SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન ઉત્તર દિશામાં એક વાવ પણ બંધાવી. ઓશવાળ સ્પાલગોત્રીય ઇશ્વર નામના શ્રેષ્ઠી સં. ૧૬૮૭માં ખેરવામાં થઈ ગયા. તેમણે ઘણું દ્રવ્ય ખરચીને અનેક ધર્મકાર્યો કર્યાં હતાં. સં. ૧૬૮૭માં ભયંકર દુષ્કાળ પડેલો. આ દુષ્કાળમાં અનેક ઉલ્લેખો મળે છે. સમયસુંદરે આ દુષ્કાળનું હૃદયદ્રાવક વર્ણન ‘ચંપક શ્રેષ્ઠી ચોપાઈ'માં કર્યું છે. રાજકીય ઇતિહાસમાંથી પણ એ અંગે ઘણું કહી શકાય છે. આ દુષ્કાળ પ્રસંગે અંચલગચ્છીય શ્રેષ્ઠીઓએ પોતાની રીતે દુષ્કાળ પીડિતોને ઘણી સહાય કરી. નાગડગોત્રીય રાજસીએ એ વખતે અન્નસત્રો ખોલીને મહત્ત્વપૂર્ણ સેવાઓ બજાવી છે. ભિન્નમાલથી પ્રાપ્ત થતા ભટ્ટગ્રંથો દ્વારા જાણી શકાય છે કે અંચલગચ્છીય શ્રાવક વરદોગજીએ સં. ૧૬૫૫માં બીજલોર નગરથી ગોડીજીનો સંઘ કાઢેલો. એ વહીમાં વલ્લભશાખીય પુણ્યતિલકસૂરિજીએ બેણપમાં સં. ૧૨૨૧માં ડોડિયા પરમાર રાવત નગરાજના પુત્ર સોમલને પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યાની હકીકત પણ છે. તેમાં જણાવાયું છે કે એમનાં વહાણો દરિયામાં અટકી ગયાં હતાં. આચાર્યે તેને પાછા લાવી આપ્યાં. એટલે તેઓ વહાણી ગોત્રથી પ્રસિદ્ધ થયા. સં. ૧૬૭૧માં લોઢાગોત્રીય કુંવરપાલ-સોનપાલના આગ્રહથી કલ્યાણસાગરસૂરિ આગરા નગરમાં પધાર્યા. એમના આગમનથી ત્યાં ઘણી ધર્મવૃદ્ધિ થઈ. તેમના ઉપદેશથી બન્ને બાંધવોએ બન્ને જિનાલયોમાં સર્વ મળી ૪૫૦ જિનબિંબોની સં. ૧૬૭૧ના વૈશાખ સુદ ૩ ને શનિવારે પ્રતિષ્ઠા કરાવી. એક જિનાલયમાં શ્રી શ્રેયાંસનાથ તથા બીજામાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાઓને મૂલનાયક તરીકે સ્થાપિત કરવામાં આવી. આચાર્યના ઉપદેશથી બન્ને મંત્રીવર્યોએ સ્વામિવાત્સલ્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું, તથા ત્યાં મનોહર ઉપાશ્રય બંધાવ્યો. એ વર્ષે આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ બાદ આચાર્યે એમના કુટુંબ સહિત સમ્મેતશિખર, પાવાપુરી આદિ જિનેશ્વરોની કલ્યાણભૂમિની યાત્રા કરી. મંત્રીવર્યોએ કલ્યાણ ભૂમિઓનો ઉદ્ધાર કરાવ્યો. આવી રીતે તેમણે આચાર્યના ઉપદેશથી સાત લાખ પીરોજીઓ સાત ક્ષેત્રમાં ખરચી. તદનંતર આચાર્ય શત્રુંજયની તીર્થયાત્રાર્થે પાલીતાણામાં પધાર્યા. સં. ૧૬૭૫માં વર્ધમાન, પદ્મસિંહ અને રાયસી શાહે રહ્યા. ત્રણે શ્રેષ્ઠીઓએ અનુક્રમે શ્રી શાંતિનાથ, શ્રી શ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને મૂલનાયક તરીકે સ્થાપી. પદ્મસિંહ શાહે શત્રુંજ્ય ૫૨ સં. ૧૬૭૬ના ફાગણ સુદ ૨ ને દિવસે દ્વિતીય પ્રતિષ્ઠા પણ કરાવી. ત્રણે શ્રેષ્ઠીઓએ આચાર્યના ઉપદેશથી શત્રુંજયગિરિ પર ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું. રાયસી શાહની વિનંતિથી કલ્યાણસાગરસૂરિ નવાનગર પધાર્યા. તેમના ઉપદેશથી રાયસી શાહે ૫૫૧ જિનબિંબોની ત્યાં અંજનશલાકા કરાવી. પિતા તેજસી શાહે બંધાવેલા જિનમંદિરની આસપાસ દેવકુલિકાઓ કરાવી. તેમાં સં. ૧૬૭૫ના વૈશાખ સુદિ ૮ ને દિવસે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. એ કાર્યમાં તેણે ત્રણ લાખ કોરીનો ખર્ચ કર્યો. એ શુભ પ્રસંગે સ્વામિવાત્સલ્યાદિ કાર્યો ઉપરાંત ઓશવાળ જ્ઞાતિના ઘર દીઠ સાકરથી ભરેલી પિત્તળની થાળીઓની પ્રભાવના કરી. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વર્ધમાન-પદ્મસિંહ શાહે નવાનગર અને શત્રુંજયનાં જિનાલયો ઉપરાંત હાલારના છીકારી અને મોડપુરમાં પણ બે શિખરબદ્ધ જિનપ્રાસાદો બંધાવ્યાં, અને મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠાકાર્યો કર્યાં. એ શુભ અવસરે બન્ને બાંધવોએ નવાનગરમાં સર્વ લોકોને મિષ્ટાન્નભોજન કરાવ્યું અને નવે નાતોમાં સાકરથી ભરેલા મોટા થાળની પ્રભાવના કરી. નાગડા ગોત્રીય નેણસી શાહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy