________________
અભિવાદન ગ્રંથ ]
( 9૧૭
શ્રી ડાહ્યાભાઈ દેવતા ) તેઓ ફતાસા પોળમાં રહેતા અને વિદ્યાશાળામાં તેઓ કાયમ રાસનું વાંચન કરતા. શેઠ મનસુખભાઈ પણ તેઓને પ્રતિદિન પોતાને ત્યાં બોલાવતા અને રાસ સાંભળતા.
( શેઠ છોટાલાલ લલુભાઈ ઝવેરી ) તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતા અને તત્ત્વજ્ઞાનના ભારે રસિયા, બહુશ્રુત શ્રાવક હતા. તેઓએ પૂજ્યશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૫૮ના ચાતુર્માસ બાદ વિ. સં. ૧૯૫લ્માં અમદાવાદથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢ્યો હતો. તેમાં બે હજાર યાત્રિકો હતા. વિ. સં. ૧૯૫૮નું પૂજ્યશ્રીનું ચાર્તુમાસ પરાવર્તન પણ પોતાને ઘરે કરાવ્યું હતું.
( ઝવેરી મોહનલાલ ગોકળદાસ ) તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતા અને પ્રતિષ્ઠાદિ વિધિવિધાનો કરાવતા હતા. શ્રી છોટાલાલ લલુભાઈ પણ તેઓની સાથે વિધિવિધાનો કરાવતા.
( નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈ , તેઓ સાધુઓ પ્રત્યે બહુમાન ધરાવતા અને ઉચ્ચકક્ષાનું પાશ્ચાત્ય જ્ઞાન પણ ધરાવતા શ્રી મણિભાઈ નભુભાઈ દ્વિવેદી જેવા સાક્ષરોના પરિચયથી તેમને વેદાન્તના ગ્રંથોનું પણ જ્ઞાન હતું. આથી તેમના મનસંતોષ થાય એવું વ્યાખ્યાન કયાંય સાંભળવા મળતું નહિ. તેમના મનમાં એવો પૂર્વગ્રહ બંધાઈ ગયેલો કે વ્યાખ્યાનમાં તો કથા-વાર્તા જ આવે, તત્ત્વજ્ઞાન તો કાંઈ આવે જ નહિ. તેથી કોઈના પણ વ્યાખ્યાનમાં તેઓ જતા નહિ. શેઠ ધોળશાજી તેમની આ મનોવૃત્તિને સારી રીતે જાણતા હતા. તેથી પૂજ્ય શાસનસમ્રાટશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યા પછી નગરશેઠની રુચિને અનુકૂળ લાગવાથી તેઓએ નગરશેઠ મણિભાઈને પ્રેરણા કરી. પરંતુ શેઠ ગમે તે બહાના બતાવી વ્યાખ્યાનમાં આવતા નહિ, છેવટે ધોળશાજીના મુખે પૂજ્યશ્રીના વ્યાખ્યાનની વારંવાર ખૂબ ખૂબ પ્રશંસા સાંભળ્યા પછી ધોળશાજીની સાથે એક વખત વ્યાખ્યાન સાંભળવા આવ્યા. અને વ્યાખ્યાન સાંભળ્યા પછી એમનો પૂર્વગ્રહ પણ છૂટી ગયો એટલું જ નહિ ત્યાર પછી દરરોજ નગરશેઠ વ્યાખ્યાન બેસવાને ૧-૧૫ મિનિટની વાર હોય, ત્યાં જ હાજર થઈ જતા અને પૂરી તન્મયતાથી વ્યાખ્યાનનો એક એક અક્ષર સાંભળતા અને પૂજ્યશ્રી પણ શ્રીનન્દીસૂત્રમાં આવતા વિવિધ દાર્શનિક વિષયોનું તર્કબદ્ધ વિવેચન કરતા, જે સાંભળી નગરશેઠના મનમાં ઉદ્ભવેલા અનેક સંદેહો દૂર થઈ ગયા.
નગરશેઠને પૂજ્યશ્રી પ્રત્યે ખૂબ જ અહોભાવ અને અનુરાગ હતો, તેથી જ્યારે જ્યારે પૂજ્યશ્રી વિહારની વાત કરે ત્યારે ત્યારે નગરશેઠ અત્યાગ્રહ કરીને વિહાર કરવા ન દેતા. તેથી એકવાર નગરશેઠ મુંબઈ ગયા ત્યારે પૂજ્યશ્રી અમદાવાદથી વિહાર કરી કપડવણજ આવી ગયા. -
નગરશેઠ શ્રી મણિભાઈ પ્રેમાભાઈના અવસાન બાદ શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ નગરશેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org