નવકારશી કરાવવામાં આવી હતી. શેઠશ્રી જમનાભાઈએ રૂ. ૪ લાખ ખર્ચો પૂજ્યશ્રીના ઉપદેશથી માતરના શ્રી | શેઠ જમનાભાઈ ભગુભાઈ સમતિનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈએ પૂ. શાસનસમ્રાટશ્રીના ત્રણ શિષ્યો પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. મુનિશ્રી ઉદયવિજયજી, પૂ. મુનિ પ્રતાપવિજયજી મહારાજને કપડવણજમાં ગણિપદ-પંન્યાસપદ આપવામાં આવ્યાં ત્યારે પણ સારો એવો લાભ લીધો હતો. ત્યારબાદ–ચોમાસા પછી અમદાવાદમાં પોતાના પુત્ર શેઠ માણેકભાઈ (માકુભાઈ ના લગ્ન નિમિત્તે પ૧ છોડનાં ભવ્ય ઉજમણાં સહિત અઢાઈ મહોત્સવ કર્યો હતો. શેઠશ્રી મનસુખભાઈએ કુંભારિયાજી તીર્થમાં ધર્મશાળા બંધાવી હતી. ( શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ ) શેઠશ્રી લાલભાઈ શ્રી શાંતિદાસના વંશજ હતા. તેથી તેઓ શેઠ | આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ હતા. પૂજય શાસનસમ્રાટશ્રી જ્યારે વિ. સં. ૧૯૫૨-૫૩માં સૌ પ્રથમવાર અમદાવાદ આવ્યા ત્યારથી શ્રી લાલભાઈ દલપતભાઈ તેઓશ્રીના પરમ ભક્ત હતા. તેઓ દરરોજ પાંજરાપોળ ઉપાશ્રયે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા. વલ્લભીપુરમાં જયારે પૂજ્ય શાસનસમ્રાટશ્રીને ગણિપદ અને | પંન્યાસપદ આપવામાં આવ્યાં ત્યારે શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ પણ હાજર રહ્યા હતા અને શ્રી શત્રુંજય મહાતીર્થના રક્ષણ માટે સંઘ-પેઢી અને શેઠશ્રીલાલભાઈદલપતભાઈ થસ્ટેટ વચ્ચે વાટાઘાટો થતી હતી ત્યારે શેઠશ્રીની વિનંતિને માન આપી, પોતાનો સુરત તરફનો વિહાર બંધ રાખ્યો અને તેમાં શેઠશ્રીને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. અને વિ. સં. ૧૯૬૩ના ખંભાત ચાતુર્માસમાં શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ વગેરે અગ્રણી શ્રેષ્ઠિવર્યો પ્રાયઃ દર રવિવારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy