________________
૬૩૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
જયકેસરીસૂરિના ઉપદેશથી સંઘ કાઢી, પ્રતિષ્ઠાઓ કરી ઘણું ધન ખરચ્યું. માણિક શેઠે મોગલોને ધન આપીને ઘણા બંદીવાનોને પણ છોડાવ્યા છે. આ વંશમાં અમરકોટમાં થયેલા શાહ આસકરણ બાલબ્રહ્મચારી, બાલ વ્રતધારી શુદ્ધ શ્રાવક થયા, તેમણે પારકર વગેરે દેશોમાં થાળી, રૂપીઆ તથા સવા શેરના મોદકની લ્હાણી કરી ઘણું ધન ખરચ્યું. સં. ૧૫૪૧માં ભૂજમાં થયેલા ચાંપા શાહે જયકેસરીસૂરિના ઉપદેશથી કલ્પસૂત્રની ૮૪ પ્રતો લખાવીને સર્વ આચાર્યોને વહોરાવી. સં. ૧૫૨૫માં દેવચંદ પ્રભૃતિ વડેરા ગોત્રના વંશજો વાંકાનેરમાંથી જૂનાગઢ જઈ વસ્યા, ત્યાંના નવાબને જોઈતાં કિંમતી વસ્ત્રો પહેરામણીમાં આપ્યાં ત્યારથી તેઓ દોસી ઓડકથી ઓળખાવા લાગ્યા. સં. ૧૪૯૯માં પારકરમાં થયેલા ઠાકરસીના પુત્ર ખીમસીએ શત્રુંજય તથા ગિરનારના સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું હતું. સં. ૧૫૨૭માં લોલાડાના રહીશ ભલા શેઠે શ્રી પાર્શ્વનાથ જિનબિંબ ભરાવી તેની જયકેસરીસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૧૫માં કોટડાના રહીશ ખીમા શેઠના પુત્ર શ્રીકર્ણ, મહીકર્ણ, ડીડા તથા મેઘાએ મળી શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ શિખરબંધ કરાવ્યો.
ઓશવંશીય પડાઈયા ગોત્રીય સમરસીએ સં. ૧૪૫૨માં લોલાડા નગરમાં શ્રી શાંતિનાથ જિનપ્રસાદ કરાવ્યો. એક લાખ રૂપિયા ખરચીને શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૫૦૮માં જયકેસરીસૂરિના ઉપદેશથી શ્રી શીતલનાથ બિંબ કરાવી બાડમેરમાં પ્રતિષ્ઠા કરાવી. ઓશવંશીય વાહણી ગોત્રીય સોમિલ શેઠે ચાર લાખ પીરોજી ખરચીને શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરી, બે લાખ પીરોજી ખરચી દાનશાળા મંડાવી. સં. ૧૫૦૫માં બીજરોલમાં થયેલા ભીમા તથા ૨ામાએ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા કરાવી ઘણું ધન ખરચ્યું. ઓશવંશીય ચૌહાણ ગોત્રીય વીરા શેઠે ઝાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનો જિનપ્રાસાદ બંધાવ્યો. સં. ૧૫૦૫માં કોદંડાના વતની મહિરાજ શેઠે શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. શ્રીમાલ વંશીય આગ્નેય ગોત્રીય, આઉઆ ગામમાં થયેલા ઇલાક નામના શેઠે શ્રી વાસુપૂજ્ય જિનબિંબ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. આ વંશમાં લોલીઆણા પાસે છબાલી ગામમાં થયેલા ખોખા શેઠની ખોખોત્રા નામની ઓડક થઈ. તેણે પાટણમાં ચોર્યાસી પૌષધશાળામાં ચોર્યાસી કલ્પસૂત્રો વંચાવ્યાં તથા ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્ય કર્યા. કાશ્યપ ગોત્રીય ઝાંઝણ શેઠે મોડી ગામ પાસે ભાદ્રહડી ગામમાં સં. ૧૫૪૩માં શ્રી વિમલનાથજીનો જિનપ્રાસાદ જયકેસરીસૂરિના ઉપદેશથી કરાવ્યો અને એમના જ ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. શ્રીમાલી વંશીય ખોડાયણ ગોત્રીય શેઠ કુંભાએ જયકેસરીસૂરિના ઉપદેશથી બેલા ગામમાં પિત્તળની જિનપ્રતિમાની સ્થાપના કરી. શ્રીમાલી વંશીય લાછિલ ગોત્રીય વીરા શેઠે હરિયાપુરમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય તથા પૌષધશાળા બંધાવ્યાં, જેની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. ઓશવંશીય કાંટિયા--ગોખરુ ગોત્રીય સંઘા શેઠે સં. ૧૫૨૧માં યકેસરીસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. આ વંશમાં સંગ્રામ સોનીએ શત્રુંજય ઉપર ચૌમુખ જિનપ્રાસાદ બંધાવ્યો.
ઓશવંશીય સ્પાલ ગોત્રીય, સાયલાના વતની રૂપચંદ અને તેના પુત્ર સામંતસિંહે જયકેસરીસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલો. ભટ્ટગ્રંથોમાંથી જાણી શકાય છે કે સામંતસિંહને રાત્રિએ સર્પ કરડ્યો હોઈને તે મૂર્છિત બની ગયેલો. તેને મૃત્યુ પામેલો જાણી અગ્નિદાહ માટે લઈ જતા હતા એ વખતે જયકેસરીસૂરિ સામા મળ્યા. તેમને તે હકીકત જણાવતાં મંપ્રયોગથી તેમણે તેને સાજો કર્યો. આથી રૂપચંદે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org