________________
અભિવાદન ગ્રંથ ]
L[ ૭૧૯
આ સાંભળી શેઠે કહ્યું : “ડૉકટર! ધર્મના પ્રભાવથી મારા માણેકને સારું થઈ જ જશે; પણ કદાચ સારું ન થાય અને મારી એની સાથે લેણાદેણી ઓછી નીકળે તો ફક્ત મારા કુટુંબને જ દુઃખ થશે પરંતુ પૂજ્ય મહારાજશ્રીને કાંઈ થાય તો સમગ્ર હિન્દુસ્તાનના જૈન સંઘને દુઃખ થશે, ખોટ પડશે માટે જવાબ આપ્યા વિના તો અત્યારે જ જરૂરી દવા વગેરે લઈ વરતેજ જાવ.” | ડૉકટર પણ તત્કાલ વરતેજ ગયા અને પૂજ્યશ્રીની તબિયત સારી થયા પછી અમદાવાદ પાછા આવ્યા. આવી અસાધારણ ગુરુભક્તિ શેઠની હતી.
ચાતુર્માસ વરતેજમાં પૂર્ણ કરી પૂ. પં.શ્રી ગંભીરવિજયજી મ. આદિ સૌ વળા–વલભીપુર પધાર્યા. ત્યાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીના શ્રી ભગવતી સૂત્રના જોગ પૂર્ણ થતા હોવાથી તેઓને ગણિ અને પંન્યાસ પદવી આપવાનો મહોત્સવ ઉજવવાનો હતો. આ પ્રસંગે સંપૂર્ણ અઢાઈ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, સમવસરણ વગેરેની રચના વગેરે બધું શેઠશ્રી મનસુખભાઈ તરફથી કરવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ પંન્યાસપદવીના દિવસની નવકારશીનો આદેશ લેવાનો રહી ગયો હતો, તે આદેશ ભાવનગરવાળાને આપ્યો. આ વાતની ખબર પડતાં-–શેઠે સંઘને નવકારશીનો લાભ આપવા વિનંતિ કરી. પરંતુ સંઘે ના કહી. એટલે બપોર-સાંજ બે ટંકની નવકારશીની માગણી મૂકી, એ લાભ શેઠે લીધો. કેવી અજોડ ગુરુભક્તિ!
શેઠશ્રી મનસુખભાઈ વિ. સં. ૧૯૬૪માં ભાવનગરમાં, અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. પૂ. કોન્ફરન્સના પ્રમુખ તરીકે આવ્યા. આ કોન્ફરન્સમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ દરરોજ શ્રીસમેતશિખરજી, શ્રીગિરનારજી, શ્રી શત્રુંજય વગેરે તીર્થોની રક્ષા માટે સચોટ ઉપદેશ આપ્યો. આ વ્યાખ્યાનોમાં ભાવનગર સ્ટેટના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી, નડિયાદના ગાયકવાડી સૂબા શ્રીનાનાસાહેબ, જૂનાગઢના દિવાન વગેરે પણ આવતા હતા.
પૂજ્યશ્રીની આચાર્યપદવી વિ. સં. ૧૯૬૪, જેઠ સુદ ૫ ના ભાવનગરમાં થઈ, ત્યારે પણ શેઠશ્રી મનસુખભાઈ આવ્યા હતા અને તેમની તરફથી આંગી, શ્રીફળની પ્રભાવના વગેરે થયાં હતાં.
શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટદાર હતા. અને તીર્થરક્ષા માટે પૂજ્યશ્રીના ઉપદેશ અનુસાર સતત કાર્યશીલ રહેતા હતા.
એક વખત પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વિદ્વાન શિષ્ય મુનિશ્રી ઉદયવિજયજીની તબિયત એકાએક બગડી, ડબલ ન્યુમોનિયા અને સન્નિપાતની ભયંકર બિમારી થઈ ત્યારે પણ અમદાવાદથી શેઠ શ્રી મનસુખભાઈએ પોતાના ફેમિલી ડૉકટર શ્રી ઝવેરભાઈને ખાસ સારવાર કરવા મોકલ્યા હતા. માંદગી પ્રાણઘાતક હતી પરંતુ ડૉ. ઝવેરભાઈની સારવારથી ભયમુક્ત થયા અને થોડાક જ દિવસોમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા.
શેઠશ્રી મનસુખભાઈને ભાવનગર સ્ટેટના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી, દિવાન સર પ્રભાશંકર પટ્ટણી, લીંબડી સ્ટેટના મહારાજા નામદાર શ્રી દોલતસિંહજી બહાદુર વગેરે સાથે ખૂબ ધનિષ્ઠ સંબંધો હતા. અને તેમના દ્વારા લીંબડી નરેશ શ્રી દોલતસિંહજીએ પૂજય શાસનસમ્રાટશ્રીને લીંબડી પધારવા વિનતિ કરી. અને પૂજયશ્રી લીંબડી પધાર્યા ત્યારે મહારાજાએ અભૂતપૂર્વ ભવ્ય સામૈયું કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org