________________
૬૭૦ ]
| જૈન પ્રતિભાદર્શન
સુરતના ધર્મકાર્યોમાં શાહ ખુશાલ, મંત્રી ગોડીદાસ અને જીવનદાસ સાથે ધર્મચંદનું નામ પણ સંકળાયેલું રહેતું એમ “વિદ્યાસાગરસૂરિ રાસમાં પણ ઉલ્લેખ મળે છે.
સં. ૧૮૨૧માં કચરા કીકાએ સુરતથી કાઢેલા ગોડીજીના સંઘમાં ધર્મચંદ પણ સંઘપતિ તરીકે હતા. (જુઓ જ્ઞાનસાગર કૃત “તીર્થમાલા.') કચરા કીકાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં ગુલાબચંદ પણ ઉપસ્થિત રહેલા. ઉદયસાગરસૂરિએ સુરતમાં રહીને સં. ૧૭૯૭ના આષાઢ સુદ ૨ ના દિને “ગુણવર્મા રાસ શાહ ગુલાબચંદના આગ્રહથી રચ્યો, જુઓ--
શાહ ગુલાબચંદ જૈનાગમ રુચિ, પંડિતશું ધરે પ્રીતિ;
આગ્રહથી રાસ રચ્યો ભલો, ધરી આગમની પ્રતીતિ. આ એક જ ઉલ્લેખ દ્વારા ગુલાબચંદશાહની મહત્તાનાં દર્શન થાય છે.
સં. ૧૮૨૭ના કાર્તિક સુદિ ૭ના શુક્રવારે રાધનપુરથી વારિયા શાંતિદાસ લાધાએ સુરતમાં શાહ ગુલાબચંદ દુર્લભને પત્ર લખ્યો છે, તે આ શ્રાવક જ સંભવે છે. એ ઉપલબ્ધ હોઈને તેમાંથી તત્કાલીન અનેક માહિતીઓ જાણી શકાય છે. ઉદયસાગરસૂરિના ઉપદેશથી તારાચંદ ફત્તેહચંદે શત્રુંજયનો સંઘ કાઢેલો તેનો પણ પત્રમાં ઉલ્લેખ છે. પત્રલેખક ગુલાબચંદને જણાવે છે––‘તમે, સા ઝવેર કુસલાણી તથા સહુ હમણે ટોલાવાલા જિનશાસનના રાગી થયા છો.” આમાં સંદિગ્ધપણે ગચ્છનું સૂચન થયું જણાય છે. એ વખતે ખાસ કરીને સુરતના શ્રેષ્ઠીવર્યો અંચલગચ્છના અનુયાયીઓ હતા. શ્રેષ્ઠી ભૂખણદાસ 1 સુરતના શ્રીમાળી જ્ઞાતીય મોહનદાસના પુત્ર ભૂખણદાસે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા છે. તેઓ અંચલગચ્છના પ્રખર હિમાયતી હતા. ઉપા. દર્શનસાગરજી “આદિનાથ રાસની પ્રશસ્તિમાં કહે છે
મોહનદાસ વંશમાં દીવો, ભૂખણદાસ ચિરંજીવ;
અતિ આડંબરે પ્રતિષ્ઠા કીધી, ગચ્છરાગી અતીવ રે. ભૂખણદાસે ગચ્છનાયકના ઉપદેશથી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો, ગિરિરાજ પર વિદ્યાસાગરસૂરિની પાદુકા સ્થાપી, તળેટીમાં રાણાવાવ બંધાવી. ડુંગર ચડતાં છેલ્લો કુંડ, જે ભૂખણકુંડ કહેવાય છે, તે તથા પાલીતાણામાં ગોડીજીના જિનાલય સામે અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવ્યો. થોડાં વર્ષો પહેલાં એ ઉપાશ્રયનો વહીવટ અંચલગચ્છીય શ્રાવકો કરતા હતા, હાલ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે. શેઠ નરશી નાથાએ આ ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવેલો. વા. નિત્યલાભ રાસમાં જણાવે છે કે એ ઉપાશ્રય વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી બંધાયો. સુરતના શ્રેષ્ઠીવર્યો વિષે ઉલ્લેખ કરી ગયા તેમાં ખુશાલચંદ અને ભૂખણદાસની જોડી ગણાતી. આ મિત્ર જોડલીએ સાથે રહી સુરતમાં ધર્મપ્રવૃત્તિને વેગવંતી બનાવેલી. એમની જોડી વિષે ઉપા. જ્ઞાનસાગરજી તીર્થમાળા'માં જણાવે છે.--
શ્રી સુરતથી આવઓ રે, શા કપૂરનો પૂત; શા ભૂષણ તસ જોડલી રે, જોડી નિજ યુથ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org