________________
અભિવાદન ગ્રંથ ]
૨. અનેકલક્ષ ક્ષત્રિય પ્રતિબોધક પૂ. આ. ભગવંત શ્રી જયસિંહસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી થયેલાં ગોત્રો વિક્રમની ૧૩મી શતાબ્દી
રાઉત ફણગર અને પડાઈઆ ગોત્ર
સં. ૧૨૨૪માં લોલાડા નગરમાં રાઠોડ વંશના રાઉત ફણગરને જયસિંહસૂરિએ પ્રતિબોધ આપી જૈન કર્યો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પડાઈઆ ગોત્રથી ઓળખાય છે. આ વંશમાં તિલાણી, મુમુણિયા વગેરે ઓડકો છે. આ ગોત્રના વંશજો વિશાલા, રાડદ્રા, બાહડમેર, નગરપારકર, જૈસલમેર, બિલાડા વગેરે ગામોમાં વસે છે. આ વંશમાં અમરસિંહ, સાદા, સમરથ, મંડલિક, તોલાક ઇત્યાદિ પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે, જેમનાં સુકૃત્યો વિષે ભટ્ટગ્રંથોમાં અનેક માહિતીઓ ઉપલબ્ધ થાય છે.
રાઉત મોહણસિંહ અને નાગડા ગોત્ર
થરપારકરમાં આવેલા ઉમરકોટ શહેરમાં પરમાર વંશનો રાઉત મોહણસિંહ નામનો ક્ષત્રિય જયસિંહસૂરિનો ભક્ત હતો. આચાર્યનો ઉપદેશ સાંભળીને તેણે સં. ૧૨૨૮માં જૈન ધર્મ સ્વીકારેલો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળીને નાગડા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
લાલન ગોત્ર
[ ૬૧૯
નાગડા ગોત્રની જેમ લાલન ગોત્રનું સ્થાન પણ અંચલગચ્છના ઇતિહાસમાં અદ્વિતીય છે. સં. ૭૧૩માં ઝાલોરના સોનગીરા સોઢા વંશનો કાન્હડદે નામનો સોલંકી રજપૂત રાજ્ય કરતો હતો. સ્વાતિ આચાર્યના ઉપદેશથી તેમણે જૈનધર્મ અંગીકાર કરેલો. અને ઝાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવેલું. એમના વંશજોએ જૈન ધર્મની મોટી સેવાઓ કરી છે. લાલન માતા-પિતા સાથે જિનધર્મનું આરાધન કરતાં તેણે શ્રી શાંતિનાથ જિનની એક દેવકુલિકા કરાવી હતી, તેમાં સ્ફટિક રત્નની બનાવેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા સૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી.
દેવડા ચાવડો અને દેઢિયા ગોત્ર
જૈસલમેરમાં સં. ૧૨૫૫માં દેવડ નામના ચાવડા રજપૂતને પ્રતિબોધ આપીને જયસિંહસૂરિએ જૈનધર્મી કર્યો અને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યો. આ અરસામાં અનેક ચાવડા રજપૂતોએ જૈનાચાર્યોના ઉપદેશથી જૈનધર્મ સ્વીકારેલો. દેવડના પુત્ર ઝામરે ઝાલોરમાં એક લાખ સિત્તેર હજાર ટંક ખરચીને શ્રી આદિનાથ પ્રભુનો શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો, વસ્ત્રાદિની લહાણી કરી તથા ઘણા બંદીઓને છોડાવ્યા. ઝામરનો દેઢિયા નામે પુત્ર હતો, જેના નામથી એમના વંશજો દેઢિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. દેઢિયાના વંરાજ જેઠાણંદ શેઠ ઘણા જ ધનાઢ્ય હતા. તેમણે શત્રુંજયનો મોટો સંઘ કાઢીને ત્યાં એકત્રિત થયેલા જુદાં જુદાં નગરોના બાવન સંઘવીઓમાં અગ્રપદ લીધું તથા ધર્મકાર્યોમાં અઢળક ધન વાપર્યું. આ ગોત્રમાં બીજા પત્ર અનેક તારી પુરુષો થઈ ગયા છે, જેમને વિષે ભટ્ટગ્રંથોમાંથી અનેક માહિતીઓ ઉપલબ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org