SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 પામેલા અંગોલગચ્છીય ગોરજી માણેકમેરજી એમની પોશાળે આ દિશામાં પ્રશસ્ત કાર્ય કરેલું. ‘પાટણમાં જ્ઞાનભંડારો” એ નામના લેખમાં મુનિ પુણ્યવિજયજીએ અહીંના કુશળશાખાના યતિઓ વિષે જ ઉલ્લેખ કર્યો છે તે પણ અહીં નોંધનીય છે. ભારમલશેઠે સં. ૧૯૦૯માં નલીઆમાં ઉપાશ્રય બંધાવ્યો તથા ત્યાં સં. ૧૯૧૦માં શ્રી શાંતિનાથ જિનાલય તથા પુંડરીક ગણધરની દેરી બંધાવી. - નરશી નાથાનાં સુકૃત્યોમાં એમના ભાણેજ માડણ તેજશનો સારો હિસ્સો હતો. સાંધાણના ધુલ્લા તેજશી હીરજીનાં પત્ની સારબાઈની કૂખે તેઓ જનમ્યા. એમનાં પત્ની કુંવરબાઈથી પુત્ર જેઠાલાલ થયા. સં. ૧૯૨૧માં થયેલી અંજનશલાકા વખતે એમણે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. એ પ્રતિમાલેખોમાં એમને ધુલ્લા-લોડાયા ઓડકાના કહ્યા છે, જે દ્વારા સ્પષ્ટ થાય છે કે લોડાયાની પેટાશાખા ધુલ્લા ઓડક હતી. (જુઓ હાલારના મોટી ખાવડીના શ્રી ચંદ્રપ્રભુ જિનાલયના મૂલનાયકજીનો લેખ) માડણ તેજશીએ સાંધાણમાં તિલકર્કની સ્થાપના કરી. ટૂંકમાં હાલ નવ જિનાલયો છે. શ્રી શાંતિનાથ પ્રભુનું મૂલ જિનાલય, શિખર ઉપરનું શ્રી આદીશ્વર જિનાલય, તળનું શ્રી શાંતિનાથ જિનાલય અને શ્રી પાર્શ્વનાથજીની બે દેવકુલિકાઓ તથા શ્રી મુનિસુવ્રત જિનાલય તેમણે સં. ૧૯૧૦માં મુક્તિસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યાં. તદુપરાંત નલીઆમાં વીરવસહી ટૂકમાં શ્રી સુમતિનાથની દેવકુલિકા બંધાવી. તિલકટૂંકમાં પાછળથી બીજાં જિનાલયો થતાં તેને ઘણો વિસ્તાર થયો. માડણશેઠ સં. ૧૯૩૧માં દેવશરણ પામ્યા. નરશી નાથાના કુટુંબી બંધુ વર્ધમાન પણ આ તારામંડળના તેજસ્વી સિતારા હતા. તેઓ શેઠના અત્યંત વિશ્વાસુ અને આજ્ઞાંકિત હતા. એમને પગલે વર્ધમાનશેઠે પણ ધર્મકાર્યોમાં ઘણું ધન વ્યય કર્યું છે. વંશ-વૃક્ષ આ પ્રમાણે છે : પાલણ---વીરો---ભારમલ---તેજા---નેણશી, ભાર્યા પૂરબાઈ પુત્ર વર્ધમાન. તેમના વંશજો હાલ વિદ્યમાન છે. વર્ધમાનશેઠે નલીઆમાં વીરવસહીમાં શ્રી કુંથુનાથ પ્રભુની દેવકુલિકા બંધાવી તથા સં. ૧૯૨૧ના મહા સુદિ ૭ના ગુરુવારે પાલીતાણામાં અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. નરશી નાથીના કુટુંબમાં હરભમશેઠ પછી અભેચંદ રાઘવજી મુખ્ય હોઈને તેઓ જ્ઞાતિ શિરોમણીના નામે વહીવટ કરતા અને જ્ઞાતિમાં અગ્રપદે બિરાજતા. એમના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યો થયાં જે જ્ઞાતિના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાશે. અભેચંદનો પ્રભાવ જ્ઞાતિ ઉપર ઘણો હતો. અભેચંદ રાઘવજીના નામે જ્ઞાતિના અગત્યના દસ્તાવેજોમાં એમનો ઉલ્લેખ થયો છે. સં. ૧૯૪૨ના આસો સુદ ૧૩ના રવિવારે મહાજને હરભમશેઠના મૃત્યુ પછી અભેચંદશેઠને પાઘડી બંધાવીને જ્ઞાતિશિરોમણિની ગાદીએ બેસાડેલા. નરશી નાથા ચેરિટી ટ્રસ્ટના સર્જનમાં એમનો હિસ્સો મહત્ત્વપૂર્ણ છે. જખૌના લોડાઈઆ રતનશી વીરજીની પત્ની કોરાબાઈના પુત્ર જીવરાજ શેઠ પણ જ્ઞાતિના શેઠીઆઓમાંના એક છે. સં. ૧૮૫૦ લગભગમાં તેઓ મુંબઈમાં આવી મજૂરી કરતા. તેમના બંધુઓ ભીમશી તથા પીતાંબરના આગ્રહથી પુનઃ ખેતી કરવા લાગ્યા. નબળાં વર્ષોમાં પુનઃ મુંબઈ આવી થોડી બચતમાંથી વ્યાપાર શરૂ કર્યો. ભાગ્યે યારી આપતાં થોડાં વર્ષોમાં જ સૌરાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, સિંધ અને દખ્ખાણમાં એમની રૂની પેઢીઓ ધીકતો વ્યાપાર કરતી થઈ ગઈ. અમેરિકાની લડાઈ વખતે વ્યાપારમાં K ખૂબ જ વૃદ્ધિ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy